શોધખોળ કરો

Border Dispute: મહારાષ્ટ્ર-કર્ણાટક સામસામે, લાલઘુમ CM બસવરાજ બોમાઈએ કહ્યું કે...

સીએમ બસવરાજ બોમાઈએ કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને હારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવની ટીકા કરી છે. બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, તેઓ અમને વિભાજિત કરી રહ્યા છે.

Maharashtra-Karnataka Border Dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટકને લઈને ચાલી રહેલો સીમા વિવાદ અટકવાના બદલે દિન પ્રતિદિન વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં સરહદને લઈને પસાર કરવામાં આવેલા ઠરાવને લઈને કર્ણાટકના મુખ્યમંત્રીએ હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના રાજ્યની એક ઈંચ પણ ના આપવાની વાત કહી હતી. 

સીએમ બસવરાજ બોમાઈએ કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને હારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવની ટીકા કરી છે. બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, તેઓ અમને વિભાજિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના બે ગૃહો (વિધાન સભા અને વિધાન પરિષદ) એ આજે કર્ણાટક અને દક્ષિણના સરહદી વિસ્તારોમાં રહેતા મરાઠી લોકો સાથે વધતા જતા સરહદ વિવાદ વચ્ચે પડોશી રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને રાજ્ય સાથે મર્જ કરવા માટે કાયદેસર રીતે આગળ વધવા માટે મતદાન કર્યું હતું. કેન્દ્રને લોકોની સુરક્ષાની બાંયધરી આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ અમને ઉશ્કેરીને અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેની નિંદા કરીએ છીએ. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને કર્ણાટક)ના લોકો સુમેળમાં સાથે રહે છે.

'એક ઇંચ પણ જમીન નહીં દઈએ'

મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજનીતિ કરી રહ્યું છે. આ માત્ર નાટક કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન નહીં આપે. અમે કન્નડ લોકોના હિતમાં કામ કરવાનું યથાવત રાખીશું. આ ઉપરાંત તેમણે સવાલ કર્યો હતો કે, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે તો પછી તેઓ ઠરાવ કેમ પસાર કરી રહ્યા છે? અમને કોર્ટમાં વિશ્વાસ છે.

કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, અમારો પ્રસ્તાવ મહારાષ્ટ્રથી અલગ છે. અમે કોઈને જમીન લેવાનું નથી કહ્યું પણ તેઓ અમારી જમીન લેવા માગે છે. આ સમગ્ર મામલે રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે.

શું છે મામલો?

મહારાષ્ટ્ર બેલાગવી પર દાવો કરે છે, જે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. કારણ કે ત્યાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી લોકો રહે છે. મહારાષ્ટ્ર દ્વારા કર્ણાટકમાં 800થી વધુ મરાઠી ભાષી ગામોનો પણ દાવો કરે છે. કર્ણાટકનું કહેવું છે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અને 1967 મહાજન કમિશનના અહેવાલ મુજબ ભાષાકીય ધોરણે સીમાંકન કરવામાં આવ્યું હતું, જે અંતિમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget