શોધખોળ કરો

કોંગ્રેસમાં મોટા ફેરફાર, જાણો કોનું કદ વધ્યું અને કોનું કદ ઘટ્યું

આ ફેરફારને લઈને કોંગ્રેસમાં બે મત છે. એક પક્ષ એવું માને છે કે, પત્ર લખનારા નેતાઓનું કદ ઘટાડવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીના નજીકનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ કોગ્રેસે અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના મહાસચિવો અને પ્રભારીઓની નવી યાદી જાહેર કરી હતી. આ નવી યાદીમાં મહાસચિવના પદ પરથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જૂન ખડગેને હટાવવામાં આવ્યા છે. જોકે, તેમની સાથે સાથે અંબિકા સોની, મોતીલાલ વોરા અને લુજેનિયો ફલેરિયોને પણ તેમના પદ પરથી હટાવ્યા હતા. કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને કોગ્રેસ વર્કિંગ કમિટીનું પુનઃગઠન કર્યું. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જૂન ખડગેને મહાસચિવના પદ પરથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને સંગઠનાત્મક ફેરફાર માટે પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ આઝાદને મહાસચિવના પદ પરથી હટાવાની સાથે સીડબલ્યૂસીમાં સ્થાન આપ્યું છે. 24 ઓગસ્ટના રોજ CWC ની બેઠકમા બનેલી સહમતિ અનુસાર છ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ પાર્ટીના સંગઠન અને કામકાજ સંબંધિત મામલામાં સોનિયા ગાંધીને સહયોગ કરશે. આ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા સામેલ છે. સુરજેવાલા અને તારિક અનવરને પાર્ટીના નવા મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે. ફેરફારને લઈને કોંગ્રેસમાં બે મત આ ફેરફારને લઈને કોંગ્રેસમાં બે મત છે. એક પક્ષ એવું માને છે કે, પત્ર લખનારા નેતાઓનું કદ ઘટાડવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીના નજીકનાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ મુદ્દો વધારે ચર્ચામાં છે. જ્યારે બીજો મત એ છે કે સોનિય ગાંધીએ બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કર્યો છે અને પત્ર લખનાર ગ્રુપના દબાણમાં જ જૂના અટવાયેલા નિર્ણયો એક જ ઝાટકે લેવામાં આવ્યા. તેમના મતે રાહુલની પસંદને પ્રાથમિકતા મળવી વાજબી છે પરંતુ કોઈપણ ચોંકાવનારો નિર્ણય લેવામાં નથી આવ્યો. સત્ય બન્નેની વચ્ચે છે. કેટલાક વૃદ્ધ નેતાઓને જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મોતીલાલ વોરા, લુઇજિન્હો ફ્લેરિયો વગેરેને મહાસચિવ પદેથી હટાવવામાં આવ્યા છે. તેને પત્ર લખનાર ગ્રુપના સૌથી મોટા ચેહરા ગુલામ નબી આઝાદ પર કાર્રવાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ આ તમામ વૃદ્ધ નેતાઓને તેની ઉંમરને કારણએ જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે. કેટલાક નેતાઓએ તો આ મામલે ખુદ જ પાર્ટી હાઈકમાન્ડને આગ્રહ કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
Goa nightclub fire: ગોવા અગ્નિકાંડ પર મોટા સમાચાર, ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Gandhinagar: રાજ્યમાં વધુ 11 તાલુકા વિકાસશીલ જાહેર,  વિકાસ કામો માટે મળશે ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ 
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં મચાવશે ધૂમ, આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
Embed widget