શોધખોળ કરો

Chief Justice of India: જસ્ટિસ સંજીવ ખન્ના હશે દેશના આગામી ચીફ જસ્ટિસ,આ તારીખે સંભાળશે કાર્યભાર

Chief Justice of India:  દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના હશે. તેઓ 11 નવેમ્બરે કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આની જાહેરાત કરી છે.

Chief Justice of India:  દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્ના હશે. તેઓ 11 નવેમ્બરે કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આની જાહેરાત કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમના અનુગામી તરીકે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી હતી. સરકારે આઉટગોઇંગ CJIને પત્ર લખીને મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર મુજબ તેમની ભલામણો મોકલવા જણાવ્યું હતું. વાસ્તવમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ બે વર્ષના કાર્યકાળ પછી 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

 

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ 65 વર્ષના થશે તેના એક દિવસ પછી સંજીવ ખન્ના 11 નવેમ્બરે શપથ લેશે. જસ્ટિસ ચંદ્રચુડે 8 નવેમ્બર, 2022ના રોજ CJI તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જસ્ટિસ ખન્નાનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ લગભગ છ મહિનાનો રહેશે અને તેઓ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થશે.

કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, માનનીય રાષ્ટ્રપતિ, ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્નાને 11 નવેમ્બર, 2024 થી ભારતના મુક્ય ન્યાયાધીશ રુપે નિયુક્ત કરતા ખુશી અનુભવું છું.

જસ્ટિસ સંજીવ ખન્નાએ અનેક મોટા ચુકાદા આપ્યા છે

જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો આપ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર માટે તત્કાલિન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે PMLA એક્ટની કડક જોગવાઈઓ કોઈને ટ્રાયલ વિના લાંબા સમય સુધી જેલમાં રાખવાનો આધાર બની શકે નહીં. તેમણે VVPAT અને EVMના 100 ટકા મેચિંગની માંગને નકારી કાઢી હતી. તે બેંચના સભ્ય હતા જેણે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. તેમણે એ પણ ચુકાદો આપ્યો હતો કે જો લગ્ન ચાલુ રાખવા અશક્ય છે, તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાનો સીધો ઉપયોગ કરીને છૂટાછેડાનો આદેશ આપી શકે છે.

આ પણ વાંચો...

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BREAKING: જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત
BREAKING: જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત
Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?
સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગBhavnagar News:  ભાવનગરમાં પાલીતાણા અને સિહોર નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટકVav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BREAKING: જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત
BREAKING: જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત
Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?
સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?
jammu kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ
jammu kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
સ્વામી રામભદ્રાચાર્યએ અભિનવ અરોડાને સ્ટેજ પરથી ઉતાર્યો નીચે, વીડિયો વાયરલ થયા બાદ લોકો કરી રહ્યા છે મજેદાર કમેન્ટ
સ્વામી રામભદ્રાચાર્યએ અભિનવ અરોડાને સ્ટેજ પરથી ઉતાર્યો નીચે, વીડિયો વાયરલ થયા બાદ લોકો કરી રહ્યા છે મજેદાર કમેન્ટ
Passive Smoking: સિગારેટ ન પીનારા પણ સિગારેટને કારણે મરી રહ્યા છે, દર વર્ષે 12 લાખ લોકો જીવ ગુમાવે છે
સિગારેટ ન પીનારા પણ સિગારેટને કારણે મરી રહ્યા છે, દર વર્ષે 12 લાખ લોકો જીવ ગુમાવે છે
Embed widget