શોધખોળ કરો

Modi Cabinet : મોદી કેબિનેટમાં થઈ શકે છે મોટાપાયે નવા જુની! મળ્યા સંકેત

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળોને તાજેતરમાં ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ વેગ મળ્યો હતો.

Modi Cabinet Reshuffle News : લોકસભા ચૂંટણી-2024ની તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ અનેક વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધન બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે તો બીજી તરફ ભાજપ પણ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની વાતો પણ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 12 જુલાઈએ મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. જેના માટે રાષ્ટ્રપતિ ભવનમાં મોટા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેબિનેટ વિસ્તરણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સહયોગી પક્ષોમાંથી પાંચ મંત્રી બનાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળોને તાજેતરમાં ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ વેગ મળ્યો હતો. PM મોદીએ 6 જુલાઈના રોજ પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.

ભાજપમાં બેઠકોનો રાઉન્ડ

પીએમ મોદીએ 28 જૂને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. અગાઉ અમિત શાહ, જેપી નડ્ડા અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ વચ્ચે અનેક રાઉન્ડની બેઠકો થઈ હતી. આ સિવાય નિર્મલા સીતારમણ, કિરણ રિજિજુ, અર્જુન રામ મેઘવાલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ ગયા અઠવાડિયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે એક પછી એક બેઠકો કરી હતી.

નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને મળ્યા

બીજેપીએ 4 જુલાઈના રોજ તેલંગાણા, પંજાબ, ઝારખંડ અને આંધ્ર પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષો પણ બદલ્યા હતા. તેમાં તેલંગાણામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિમણૂક બાદ કેબિનેટમાં ફેરબદલની અટકળોએ જોર પકડ્યું હતું. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની ચર્ચા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (10 જુલાઈ) રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

જેપી નડ્ડાની નેતાઓ સાથે બેઠક

જેપી નડ્ડાએ રવિવારે હૈદરાબાદમાં દક્ષિણ અને કેટલાક અન્ય રાજ્યોના પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. જેમાં 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હૈદરાબાદમાં બીજેપીના તેલંગાણા હેડક્વાર્ટર ખાતે આયોજિત પ્રાદેશિક પરામર્શ બેઠકમાં પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ તેમજ પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો અને રાજ્ય એકમોના પ્રમુખો વગેરેએ હાજરી આપી હતી.

ભાજપે NDAની બેઠક બોલાવી

આ બધાની વચ્ચે એનડીએમાં કેટલીક નવી પાર્ટીઓ સામેલ થવાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. ભાજપે 18 જુલાઈએ દિલ્હીમાં NDAની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકાલી દળના સુખબીર બાદલ, એલજેપીના ચિરાગ પાસવાન અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન પણ રવિવારે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયને મળ્યા હતા.

ચિરાગ પાસવાને આપ્યા આ સંકેતો 

ચિરાગ પાસવાને આ સમયગાળા દરમિયાન ભાજપના નેતૃત્વવાળી એનડીએમાં જોડાવાનો સંકેત પણ આપ્યો હતો. જ્યારે ચિરાગને એનડીએમાં જોડાવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમની સમક્ષ કોઈપણ જાહેરાત કરવી મારા માટે ગઠબંધનની સજાવટની વિરુદ્ધ છે. તેઓ (NDA)તેમનું મન બનાવતા પહેલા વાતચીતનો બીજો રાઉન્ડ યોજી શકે છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી  જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
Embed widget