શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વગર લાઉડસ્પીકર લગાવી શકાશે નહીં

પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

રાજ ઠાકરેની 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગે પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ ટૂંક સમયમાં આ અંગે મહારાષ્ટ્રના ડીજીપી સાથે બેઠક કરશે. પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાસિક પોલીસ પણ એક્શનમાં છે

બીજી તરફ, નાશિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે 3 મે સુધીમાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી લેવામાં આવે. પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

શું છે વિવાદ

તાજેતરમાં, MNS ચીફ રાજ ઠાકરેએ ખૂબ જ કડક વલણ અપનાવતા મહારાષ્ટ્ર સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ઈદ ત્રીજી મે ના રોજ છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગને વિનંતી છે કે અમને કોઈ રમખાણો નથી જોઈતા. કોઈ નફરત નથી જોઈતી. અમે મહારાષ્ટ્રની શાંતિને પણ જોખમમાં નાખવા માંગતા નથી. માત્ર 3 મે સુધીમાં તમામ મસ્જિદોના મૌલવીઓને બોલાવીને મસ્જિદોના લાઉડસ્પીકર ઉતારવા માટે કહેવામાં આવે.

NNS ચીફની આ ચેતવણી બાદ લાઉડસ્પીકર વિવાદે ધાર્મિક રંગ લઈ લીધો. અન્ય રાજ્યોમાં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરવામાં આવી હતી. મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો ભૂતકાળમાં પણ ચર્ચામાં રહ્યો છે. આ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

નિયમો અનુસાર, જાહેર સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા પહેલા વહીવટીતંત્રની લેખિત મંજૂરી લેવી જરૂરી છે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. જોકે બંધ સ્થળોએ વગાડી શકાય છે. જેમાં ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કોન્ફરન્સ હોલ અને બેન્ક્વેટ હોલનો સમાવેશ થાય છે. જો કે, જો રાજ્યો ઇચ્છે તો, તેઓ કેટલાક ખાસ પ્રસંગોએ આ માટે છૂટછાટ આપી શકે છે. તેઓ તેને 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી લંબાવી શકે છે. આ વર્ષમાં માત્ર 15 દિવસ જ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget