શોધખોળ કરો

માયાવતીએ કરી મોટી જાહેરાત, હવે ક્યારેય કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની ભાવિ યોજનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાતો કહી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં બસપાના વોટ સહયોગી પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વોટને બસપામાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા ન હોવાને કારણે પાર્ટીને અપેક્ષા મુજબનું પરિણામ મળી રહ્યું નથી. ચૂંટણીના પરિણામોને કારણે કેડરને નિરાશા અને આંદોલનને નુકસાનથી બચાવવા જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને અગાઉની પંજાબની ચૂંટણીના કડવા અનુભવને ધ્યાનમાં રાખીને આજે હરિયાણા અને પંજાબની સમીક્ષા બેઠકમાં પ્રાદેશિક પક્ષો સાથે વધુ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ભાજપ/એનડીએ અને કોંગ્રેસ/ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે.

માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની એકમાત્ર પ્રતિષ્ઠિત આંબેડકરવાદી પાર્ટી બસપાને આત્મ સન્માન  અને સ્વાભિમાન મૂવમેન્ટને દરેક રીતે નબળી પાડવાના જ્ઞાતિવાદી પ્રયાસો ચાલુ છે, જેથી કરીને સ્વયં ઉદ્ધાર કરવા માટે અને શાસક બનવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રાખવી જરુરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે બસપા તમામ પક્ષો/સંગઠનો અને તેમના સ્વાર્થી નેતાઓને એક કરવા માટેનું આંદોલન નથી, પરંતુ બહુજન સમાજનના અંગોને પરસ્પર ભાઈચારા અને સહકારના બળ પર એક કરવા અને રાજકીય શક્તિ બનાવવા અને તેમને શાસક વર્ગ બનાવવાનું આંદોલન છે. 

બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ શુક્રવારે ગઠબંધનને લઈને મોટો નિર્ણય લીધો છે. બસપાના વડાએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી ભવિષ્યમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અને પંજાબની અગાઉની ચૂંટણીના કડવા અનુભવને જોતા હવે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન નહીં થાય. જ્યારે NDA અને ઈન્ડિયા ગઠબંધનથી અંતર પહેલાની જેમ જ યથાવત રહેશે. માયાવતીએ સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.  

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
તમિલનાડુમાં મોટી ટ્રેન દુર્ઘટના! માલગાડી સાથે અથડાઈ બાગમતી એક્સપ્રેસ, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ બન્યો વાઈસ કેપ્ટન
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
આ ફાસ્ટ બોલરને મોટો ઝટકો, ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી બહાર કર્યો
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Embed widget