પ્રયાગરાજ: મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો, વાયરલ વીડિયોથી ખળભળાટ
લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર જીવલેણ હુમલાનો આરોપ, મમતા કુલકર્ણી વિવાદ સાથે કનેક્શન ચર્ચામાં.

Jagat Guru Himangi Sakhi Attacked: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાનો આરોપ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રયાગરાજના સેક્ટર 8 સ્થિત કેમ્પમાં બનેલી આ ઘટનામાં હિમાંગી સાખી તેમના નોકર સાથે હાજર હતા. તેમણે જણાવ્યું કે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અચાનક 10-12 વાહનોમાં 40-50 લોકોના ટોળા સાથે ધસી આવ્યા હતા. હુમલાખોરોના હાથમાં હોકી સ્ટિક, સળિયા, તલવાર, કુહાડી, લાકડીઓ અને ત્રિશૂળ જેવા હથિયારો હતા, જે દર્શાવે છે કે હુમલો પૂર્વયોજિત હતો અને જીવલેણ ઇરાદાથી કરવામાં આવ્યો હતો.
હિમાંગી સાખીના જણાવ્યા અનુસાર, લક્ષ્મી નારાયણ અને તેમના સાથીઓએ તેમની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓને પહેલાં પકડી લીધા હતા, ત્યારબાદ હિમાંગી સાખી પર ઘાતક હુમલો શરૂ કર્યો. તેઓને લાતો, મુક્કા, અને લાકડીઓ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હિમાંગી સાખીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના નોકરોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કોઈ દયા દાખવી નહીં અને માર મારવાનું ચાલુ રાખ્યું.
Prayagraj: Kinnar Jagadguru Himangi Sakhi attacked, Himangi Sakhi was seriously injured in attack
— Gulab_Dharkar9711 (@Gulab_Dharkar97) February 9, 2025
Accused of Acharya Mahamandaleshwar Lakshmi Narayan Tripathi, Himangi Sakhi questioned Mamta Kulkarni
Attacker arrived to attack from Fortuner, video of attack was imprisoned in… pic.twitter.com/FsF0b2DskJ
આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હિમાંગી સાખીએ વધુમાં જણાવ્યું કે હુમલાખોરોએ 10 લાખ રૂપિયા રોકડા, સોનાના ઘરેણાં અને કિંમતી દાગીનાની પણ લૂંટ ચલાવી છે. આ સમગ્ર ઘટના કેમ્પમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે પોલીસ તપાસનો મહત્વનો ભાગ બની છે. પ્રયાગરાજ પોલીસે હિમાંગી સાખીનું નિવેદન નોંધીને આ મામલે ગહન તપાસ શરૂ કરી છે.
આ હુમલાને મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાના વિવાદ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. હિમાંગી સાખીએ જાહેરમાં મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાનો સખત વિરોધ કર્યો હતો અને આ હુમલો તે વિરોધનું પરિણામ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને ગુનેગારોને ઝડપથી પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો....
ન તો ઓવૈસી, ન માયાવતી... AAPની હાર પાછળ આનો છે મોટો 'હાથ', વોટ શેરના ડેટાથી થયો ખુલાસો





















