શોધખોળ કરો
Advertisement
નૌસેનાની તાકાત વધારવા એન્ટી સબમરિન યુદ્ધ જહાજ INS કવરત્તી નેવીના બેડામાં સામેલ
સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન વિરોધી સીસ્ટમથી સજજ સ્વદેશી આઈએનએસ યુદ્ધ જહાજ કવરતીને આજે નૌસેનામાં સામેલ કરી હતી.
વિશાખાપટ્ટનમ: સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન વિરોધી સીસ્ટમથી સજજ સ્વદેશી આઈએનએસ યુદ્ધ જહાજ કવરતીને આજે નૌસેનામાં સામેલ કરી હતી.
આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેકટોરેટ ઓફ નેવલ ડિઝાઈન (ડીએનડી) એ ડિઝાઈન કરી છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જીનીયર્સે બનાવ્યું છે. આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું પગલું છે.
આઈએનએસ કવરતીને આજથી વિશાખાપટ્ટનમમાં કમિશન્ડ કરવામાં આવ્યું હતું. આ જંગી યુદ્ધ જહાજની ખાસ બાબત એ છે કે તેમાં 90 ટકા દેશી ઉપકરણો છે. સ્વદેશી આ યુદ્ધ જહાજનું નામકરણ 1971માં બાંગ્લાદેશને પાક.ની ગુલામીમાંથી છોડવાના યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર યુદ્ધ જહાજ કવરતી પરથી અપાયું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement