શોધખોળ કરો

Maharashtra: ઔરંગઝેબના નામે કોલ્હાપુરમાં હિંસા, 36ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ

Maharashtra Kolhapur Violence: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા સંદર્ભે કુલ 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 સગીર છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Kolhapur Violence: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા પછી પોલીસ કાર્યવાહી ચાલુ છે. પોલીસે કુલ 36 લોકોની ધરપકડ કરી છે અને તેમાંથી બે સગીર છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તાજેતરની ઘટના અંગે કોઈપણ પ્રકારની અફવાઓને રોકવા માટે કલમ 144 પણ લાગુ કરી છે.

ઔરંગઝેબના નામે કોલ્હાપુરમાં હિંસા

આ સિવાય કોલ્હાપુર પોલીસે ઔરંગઝેબનું સ્ટેટસ સોશિયલ મીડિયા પર રાખવાના મામલે 2 FIR નોંધી હતી. આ બંને એફઆઈઆરમાં કુલ 5 સગીરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જુવેનાઈલ હોમમાં મોકલી દેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં હિંસા કેમ ફાટી નીકળી?

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે (6 જૂન) કેટલાક યુવકોએ ઔરંગઝેબના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. બીજા દિવસે કેટલાક સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા સ્ટેટસ તરીકે ટીપુ સુલતાનની તસવીર સાથે કથિત રીતે વાંધાજનક ઓડિયો મેસેજ પોસ્ટ કર્યા હતા. આ પછી બુધવારે આસપાસના વિસ્તારના રાજકીય અને સામાજિક સંગઠનો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન કોઈએ ભીડ પર પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી.

36ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં જ્યારે લોકો વિરોધ પ્રદર્શન કર્યા પછી તેમના ઘરે પાછા જઈ રહ્યા હતા, ત્યારે કથિત રીતે અસામાજિક તત્વોએ તેમના પર પથ્થરમારો કર્યો, જેના પછી વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. અહમદનગર જિલ્લાના એસપીએ જણાવ્યું કે આવી જ ઘટના કોલ્હાપુરમાં પણ બની હતી, જેમાં વિરોધ દરમિયાન પથ્થરમારો થયો હતો, અમે આ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હિંસાની સંભાવનાને જોતા અમે સાવચેતીના પગલા તરીકે અનામત પોલીસ દળની પણ માંગ કરી છે.

 

પોલીસ અધિકારીએ કહ્યું કે 19 જૂન સુધી આ મામલે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને અમે અહીં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
Embed widget