શોધખોળ કરો

Maratha Reservation: હાઈકોર્ટે મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવાના આપ્યા આદેશ, CM ફડણવીસ શું બોલ્યા?

બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે.

મુંબઈ:  બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે અને વિરોધ શાંતિપૂર્ણ નથી અને બધી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો અને જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર બપોર સુધીમાં પરિસ્થિતિ સુધારવા અને તમામ રસ્તાઓ ખાલી કરવાની તક આપી હતી.

મનોજ જરાંગે ક્યાં વિરોધ કરી રહ્યા છે?

મનોજ જરાંગે 29 ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ આંદોલન માટે નિયુક્ત સ્થળ આઝાદ મેદાનમાં રોકાયા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને અવરોધિત કર્યા છે.

મનોજ જરાંગે શા માટે વિરોધ કરી રહ્યા છે?

તેઓ મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણી હેઠળ  10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ મરાઠાઓ માટે 'કુણબી' દરજ્જાની માંગ કરી રહ્યા છે જેથી સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ અનામતનો લાભ મળી શકે. તેમના સમર્થકોએ દાવો કર્યો હતો કે જરાંગે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.

હાઈકોર્ટે શું કહ્યું ?

કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચર્ચગેટ રેલ્વે સ્ટેશન, મરીન ડ્રાઇવ અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ એકઠા થયા છે. કોર્ટે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ નથી. જરાંગે અને અન્ય પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનને મંજૂરી આપતી વખતે નક્કી કરેલી દરેક શરતનું ઉલ્લંઘન કર્યું છે. બેન્ચે કહ્યું, 'અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરાવવાની તક આપી રહ્યા છીએ.'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેની આગેવાની હેઠળ ચાલી રહેલા પ્રદર્શન પર વહીવટીતંત્ર મુંબઈ હાઈકોર્ટના નિર્દેશોનો અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત મુદ્દાને ઉકેલવા માટે શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે.

મનોજ જરાંગેએ ચેતવણી આપી

મનોજ જરાંગે ચેતવણી આપી હતી કે જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમુદાયની અનામત માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે. જરાંગેએ  આંદોલનકારીઓને પણ કહ્યું કે તેઓ ખાતરી કરે કે મુંબઈના લોકોને તેમના કારણે અસુવિધા ન થાય.

જામ ક્યાં હતો?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાં આંદોલનકારીઓ એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને અસુવિધા થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget