શોધખોળ કરો

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

પૂર્વ ગોદાવરી જિલ્લામાં દૂધમાં 'ઇથિલિન ગ્લાયકોલ' નામનું ઝેર ભળતાં સર્જાઈ મોટી દુર્ઘટના; 20 લોકો હોસ્પિટલમાં દાખલ, જેમાંથી 3 ની હાલત હજુ ગંભીર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભેળસેળવાળું દૂધ પીવાથી આંધ્રપ્રદેશમાં ૧૬ લોકોના મૃત્યુ.
  • દૂધમાં 'ઇથિલિન ગ્લાયકોલ' ઝેર ભળવાથી કિડની ફેલ.
  • સ્થાનિક ડેરીમાંથી સપ્લાય થતા દૂધમાં હતું ઝેરી તત્વ.
  • પોલીસે ગુનો નોંધી દૂધ વેચનારની અટકાયત કરી.

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં ભેળસેળવાળું દૂધ પીવાને કારણે 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 16 ફેબ્રુઆરીથી 21 માર્ચ વચ્ચે સ્થાનિક ડેરીમાંથી આવતું આ ઝેરી દૂધ પીધા પછી લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાં 'ઇથિલિન ગ્લાયકોલ' નામનું ખતરનાક ઝેરી કેમિકલ ભળેલું હતું, જેનાથી લોકોની કિડની ફેલ થઈ ગઈ અને ધીમે ધીમે શરીરના અન્ય અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું. કુલ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 લોકોનાં મોત નિપજ્યા છે, 1 વ્યક્તિ સાજો થઈને ઘરે પરત ફર્યો છે, જ્યારે 3 લોકો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

કેવી રીતે શરૂ થયો આ સિલસિલો?

આ સમગ્ર ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં થઈ હતી. પૂર્વ ગોદાવરી જિલ્લાના લાલચેરુવુ, ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગર વિસ્તારના લોકો અચાનક બીમાર પડવા લાગ્યા. લોકોએ જેવું દૂધ પીધું કે તરત જ તેમને ઉલટી થવા લાગી, પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને પેશાબ બંધ થઈ જવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ. આ લક્ષણો જોતા જ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા. 22 ફેબ્રુઆરીના રોજ જ્યારે ચૌદેશ્વરનગર અને સ્વરૂપનગરમાંથી કિડની ફેલ થવાના અનેક કેસ એકસાથે સામે આવ્યા, ત્યારે આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું અને રોગચાળાની તપાસના આદેશ આપ્યા.

લેબોરેટરી રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

જ્યારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીડિતોએ જે દૂધ પીધું હતું તેમાં 'ઇથિલિન ગ્લાયકોલ' નામનું અત્યંત ઝેરી તત્વ હતું. આ જ ઝેરના કારણે પીડિતોની કિડની ફેલ થઈ અને છેવટે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે તેમના મોત થયા. તપાસ કરતા ખબર પડી કે કોરુકોંડા મંડળના નરસાપુરમ ગામમાં આવેલી એક ડેરીમાંથી આસપાસના 100 થી વધુ પરિવારોને આ દૂધ પૂરું પાડવામાં આવતું હતું. પ્રશાસને તાત્કાલિક અસરથી આ ડેરીમાંથી દૂધનો સપ્લાય બંધ કરાવી દીધો છે.

પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ

આ મામલે એક મૃતક મહિલાના પુત્ર, તાડી સીતારામૈયાએ 22 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે બીએનએસએસ (BNSS) ની કલમ 194 હેઠળ ગુનો નોંધીને શંકાસ્પદ દૂધ વેચનારની અટકાયત કરી લીધી છે. ફોરેન્સિક ટીમોએ ડેરીના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકઠા કર્યા છે. આ સાથે જ પશુપાલન વિભાગે પણ દૂધ, પશુઓનો ચારો અને પાણીના સેમ્પલ લીધા છે, જેથી ઝેર ક્યાંથી અને કેવી રીતે ભળ્યું તેની ચોક્કસ માહિતી મળી શકે.

આરોગ્ય વિભાગ એક્શનમાં

હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘણા દર્દીઓની હાલત એટલી નાજુક હતી કે તેમને ડાયાલિસિસ અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇમરજન્સી મેડિકલ કેમ્પ લગાવ્યા છે. કોઈપણ નવા કેસને ઝડપથી શોધી શકાય તે માટે તબીબી નિષ્ણાતો અને સર્વેલન્સ અધિકારીઓની એક 'રેપિડ રિસ્પોન્સ ટીમ' પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત, દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે હૈદરાબાદથી સિનિયર હેલ્થ ઓફિસરો અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Frequently Asked Questions

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળું દૂધ પીવાથી કેટલા લોકોના મોત થયા?

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં ભેળસેળવાળું દૂધ પીવાથી કુલ 16 લોકોના મોત થયા છે. 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દૂધમાં કયું ઝેરી કેમિકલ ભેળસેળ થયું હતું?

તપાસમાં જાણવા મળ્યું કે દૂધમાં 'ઇથિલિન ગ્લાયકોલ' નામનું ખતરનાક ઝેરી કેમિકલ ભેળસેળ થયું હતું. તેના કારણે લોકોની કિડની ફેલ થઈ ગઈ હતી.

આ ભેળસેળવાળા દૂધનો સપ્લાય ક્યાંથી થતો હતો?

આ દૂધનો સપ્લાય કોરુકોંડા મંડળના નરસાપુરમ ગામમાં આવેલી એક ડેરીમાંથી થતો હતો. આસપાસના 100 થી વધુ પરિવારોને દૂધ પૂરું પાડવામાં આવતું હતું.

આ મામલે પોલીસ ફરિયાદ ક્યારે અને કોણે નોંધાવી?

એક મૃતક મહિલાના પુત્ર, તાડી સીતારામૈયાએ 22 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget