શોધખોળ કરો

ઉરી હુમલામાં 20 જવાન શહીદ, 4-4ના ગ્રુપમાં હજી જમ્મુ-કશ્મીરમાં ફરી રહ્યા છે 12 આતંકીઓ

નવી દિલ્લી: જમ્મુ-કશ્મીર સીમા પર આવેલા ઉરીમાં ચાર પાકિસ્તાનની આતંકવાદીઓએ આર્મીને નિશાન બનાવી હતી. આ હુમલામાં 20 જવાનો શહીદ થયા છે. આ જવાનોમાં 15 બિહાર રેજીમેંટ અને બે ડોગરા રેજિમેંટના છે અને 19 જવાનો ઘાયલ થયા છે. આજે શહીદોને શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે બાદ તેમના પાર્થિવ દેહને દિલ્લી લાવવામાં આવશે. વળતા હુમલામાં સેનાએ ચારેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. દરેક આતંકી જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનના હતા. આ હુમલા બાદ સરકાર પર બદલ લેવા માટે જબરદસ્ત દબાણ છે. ગઈ કાલે રાજનાથ સિંહના ઘરે એક બેઠક થઈ હતી. જે બાદ હવે પીએમ મોદી પાસેથી મંજૂરી મળતા એક્શન લેવાય તેવી શક્યતાઓ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે એલઓસીમાંથી 16 આતંકવાદીઓ ઘૂસ્યા હતા. આ આતંકવાદીઓ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા. જેમાંથી એક ગ્રુપે ઉરીમાં હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા બે ગ્રુપમાંથી એક મોટા હુમલાના ઈરાદાથી પૂંછ તરફ તો બીજુ શ્રીનગર તરફ ગયું છે. ઉરી એટેકમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા બાદ 4-4ના ગ્રુપમાં જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાનથી આવેલા 12 આતંકવાદીઓ ફરી રહ્યા છે. ઉરીમાં માર્યા ગયેલા આતંકાવાદીઓ પાસેથી મળી આવેલા હથિયારો અને સામાન પાકિસ્તાનમાં બનેલા છે. પણ હંમેશાની જેમ પાકિસ્તાને કહ્યું છે કે આ હુમલામાં તેનો હાથ નથી અને ભારત  તપાસ વિના આરોપ લગાડી રહ્યું છે. આતંકવાદીઓએ કેંપના એ ટેંટ્સને નિશાન બનાવ્યા જ્યાં જવાન ડ્યુટી પૂરી કરીને સૂઈ રહ્યા હતા. આતંકવાદીઓએ આ ટેંટ્સ પર સતત ગ્રેનેડ્સ ફેંક્યા હતા. જેના કારણે આગ  લાગી હતી. મોટા ભાગે જવાનો આ આગમાં દાઝીને શહીદ થયા હતા. જાણકારી અનુસાર આતંકીઓ પાસે પણ હથિયાર હતા. આતંકીઓને મારવા માટે પેરાકમાંડો બોલાવવામાં આવ્યા હતા. છ કલાકની અંદર પેરા કમાંડોએ ચાર આતંકવાદીઓને મારી નાખ્યા હતા. લેફ્ટનંટ જનરલ રણબીર સિંહે જણાવ્યું કે અમને આતંકીઓ પાસેથી સામાન મળ્યો છે જે પાકિસ્તાનનો છે. જેથી મે  પાકિસ્તાની ડીજીએમઓ સાથે વાત કરીને ગંભીર ચિંતા અંગે જાણ કરી છે. પીએમ મોદીએ હુમલાની નિંદા કરતા કહ્યું કે દોશિતોને છોડવામાં નહિ આવે. ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું કે અમે ઉરીમાં થયલા હુમલાની નિંદા કરીએ છીએ. હું દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે આ હુમલાના દોષિતોને છોડવામાં નહિ આવે. તમામ શહીદોને અમે નમન કરીએ છીએ. દેશ તેમની સેવાઓને હંમેશા યાદ રાખશે. હુમલા બાદ રાજનાથ સિંહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને એક બાજુ કરી દેવું જોઈએ. રાજનાથે કહ્યું કે ઉરીમાં શામેલ આતંકીઓ ભારે હથિયારો સાથે આવ્યા હતા. પાકિસ્તાન એક આતંકી રાષ્ટ્ર છે અને માટે તેને એક બાજુ કરી દેવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget