શોધખોળ કરો

મોબાઇલ એપથી થશે 2021માં થનારી દેશની વસ્તીગણતરી, 12000 કરોડનો થશે ખર્ચ

વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં વસ્તીગણતરીની આધારશીલા રાખી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, વસ્તીગણતરીની આખી બિલ્ડિંગ ગ્રીન હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટને અપનાવવાની જરૂર છે. નવી વસ્તીગણતરી આ બિલ્ડિંગના માધ્યમથી કરવામાં આવશે. શાહે કહ્યું કે, વસ્તીગણતરી દેશના ભવિષ્યની વિકાસ યોજના બનાવવા માટે આધાર હોય છે. આ માટે જનભાગીદારીની જરૂર છે. 1865થી અત્યાર સુધીમાં 16મી વસ્તીગણતરી થવા જઇ રહી છે. તેમણે કહ્યું કે, અનેક ફેરફાર અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તીગણતરી ડિઝિટલ થવા જઇ રહી છે. અમિત શાહે કહ્યું કે, 2021માં જે વસ્તીગણતરી થશે તેમાં મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ડિઝિટલ રીતે આંકડાઓ ઉપલબ્ધ હશે. જેટલી બારીકાઇથી વસ્તીગણતરી થશે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં એટલી મદદ મળશે. 2014માં મોદી સરકાર આવી તો આપણી વિચારવાની ક્ષમતામાં ફેરફાર આવ્યો. ત્યારથી વસ્તીગણતરીના રજિસ્ટરનો યોગ્ય ઉપયોગ કરવાની શરૂઆત થઇ. તેનું સૌથી મોટું ઉદાહરણ ઉજ્જવલા યોજના છે. આ મારફતે જાણવા મળ્યું કે, અનેક ક્ષેત્ર એવા છે જ્યાં 93 ટકા લોકો પાસે ગેસ નથી. ડિઝિટલ રીતે જ્યારે કામ કર્યું તો લોકોને ગેસ સિલિન્ડર યોગ્ય રીતે મળવા  લાગ્યા. વસ્તીગણતરીને સંપૂર્ણ બનાવવા માટે 16 ભાષાઓમાં કરવામાં આવશે જેનાથી લોકો પોતાની જાણકારી યોગ્ય રીતે આપી  શકે. શાહે કહ્યુ કે, 2011ની વસ્તીગણતરીથી જાણવા મળ્યુ હતું કે, ભારત બહુભાષી દેશ છે અને અહીં 270 બોલીઓ બોલાય છે. 2011ની વસ્તીગણતરીના આંકડાઓનો ઉપયોગ ઉજ્જવલા યોજનામાં કરવામાં આવ્યો અને આઠ કરોડ પરિવારને સિલિન્ડર આપવામાં આવ્યા. આઝાદીના 75મી વર્ષગાંઠ પર 2022માં એક પણ ઘર એવું નહી હોય જેના ઘરમાં ગેસ  સિલિન્ડર નહી હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget