શોધખોળ કરો

Maratha Reservation: હાઈકોર્ટે મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવાના આપ્યા આદેશ, CM ફડણવીસ શું બોલ્યા?

બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે.

મુંબઈ:  બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે અને વિરોધ શાંતિપૂર્ણ નથી અને બધી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો અને જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર બપોર સુધીમાં પરિસ્થિતિ સુધારવા અને તમામ રસ્તાઓ ખાલી કરવાની તક આપી હતી.

મનોજ જરાંગે ક્યાં વિરોધ કરી રહ્યા છે?

મનોજ જરાંગે 29 ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ આંદોલન માટે નિયુક્ત સ્થળ આઝાદ મેદાનમાં રોકાયા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને અવરોધિત કર્યા છે.

મનોજ જરાંગે શા માટે વિરોધ કરી રહ્યા છે?

તેઓ મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણી હેઠળ  10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ મરાઠાઓ માટે 'કુણબી' દરજ્જાની માંગ કરી રહ્યા છે જેથી સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ અનામતનો લાભ મળી શકે. તેમના સમર્થકોએ દાવો કર્યો હતો કે જરાંગે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.

હાઈકોર્ટે શું કહ્યું ?

કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચર્ચગેટ રેલ્વે સ્ટેશન, મરીન ડ્રાઇવ અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ એકઠા થયા છે. કોર્ટે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ નથી. જરાંગે અને અન્ય પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનને મંજૂરી આપતી વખતે નક્કી કરેલી દરેક શરતનું ઉલ્લંઘન કર્યું છે. બેન્ચે કહ્યું, 'અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરાવવાની તક આપી રહ્યા છીએ.'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેની આગેવાની હેઠળ ચાલી રહેલા પ્રદર્શન પર વહીવટીતંત્ર મુંબઈ હાઈકોર્ટના નિર્દેશોનો અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત મુદ્દાને ઉકેલવા માટે શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે.

મનોજ જરાંગેએ ચેતવણી આપી

મનોજ જરાંગે ચેતવણી આપી હતી કે જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમુદાયની અનામત માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે. જરાંગેએ  આંદોલનકારીઓને પણ કહ્યું કે તેઓ ખાતરી કરે કે મુંબઈના લોકોને તેમના કારણે અસુવિધા ન થાય.

જામ ક્યાં હતો?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાં આંદોલનકારીઓ એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને અસુવિધા થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Embed widget