શોધખોળ કરો

Maharashtra : મહારાષ્ટ્રના રાજકિય ગલિયારાઓમાં ભારે હલચલ, હવે CM શિંદેની ધમકી

Shiv Sena On Ajit Pawar Row: NCPના વરિષ્ઠ નેતા અજિત પવારના BJPમાં જવાની અટકળો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હવે આ મામલે શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

Shiv Sena On Ajit Pawar Row: NCPના વરિષ્ઠ નેતા અજિત પવારના BJPમાં જવાની અટકળો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હવે આ મામલે શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું હતું કે, જો અજિત પવાર એનસીપીના નેતાઓના જૂથ સાથે ભાજપ સાથે હાથ મિલાવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારનો ભાગ નહીં બને.

સંજય શિરસાટે મુંબઈમાં કહ્યું હતું કે, તેમને લાગે છે કે NCP સીધો ભાજપ સાથે હાથ ના મિલાવે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર છે. શિરસાટે કહ્યું હતું કે, અમારી રણનીતિ સ્પષ્ટ છે. એનસીપી એવી પાર્ટી છે જે છેતરપિંડી કરે છે. અમે તેમની સાથે મળીને શાસન કરી શકીએ નહીં. જો ભાજપ એનસીપી સાથે જાય તો મહારાષ્ટ્રને નહીં ગમે. અમે (ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનામાંથી) બહાર નીકળવાનું નક્કી કર્યું કારણ કે લોકોને અમારું કોંગ્રેસ અને એનસીપી સાથે રહેવાનું પસંદ ન હતું.

"તમે એકલા આવો તો તમારું સ્વાગત છે"

શિરસાટે કહ્યું હતું કે, અજિત પવારે કંઈ કહ્યું નથી. તેનો અર્થ એ છે કે તે NCPમાં રહેવા નથી માંગતા. શિવસેનાના નેતાએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસ અને એનસીપી છોડી દીધી કારણ કે અમે તેમની સાથે રહેવા નહોતા માંગતા. અજિત પવારને ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. તેથી જો તે NCP છોડશે તો અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ જો તેઓ એનસીપીના અન્ય નેતાઓ સાથે આવશે તો અમે સરકારનો ભાગ નહીં બનીએ.

"પુત્રની ચૂંટણીમાં હારથી ગુસ્સે"

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અજિત પવાર તેમના પુત્ર પાર્થ પવારની હારથી નારાજ છે. તેમની નારાજગીને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ શિવસેનાના 16 ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પાર્થ પવારને 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના માવલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

શિરસાતને તાજેતરમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અજિત પવારના સંપર્કમાં ન રહેવું એ નવી વાત નથી, પરંતુ તેમની નારાજગી, જે મીડિયા દ્વારા બતાવવામાં આવી રહી છે, તેને અમારા કેસ (સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ) સાથે કોઈ લેવાદેવા નથી. પુત્ર પાર્થ પવારની હારથી અજિત પવાર નારાજ છે.

2019ના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું હતું કે, નવેમ્બર 2019માં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ માટે અજિત પવારને જવાબદાર ગણવામાં આવ્યા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અઢી વર્ષ પછી શરદ પવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આ એક પ્રયોગ હતો. અજિત પવારે આજ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. નવેમ્બર 2019માં ગુપ્ત રીતે રચાયેલી દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકી હતી.

અજિત પવારે આ અટકળોને ફગાવી દીધી હતી

શિરસાટે કહ્યું હતુ કે, અજિત પવાર મોટા નેતા છે અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે તેઓ સરળતાથી કહી શકતા નથી. ભાજપ છોડવાની અફવાઓને ફગાવતા અજિત પવારે કહ્યું છે કે, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું મારી પાર્ટી માટે કામ કરતો રહીશ. એનસીપીમાં મતભેદો અને ભાજપ સાથે હાથ મિલાવવાના સમાચારમાં કોઈ સત્યતા નથી. અમે બધા (પાર્ટીના ધારાસભ્યો) NCP સાથે છીએ.
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget