શોધખોળ કરો

મુંબઇમાં લોકડાઉનના ડરે કામદારો ભાગવા માંડ્યા, સ્ટેશન પર હજારોની ભીડ થતા પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ થઇ રહી છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં  નોંધાઇ રહ્યા છે

મુંબઇઃ દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ થઇ રહી છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં  નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને  મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને જોઇને મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે  પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. ગુરુવારની રાત્રે મુંબઇ રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં કામદારો પોતાનો સામાન લઇને એકઠા થયા હતા. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા.તમામનો પ્રયાસ હતો કે તેમને જલદી ટિકિટ મળી જાય અને તેઓ  પોતાના ઘરે પહોંચી જાય

વધતા કોરોનાના કારણે જો મુંબઇમાં લૉકડાઉન લાગી જશે તો તેઓ ભૂખ્યા મરી જશે એવા ડરના કારણે લૉકડાઉન પહેલા પોત પોતાના ગામડે પહોચી જઇએ તેવા પ્રયાસમાં મજૂરો પલાયન કરી રહ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 હજારથી વધારે કેસ મળ્યા છે. એવામાં લૉકડાઉનની આશંકાથી પ્રવાસી મજૂર ડરેલા છે.

સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે . ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટવા લાગી હતી .

મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 20,181 કોરોનાના  કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ  મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 79,260 થઇ ગઇ છે. શહેરની હોસ્પિટલમાં 16 ટકા બેડ દર્દીઓથી ફૂલ થઇ ગયા છે. જ્યારે 500થી વધુ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે.  જ્યારે કોરોનાથી સંક્રમિત 2437 ગુરુવારે સ્વસ્થ થયા હતા.

બીએમસીના કહેવા અનુસાર મુંબઇની ધારાવીમાં ગુરુવારે 107 નવા કોરોનાના દર્દીઓ  નોંધાયા છે. હવે ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7626 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં એક્ટિવ કેસની સંખ્યાવધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget