શોધખોળ કરો

દેશનાં આ મોટાં રાજ્યોમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન, વધુ એક મહિના લોકડાઉન કેમ લંબાવાયું ? જાણો મહત્વની વિગત

દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 86,821 કોવિડ-19 કેસ અને 1,181 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં થિયેટર, સ્વીમીંગ પૂલને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સીટિંગ કેપેસિટીની 50 ટકા ક્ષમતાથી આ ખોલી શકાશે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઓક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ, સિનેમાં હોલ માર્ચ મહિનાથી બંધ છે. હવે અનલોક 5માં શરતો સાથે તેમને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે.  અનલોક 5માં પણ દેશના કેટલાક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ રાજ્ય સરકારે 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે હોટલ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને બારને 5 ઓક્ટોબરથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  આ ઉપરાંત ડબ્બાવાળાને પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે તેમણે મુંબઈ પોલીસ પાસેથી ક્યૂઆર કોડ લેવો પડશે.  દેશમાં કોરોનાથી સૌથી વધારે સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના કેસની સંખ્યા 13,84,446 પર પહોંચી છે. જેમાંથી  2,59,033 એક્ટિવ કેસ છે. જ્યારે 10,88,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 36,662 લોકોના મોત થયા છે. તમિલનાડુએ દેશમાં 31 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જોકે આ લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે.  AIADMKના એક ટ્વિટમાં આ જાણકારી આપવામાં આવી હતી. જોક સરકારે લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત ચેન્નઈમાં એરપોર્ટ પર રોજની 100થી વધારે ફ્લાઇટને લેંડ થવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે, ફિલ્મ તથા સીરિયલ શૂટિંગમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. તમિલનાડુમાં કોરોનાના 46,281 એક્ટિવ કેસ છે. જ્યારે 5,36,209 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાથી 9453 લોકોના મોત થયા છે. દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 86,821 કોવિડ-19 કેસ અને 1,181 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 63,12,585 કેસ છે, જેમાંથી 9,40,705 એક્ટિવ કેસ છે અને 52,73,202 ડિસ્ચાર્જ થઈ ગયા છે. ભારતમાં કોરોનાથી 98,678 લોકોના મોત થઈ ચુક્યા છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget