શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોઈપણ ધાર્મિક સ્થળ પર પરવાનગી વગર લાઉડસ્પીકર લગાવી શકાશે નહીં

પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

રાજ ઠાકરેની 3 મે પછી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગે પરવાનગી વિના કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે હવે લાઉડ સ્પીકર લગાવવા માટે પોલીસની પરવાનગી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ ટૂંક સમયમાં આ અંગે મહારાષ્ટ્રના ડીજીપી સાથે બેઠક કરશે. પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નાસિક પોલીસ પણ એક્શનમાં છે

બીજી તરફ, નાશિક પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે 3 મે સુધીમાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી લેવામાં આવે. પરવાનગી વગર લાઉડ સ્પીકર જોવા મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

શું છે વિવાદ

તાજેતરમાં, MNS ચીફ રાજ ઠાકરેએ ખૂબ જ કડક વલણ અપનાવતા મહારાષ્ટ્ર સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે, 'ઈદ ત્રીજી મે ના રોજ છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગને વિનંતી છે કે અમને કોઈ રમખાણો નથી જોઈતા. કોઈ નફરત નથી જોઈતી. અમે મહારાષ્ટ્રની શાંતિને પણ જોખમમાં નાખવા માંગતા નથી. માત્ર 3 મે સુધીમાં તમામ મસ્જિદોના મૌલવીઓને બોલાવીને મસ્જિદોના લાઉડસ્પીકર ઉતારવા માટે કહેવામાં આવે.

NNS ચીફની આ ચેતવણી બાદ લાઉડસ્પીકર વિવાદે ધાર્મિક રંગ લઈ લીધો. અન્ય રાજ્યોમાં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરવામાં આવી હતી. મસ્જિદોમાં લાઉડસ્પીકરનો મુદ્દો ભૂતકાળમાં પણ ચર્ચામાં રહ્યો છે. આ અંગે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

નિયમો અનુસાર, જાહેર સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા પહેલા વહીવટીતંત્રની લેખિત મંજૂરી લેવી જરૂરી છે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. જોકે બંધ સ્થળોએ વગાડી શકાય છે. જેમાં ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કોન્ફરન્સ હોલ અને બેન્ક્વેટ હોલનો સમાવેશ થાય છે. જો કે, જો રાજ્યો ઇચ્છે તો, તેઓ કેટલાક ખાસ પ્રસંગોએ આ માટે છૂટછાટ આપી શકે છે. તેઓ તેને 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી લંબાવી શકે છે. આ વર્ષમાં માત્ર 15 દિવસ જ કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Sabarkantha Politics । સાબરકાંઠા બેઠક પર ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસJunagadh Politics । કેશોદમાં ભાજપના નેતાઓ સામે આચારસંહિતા ભંગના આરોપ સામે નોંધાઈ ફરિયાદPolitics News । શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સાબરકાંઠા ભાજપ  ઉમેદવાર શોભના બારૈયાને આપી શુભેચ્છાAmreli News । બાબરામાંથી પ્રતીક ગોંડલીયા નામનો બોગસ તબીબ ઝડપાયો, જુઓ શું છે સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
Embed widget