શોધખોળ કરો

Indian Railways: રામ ભક્તોને રેલવેની મોટી ભેટ, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે

Indian Railways: નવનિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

Indian Railways:  અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500 વર્ષની રાહ જોયા બાદ રામલલ્લા તેમના દિવ્ય મહેલમાં બિરાજમાન થશે.  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ભારતીય રેલ્વે પણ આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોનું સંચાલન 19 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે.

ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પછી 23 જાન્યુઆરી, 2024 થી મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાશે. આ ટ્રેનો દ્વારા રામ નગરી અયોધ્યાને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે મુસાફરી સરળ બનશે.

ટ્રેનોની સંખ્યા વધારી શકાય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર જો માંગ વધશે તો ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. પ્રવાસીઓના અંદાજિત વધારાને ધ્યાનમાં રાખીને અયોધ્યા સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી શકે છે. નવા સ્ટેશનમાં દરરોજ 50 હજાર લોકોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. જે 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રેલવે હાલમાં રાજ્યોની મદદથી ટ્રેનોની સંખ્યા અને સમયપત્રક પર કામ કરી રહ્યું છે.

IRCTC 24 કલાક ફૂડ સર્વિસ આપવાની તૈયારી કરી રહ્યું છે.

અયોધ્યાની મુલાકાતે આવતા પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેના ઉપક્રમ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 24 કલાક ભોજન સેવા પ્રદાન કરવાની તૈયારીઓ પર કામ કરી રહ્યું છે. આ માટે IRCTC ઘણા સપ્લાયર્સ સાથે વાત કરી રહી છે.

રામ મંદિર જતા મુસાફરો માટે રેલ્વે વિશેષ તૈયારીઓ કરી રહી છે. અયોધ્યા રેલ્વે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય શ્રી રામ એરપોર્ટ સ્ટેશનથી ભવ્ય રામ મંદિરની ઝલક જોઈ શકાય છે. હાલમાં જ તસવીરો સામે આવી છે જેમાં દેખાઇ રહ્યું છે કે, રામ મંદિર દર્શન માટે રેલવેની ખાસ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget