કોંગ્રેસ દિગ્ગજ નેતાની યોગીના મંત્રી સાથે કુંભમાં ડૂબકી: પક્ષપલટાની અટકળો તેજ
પોતાના પરિવાર સાથે ગંગામાં ડૂબકી લગાવી અને મહાકુંભના ભવ્ય આયોજન બદલ ઉત્તર પ્રદેશની યોગી સરકારની ખુલ્લા મને પ્રશંસા કરી, જેના પગલે તેમના પક્ષપલટાની અટકળોએ જોર પકડ્યું છે.

DK Shivakumar at Kumbh Mela: પ્રયાગરાજના સંગમ તટે ચાલી રહેલા મહાકુંભમાં રાજકીય નેતાઓની હાજરીનો સિલસિલો યથાવત છે. આ કડીમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે. શિવકુમારે રવિવારે (9 ફેબ્રુઆરી, 2025) પ્રયાગરાજની મુલાકાત લીધી અને મહાકુંભમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું. શિવકુમારે પોતાના પરિવાર સાથે ગંગામાં ડૂબકી લગાવી અને મહાકુંભના ભવ્ય આયોજન બદલ ઉત્તર પ્રદેશની યોગી સરકારની ખુલ્લા મને પ્રશંસા કરી, જેના પગલે તેમના પક્ષપલટાની અટકળોએ જોર પકડ્યું છે.
મહાકુંભના આયોજનની દ્વારા પ્રશંસા
ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે, "આ પવિત્ર પ્રસંગના આયોજન માટે હું તમામ આયોજકોનો આભાર માનું છું. આ દરેક વ્યક્તિના જીવનનો એક ઐતિહાસિક અનુભવ છે. કરોડો લોકો માટે અહીં જે વ્યવસ્થા કરવામાં આવી છે તે નાનું કામ નથી. યોગી સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને હું મહાકુંભનો ભાગ બનીને અત્યંત ખુશ છું."
નોંધનીય છે કે, ડી.કે. શિવકુમારની સાથે ઉત્તર પ્રદેશના યોગી સરકારના મંત્રી નંદ ગોપાલ ગુપ્તા પણ હાજર રહ્યા હતા. શિવકુમારે વધુમાં જણાવ્યું કે, "ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ મંત્રીઓ બેંગલુરુમાં મને મળવા આવ્યા હતા અને તેમના આમંત્રણ પર જ હું મહાકુંભમાં સામેલ થયો છું. આ મારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો."
રાજકીય ગલિયારામાં અટકળો શરૂ
જો કે, આ મુલાકાત બાદ ડી.કે. શિવકુમારના રાજકીય પક્ષ બદલવાની અટકળો ફરી એકવાર ચર્ચામાં આવી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં પરત ફર્યા બાદ પાર્ટીનો એક મોટો વર્ગ શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માટે દબાણ કરી રહ્યો છે. ત્યારે હવે તેમનું મહાકુંભમાં જવું અને યોગી સરકારના વખાણ કરવાને રાજકીય દબાણની રણનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
ડી.કે. શિવકુમારે આગળ કહ્યું કે, "હું ખરેખર આનંદ અનુભવું છું કે દેશભરમાંથી વિવિધ રાજ્યોના લોકો અહીં પધાર્યા છે અને આ દરમિયાન મને દેશભરના અનેક લોકોને મળવાનો અવસર મળ્યો."
ಹರ ಹರ ಮಹಾದೇವ!
— DK Shivakumar (@DKShivakumar) February 9, 2025
ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಪ್ರಯಾಗ್ ರಾಜ್ನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಮಹಾ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಕುಟುಂಬ ಸಮೇತ ಪಾಲ್ಗೊಂಡು, ತ್ರಿವೇಣಿ ಸಂಗಮದಲ್ಲಿ ಪುಣ್ಯಸ್ನಾನ ಮಾಡಿದೆ. 144 ವರ್ಷಗಳಿಗೊಮ್ಮೆ ನಡೆಯುವ ಮಹಾ ಕುಂಭದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ದು ನಿಜಕ್ಕೂ ಖುಷಿ ತಂದಿದೆ. pic.twitter.com/LhwwJ0hvpK
મહાકુંભ દુર્ઘટનાનો ઉલ્લેખ
નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મહાકુંભમાં બનેલી કેટલીક ઘટનાઓ વિશે વાત કરતા ઉમેર્યું કે, "આપણે કર્ણાટકમાં પણ એ જ કહીએ છીએ કે મહાકુંભ આપણા દેશનો સૌથી મોટો વારસો અને સંસ્કૃતિ છે. આજના સમયની વાત નથી, પરંતુ હજારો વર્ષ પહેલા આપણા ઈતિહાસકારો અને દૈવી શક્તિઓએ તેનું નિર્માણ કર્યું છે અને આપણે સૌ તેમાં સહભાગી છીએ. આ માત્ર પાણીની વાત નથી, પરંતુ માનવતાની વાત છે. અહીં થોડી નાની ઘટનાઓ બની છે, પરંતુ કોઈ મોટી દુર્ઘટના બની નથી."
આ પણ વાંચો....
BJPના આ બ્રહ્માસ્ત્રથી થઈ 'AAP' ની હાર, એક નિર્ણયે સમગ્ર ચૂંટણીનું વાતાવરણ બદલી નાખ્યું!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
