શોધખોળ કરો

Maratha Reservation: હાઈકોર્ટે મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવાના આપ્યા આદેશ, CM ફડણવીસ શું બોલ્યા?

બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે.

મુંબઈ:  બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે અને વિરોધ શાંતિપૂર્ણ નથી અને બધી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો અને જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર બપોર સુધીમાં પરિસ્થિતિ સુધારવા અને તમામ રસ્તાઓ ખાલી કરવાની તક આપી હતી.

મનોજ જરાંગે ક્યાં વિરોધ કરી રહ્યા છે?

મનોજ જરાંગે 29 ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ આંદોલન માટે નિયુક્ત સ્થળ આઝાદ મેદાનમાં રોકાયા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને અવરોધિત કર્યા છે.

મનોજ જરાંગે શા માટે વિરોધ કરી રહ્યા છે?

તેઓ મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણી હેઠળ  10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ મરાઠાઓ માટે 'કુણબી' દરજ્જાની માંગ કરી રહ્યા છે જેથી સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ અનામતનો લાભ મળી શકે. તેમના સમર્થકોએ દાવો કર્યો હતો કે જરાંગે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.

હાઈકોર્ટે શું કહ્યું ?

કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચર્ચગેટ રેલ્વે સ્ટેશન, મરીન ડ્રાઇવ અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ એકઠા થયા છે. કોર્ટે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ નથી. જરાંગે અને અન્ય પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનને મંજૂરી આપતી વખતે નક્કી કરેલી દરેક શરતનું ઉલ્લંઘન કર્યું છે. બેન્ચે કહ્યું, 'અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરાવવાની તક આપી રહ્યા છીએ.'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેની આગેવાની હેઠળ ચાલી રહેલા પ્રદર્શન પર વહીવટીતંત્ર મુંબઈ હાઈકોર્ટના નિર્દેશોનો અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત મુદ્દાને ઉકેલવા માટે શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે.

મનોજ જરાંગેએ ચેતવણી આપી

મનોજ જરાંગે ચેતવણી આપી હતી કે જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમુદાયની અનામત માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે. જરાંગેએ  આંદોલનકારીઓને પણ કહ્યું કે તેઓ ખાતરી કરે કે મુંબઈના લોકોને તેમના કારણે અસુવિધા ન થાય.

જામ ક્યાં હતો?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાં આંદોલનકારીઓ એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને અસુવિધા થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget