શોધખોળ કરો

Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું

Manipur Free Traffic Movement: પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 25 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. જ્યારે પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, ત્યારે પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા.

Manipur Free Traffic Movement: શનિવારે (8 માર્ચ, 2025) મણિપુરના કાંગપોક્પી જિલ્લાના વિવિધ ભાગોમાં કુકી પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું જ્યારે મહિલાઓ સહિત 25 અન્ય ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ લાલગૌથાંગ સિંગસિત તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે 30 વર્ષીય સિંગસિતને કીથેલમેનબીમાં અથડામણ દરમિયાન ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું.

 કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ

પોલીસે જણાવ્યું હતું કે ગામગીફાઈ, મોટબુંગ અને કીથેલમાનબીમાં સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 25 પ્રદર્શનકારીઓને વિવિધ ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે નજીકના જાહેર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યભરમાં લોકોને મુક્ત રીતે અવરજવર કરવાની મંજૂરી આપવાના નિર્દેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો, જેના કારણે કુકી-પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

મણિપુરમાં પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પ્રદર્શનકારીઓએ ખાનગી વાહનોને આગ ચાંપી દીધી અને ઇમ્ફાલથી સેનાપતિ જિલ્લામાં જતી રાજ્ય પરિવહન બસને રોકવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH)-2 (ઇમ્ફાલ-દિમાપુર ધોરીમાર્ગ) પણ બ્લોક કરી દીધો હતો અને સરકારી વાહનોની અવરજવરને અટકાવવા માટે ટાયરો બાળ્યા હતા. રાષ્ટ્રીય રાજમાર્ગ-2 ની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ વિરોધ ફેડરેશન ઓફ સિવિલ સોસાયટી (FOCS) દ્વારા આયોજિત શાંતિ કૂચનો પણ વિરોધ હતો. FOCS એ Meitei સંસ્થા છે. આ શાંતિ કૂચ કાંગપોક્પી જિલ્લામાં પહોંચે તે પહેલાં જ સેકમાઈ ખાતે સુરક્ષા દળો દ્વારા અટકાવવામાં આવી હતી. આ કૂચમાં 10 થી વધુ વાહનો સામેલ હતા.

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર પોસ્ટ કર્યું, "ગૃહમંત્રી અમિત શાહના આદેશ પછી આજે મણિપુરમાં રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. રસ્તાઓ ખોલતાની સાથે જ મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી. હિંસામાં એક યુવકના મોતના સમાચાર છે. તે જ સમયે, મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મોદી સરકારે લગભગ 2 વર્ષ માટે મણિપુરને પોતાના હાલ પર છોડી દીધું હતું. અંતે, વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવના દબાણ હેઠળ, રાજ્યની ભાજપ સરકારને બરતરફ કરવામાં આવી અને હવે અમિત શાહને મણિપુર તરફ નજર રાખવાની ફરજ પડી છે, પરંતુ સરકારે તેમાં એટલી વિલંબ કર્યો છે કે હવે પરિસ્થિતિ તેના નિયંત્રણમાં નથી."

અમે ફક્ત આદેશોનું પાલન કરી રહ્યા છીએ - પોલીસ

કોંગ્રેસે કહ્યું, "અમારી અપીલ છે કે મણિપુરના લોકો શાંતિ જાળવી રાખે. રાજ્યને હવે હિંસાના આ ખરાબ તબક્કામાંથી આગળ વધવું પડશે." પોલીસે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારીઓ પાસે પરવાનગી ન હોવાથી તેમને કૂચ રોકવા માટે કહેવામાં આવ્યું હતું. એક પોલીસકર્મીએ કહ્યું, “અમે ફક્ત આદેશોનું પાલન કરી રહ્યા છીએ. અમને કૂચ રોકવા માટે કહેવામાં આવ્યું છે. જો તેઓ જવા માંગતા હોય, તો તેઓ બસોમાં જઈ શકે છે જેની વ્યવસ્થા સરકાર કરશે." જોકે, FOCS સભ્યોએ વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ શનિવારથી રાજ્યભરમાં મુક્ત અવરજવરની મંજૂરી આપતા ગૃહમંત્રીના નિર્દેશનું જ પાલન કરી રહ્યા છે.

આ પણ વાંચો...

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget