Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે.

Train ticket refund rules: ટિકિટના કાળાબજારને રોકવા માટે રેલવેએ ટિકિટના રિફંડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ટિકિટ કેન્સલ કરવા પર મુસાફરોને હવે સંપૂર્ણ રિફંડ મળશે નહીં, પરંતુ તેના બદલે પ્રસ્થાનના સમયના આધારે રિફંડ ઘટાડવામાં આવશે. નવા નિયમો અનુસાર, ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 8 કલાકની અંદર ટિકિટ રદ કરનારા મુસાફરોને કોઈ રિફંડ મળશે નહીં. જો કે, જો ટિકિટ નિર્ધારિત પ્રસ્થાન સમયના 24 કલાકથી 8 કલાકની વચ્ચે રદ કરવામાં આવે છે તો ફક્ત 50 ટકા રકમ જ પરત કરવામાં આવશે. વધુમાં, જો ટિકિટ 72 કલાક પહેલા રદ કરવામાં આવે છે તો મુસાફરોને 75 ટકા રિફંડ મળશે.
નોંધનીય છે કે અગાઉ, 72 કલાક કે તે પહેલાં ટિકિટ કેન્સલ કરનારા મુસાફરોને લગભગ સંપૂર્ણ રિફંડ મળતું હતું. જો કે, આ નવા નિયમોના અમલીકરણ સાથે કાળાબજારી કરનારાઓને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે ટિકિટ સરળતાથી મળી શકે.
કોઈપણ સ્ટેશન પરથી ટિકિટ રદ કરી શકાશે
નવી જોગવાઈઓ હેઠળ, મુસાફરો હવે કોઈપણ સ્ટેશન પરથી ઑફલાઇન તેમની ટિકિટ રદ કરી શકશે. આનાથી મુસાફરોને ફક્ત તે સ્ટેશન સુધી મર્યાદિત રહેવાની જરૂર રહેશે નહીં જ્યાં તેમણે ટિકિટ બુક કરાવી હતી. વધુમાં મુસાફરો હવે પ્રસ્થાન સ્ટેશનથી આગળ કોઈપણ સ્ટેશનથી ટ્રેનમાં ચઢી શકશે. આનાથી મુસાફરી વધુ સુવિધા મળશે.
ટ્રેન રવાના થાય તેના 30 મિનિટ પહેલા કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ
માત્ર આટલું જ નહીં, મુસાફરો હવે તેમની સીટ પણ અપડેટ કરી શકશે. નિર્ધારિત પ્રસ્થાન સમય પહેલાં 30 મિનિટ સુધી કોચ અને ક્લાસ બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આનો અર્થ એ છે કે મુસાફરો જો ઇચ્છે તો તેમની સીટ 3rd ACમાંથી 1st ACમાં અપગ્રેડ કરી શકે છે. આ નવી સુવિધાઓનો હેતુ મુસાફરોને વધુ સુવિધા, સુગમતા અને વધુ સારો મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો છે.






















