શોધખોળ કરો

ધાર્મિક સ્થળો ખોલવા મામલે શિવસેનાએ સામનામાં રાજ્યપાલને આડેહાથે લીધા, કહ્યુ- પોતાની મર્યાદા ભુલી ગયા...

ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે

મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપની વચ્ચે ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે. શિવસેનાએ લખ્યું- બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને બીજેપીની જેમ પ્રસવ પીડા થઇ રહી છે. શિવસેનાએ સામનામાં લખ્યું- રાજ્યપાલના પદ પર આસીન થયેલા વ્યક્તિને કેવો વ્યવહાર કરવો જોઇએ, એ ભગતસિંહ કોશ્યારીએ બતાવી દીધુ છે. શ્રીમાન કોશ્યારી ક્યારેય સંઘના પ્રચારક કે બીજેપીના નેતા રહ્યા હશે. પરંતુ આજે તે મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યના રાજ્યપાલ છે. લાગે છે કે તે આ વાતને પોતાની સુવિધાઓ અનુસાર ભુલી ગયા છે. મહારાષ્ટ્રના બીજેપીના નેતા રોજ સવારે સરકારની બદનામી કરવાનુ અભિયાન શરુ કરે છે. અહીં સમજી શકાય છે, પરંતુ આ અભિયાનનો કીચડ રાજ્યપાલ પોતાની ઉપર કેમ ઉડાવી લે છે. બીજેપી મહારાષ્ટ્રમા સત્તા ગુમાવી ચૂકી છે. આ મોટી પીડા છે. પરંતુ આનાથી થઇ રહેલા પેટદર્દ પર રાજ્યપાલ દ્વારા હંમેશા લેપ લગાવવાનો કોઇ અર્થ નથી. આ પીડા આગામી ચાર વર્ષ સુધી તો રહેવાની જ છે. પરંતુ બીજેપીનુ પેટ દુઃખી રહ્યું છે, એટલે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ પ્રસવ પીડા થઇ ગઇ. આ બરાબર છે, પરંતુ આ પ્રસવ પીડાનો મુખ્યમંત્રી ઠાકેરેએ ઉપચાર કર્યો છે. સામનામાં આગળ લખ્યુ છે- રાજ્યપાલના પદ પર બઠેલો વૃદ્ધ માણસ પોતાની મર્યાદા ઓળંગીને વ્યવહાર કરે તો શું થાય. આનો સબક દેશના તમામ રાજ્યપાલોએ લઇ લીધો છે. રાજ્યના મંદિરોને ખોલવા માટે બીજેપીએ આંદોલન શરૂ કર્યુ છે. તે રાજકીય આંદોલનમાં રાજ્યપાલને સહભાગી થવાની આવશ્યકતા નથી. જ્યારે આ આંદોલન શરુ હતુ ત્યારે ટાઇમિંગ સાધતા માનનીય રાજ્યપાલને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને એક પત્ર લખ્યો - તે પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચવાની યાત્રા દરમિયાન જ અખબારો સુધી પહોંચી ગયો. રાજ્યમાં બાર અને રેસ્ટૉરન્ટ શરૂ થઇ ગયા છે. પરંતુ પ્રાર્થના સ્થળ કેમ બંધ છે.તમે અચાનક સેક્યૂલર કેમ થઇ ગયા છો, આવો જવાબ રાજ્યપાલે પુછ્યો, આના પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રાજ્યપાલની ધોતી જ પકડી લીધી અને રાજભવનને હલાવીને મુકી દીધુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget