શોધખોળ કરો

Indian Railways: રામ ભક્તોને રેલવેની મોટી ભેટ, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે 1000થી વધુ ટ્રેન દોડાવશે

Indian Railways: નવનિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

Indian Railways:  અયોધ્યામાં ભગવાન રામનું દિવ્ય મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે લગભગ તૈયાર છે. ભગવાન રામ 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. 500 વર્ષની રાહ જોયા બાદ રામલલ્લા તેમના દિવ્ય મહેલમાં બિરાજમાન થશે.  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ભારતીય રેલ્વે પણ આ માટે ખાસ તૈયારી કરી રહ્યું છે. નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રથમ 100 દિવસ દરમિયાન રામ ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા માટે 1,000 થી વધુ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોનું સંચાલન 19 જાન્યુઆરી, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે.

ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પછી 23 જાન્યુઆરી, 2024 થી મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકાશે. આ ટ્રેનો દ્વારા રામ નગરી અયોધ્યાને દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના ઘણા મોટા શહેરો સાથે જોડવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે મુસાફરી સરળ બનશે.

ટ્રેનોની સંખ્યા વધારી શકાય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર જો માંગ વધશે તો ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. પ્રવાસીઓના અંદાજિત વધારાને ધ્યાનમાં રાખીને અયોધ્યા સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી શકે છે. નવા સ્ટેશનમાં દરરોજ 50 હજાર લોકોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે. જે 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રેલવે હાલમાં રાજ્યોની મદદથી ટ્રેનોની સંખ્યા અને સમયપત્રક પર કામ કરી રહ્યું છે.

IRCTC 24 કલાક ફૂડ સર્વિસ આપવાની તૈયારી કરી રહ્યું છે.

અયોધ્યાની મુલાકાતે આવતા પ્રવાસીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેના ઉપક્રમ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 24 કલાક ભોજન સેવા પ્રદાન કરવાની તૈયારીઓ પર કામ કરી રહ્યું છે. આ માટે IRCTC ઘણા સપ્લાયર્સ સાથે વાત કરી રહી છે.

રામ મંદિર જતા મુસાફરો માટે રેલ્વે વિશેષ તૈયારીઓ કરી રહી છે. અયોધ્યા રેલ્વે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય શ્રી રામ એરપોર્ટ સ્ટેશનથી ભવ્ય રામ મંદિરની ઝલક જોઈ શકાય છે. હાલમાં જ તસવીરો સામે આવી છે જેમાં દેખાઇ રહ્યું છે કે, રામ મંદિર દર્શન માટે રેલવેની ખાસ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકારVikram Thakor : કલાકારોની વિધાનસભા મુલાકાત વિવાદ મામલે વિક્રમની પત્રકાર પરીષદ, વીડિયો મુદ્દે ધડાકોGujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
પાકિસ્તાની ખેલાડીઓની ફજેતી! ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો હાર્યા ને હવે અહીંયે કોઈએ ભાવ ના આપ્યો!
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી કરશે ઓપનિંગ? મજબૂત છે મિડલ ઓર્ડર; જાણો IPL 2025 માટે RCB ની પ્લેઇંગ ઈલેવન
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
પાકિસ્તાન સહિત આ 43 દેશોનું આવી બન્યું! ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ડ્રાફ્ટ તૈયાર ગયો છે
'જ્યારે PM મોદી મને મળવા આવ્યા ત્યારે મેં તેમનો રૂટ બદલી નાખ્યો કારણ કે...', ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો
'જ્યારે PM મોદી મને મળવા આવ્યા ત્યારે મેં તેમનો રૂટ બદલી નાખ્યો કારણ કે...', ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો
Embed widget