શોધખોળ કરો

'સુંદર છોકરીઓ ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન નથી કરતી',જાણો કોણે આપ્યું આ વિવાદિત નિવેદન

'એક સુંદર છોકરી મારા અને તમારા જેવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે આવી છોકરીઓ નોકરી કરતો પતિ પસંદ કરે છે'

મહારાષ્ટ્રના વરુડ-મોર્શીથી અપક્ષ ધારાસભ્ય દેવેન્દ્ર ભુયારે તાજેતરમાં એક નિવેદન આપ્યું છે, જે હવે વિવાદનો વિષય બની ગયું છે. બુધવારે એક કાર્યક્રમમાં બોલતા ભુયારે કહ્યું કે "સુંદર છોકરીઓ ખેડૂતોના પુત્રો સાથે લગ્ન કરતી નથી," કારણ કે તેઓ એવા પુરુષોને પસંદ કરે છે જેમની પાસે કાયમી નોકરી હોય. ભુયાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું સમર્થન કરે છે અને તેમણે તેમના વિસ્તાર વરુડ તાલુકામાં ખેડૂતોની સમસ્યાઓ પર બોલતા આ નિવેદન આપ્યું હતું.

સભાને સંબોધતા ભુયારે કહ્યું હતું કે, એક સુંદર છોકરી મારા અને તમારા જેવા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે આવી છોકરીઓ નોકરી કરતો પતિ પસંદ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જે છોકરીઓ બીજા નંબર પર છે એટલે કે થોડી સુંદર લાગે છે તે કોઇ એવા વ્યક્તિને પસંદ કરે છે જે કરિયાણા કે પાનની દુકાન ચલાવતો હો. તેમણે કહ્યું હતુ કે ત્રીજા નંબરની છોકરીઓ એક ખેડૂતના દીકરા સાથે લગ્ન કરશે. જે છોકરીઓ ઓછી સુંદર છે તે ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરશે. આ પ્રકારના લગ્નથી થતા બાળકોનો દેખાવ પણ સામાન્ય હોય છે.

આ નિવેદન બાદ સમાજના અનેક વર્ગો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી છે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુરે ભુયારના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, "અજિત પવાર અને સત્તામાં રહેલા લોકોએ તેમના ધારાસભ્યોને નિયંત્રિત કરવા જોઈએ. મહિલાઓ પ્રત્યે આવી અપમાનજનક ભાષાને સહન કરવામાં આવશે નહીં. સમાજ તેનો સખત જવાબ આપશે."

આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું સમાજમાં મહિલાઓ અને ખેડૂતો પ્રત્યેના આવા વિચારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમાજને આગળ વધવા માટે એ જરૂરી છે કે આપણે આવી માનસિકતાને પડકારીએ અને દરેક પ્રત્યે સમાન આદર અને સન્માન કરીએ.                                    

Dahod: દાહોદ દૂષ્કર્મ કેસમાં તપાસ તેજ, પોલીસે કોર્ટમાં દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget