શોધખોળ કરો

Maratha Reservation: હાઈકોર્ટે મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવાના આપ્યા આદેશ, CM ફડણવીસ શું બોલ્યા?

બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે.

મુંબઈ:  બોમ્બે હાઈકોર્ટે સોમવારે (1 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર ઠપ્પ થઈ ગયું છે અને વિરોધ શાંતિપૂર્ણ નથી અને બધી શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો અને જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર બપોર સુધીમાં પરિસ્થિતિ સુધારવા અને તમામ રસ્તાઓ ખાલી કરવાની તક આપી હતી.

મનોજ જરાંગે ક્યાં વિરોધ કરી રહ્યા છે?

મનોજ જરાંગે 29 ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર છે. ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની બેન્ચે એક ખાસ સુનાવણીમાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ આંદોલન માટે નિયુક્ત સ્થળ આઝાદ મેદાનમાં રોકાયા નથી અને દક્ષિણ મુંબઈના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોને અવરોધિત કર્યા છે.

મનોજ જરાંગે શા માટે વિરોધ કરી રહ્યા છે?

તેઓ મરાઠા સમુદાય માટે અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણી હેઠળ  10 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ મરાઠાઓ માટે 'કુણબી' દરજ્જાની માંગ કરી રહ્યા છે જેથી સમુદાયને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ અનામતનો લાભ મળી શકે. તેમના સમર્થકોએ દાવો કર્યો હતો કે જરાંગે સોમવારથી પાણી પીવાનું બંધ કરી દીધું છે.

હાઈકોર્ટે શું કહ્યું ?

કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને ચર્ચગેટ રેલ્વે સ્ટેશન, મરીન ડ્રાઇવ અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ એકઠા થયા છે. કોર્ટે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ નથી. જરાંગે અને અન્ય પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનને મંજૂરી આપતી વખતે નક્કી કરેલી દરેક શરતનું ઉલ્લંઘન કર્યું છે. બેન્ચે કહ્યું, 'અમે જરાંગે અને તેમના સમર્થકોને તાત્કાલિક પરિસ્થિતિ સુધારવા અને મંગળવાર બપોર સુધીમાં રસ્તાઓ ખાલી કરાવવાની તક આપી રહ્યા છીએ.'

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેની આગેવાની હેઠળ ચાલી રહેલા પ્રદર્શન પર વહીવટીતંત્ર મુંબઈ હાઈકોર્ટના નિર્દેશોનો અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત મુદ્દાને ઉકેલવા માટે શક્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહી છે.

મનોજ જરાંગેએ ચેતવણી આપી

મનોજ જરાંગે ચેતવણી આપી હતી કે જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમુદાયની અનામત માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે. જરાંગેએ  આંદોલનકારીઓને પણ કહ્યું કે તેઓ ખાતરી કરે કે મુંબઈના લોકોને તેમના કારણે અસુવિધા ન થાય.

જામ ક્યાં હતો?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દક્ષિણ મુંબઈના અન્ય વિસ્તારોમાં આંદોલનકારીઓ એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને મુસાફરોને અસુવિધા થઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget