શોધખોળ કરો

આ રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો, સંક્રમણ વધતા સમગ્ર રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાવાયું

અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 53 હજાર 795 પર પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી બેકાબુ બની છે. મહારાષ્ટ્ર (Maharashtra )માં છેલ્લા 24 કલાકમાં કોરોના (corona virus)ના નવા 35 હજાર 952 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 111 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. ફક્ત મુંબઈમાં કોરોનાના નવા પાંચ હજાર 513 પોઝિટીવ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના સંક્રમણને લીધે મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી નાઈટ કર્ફ્યુ (Night curfew)લાગુ કરવાની જાહેરાત કરી છે. 28 માર્ચથી સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ શોપિંગ મોલ રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. એટલું જ નહી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરતા લોકોને સાવચેત કરતા કહ્યું કે જો લોકો કોરોનાને લઈને જાહેર કરેલા નિયમોનું પાલન નહીં કરે તો કડક નિયંત્રણો લગાવવામાં આવશે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 53 હજાર 795 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી 22 લાખ 83 હજાર 37 દર્દીઓ સાજા થયા છે.

દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 59 હજાર 118 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 257 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા એક કરોડ 18 લાખ 46 હજાર 652 પર પહોંચી ગઈ છે. જેમાંથી એક કરોડ 12 લાખ 64 હજાર 637 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે એક લાખ 60 હજાર 949 લોકો કોરોનાની સામેની જંગ હારી ગયા.

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજુ કરેલા આંકડા અનુસાર દેશમાં દસ એવા રાજ્ય છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્લી, તામિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાન છે. છેલ્લા 24 કલાકમાં જે નવા કેસ નોંધાયા. તેમાંથી 80 કેસ તો છ રાજ્યોમાં જ નોંધાયા. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને ગુજરાત છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 257 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા જેમાંથી 79 ટકા મૃત્યુ પણ ફક્ત છ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 111 લોકોના કોરોનાથી મૃત્યુ થયા. જ્યારે પંજાબમાં 43, છત્તીસગઢમાં 15, કેરળમાં 12, તામિલનાડુમાં 11 અને કર્ણાટકમાં 10 લોકોના મૃત્યુ થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget