શોધખોળ કરો

ભારતમાં કોરોનાની બે રસી લેનારા લોકોને ત્રીજો બૂસ્ટર ડોઝ આપવાની જરૂર કેમ નથી ? જાણો મહત્વની વિગત

ગુલેરિયાએ કહ્યું કે, હાલ કોરોનાના કેસમાં વધારો દેખાઈ રહ્યો નથી, તેના પરથી સ્પષ્ટ છે કે, કોરોનાની રસીથી કોરોના વાઈરસની સામે હાલ પણ લોકોને સુરક્ષા મળી રહી છે. રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.

નવી દિલ્લીઃ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા યથાવત હોવાની ચેતવણી આપી છે. જો કે તેમણે કોરોનાની બે રસી પછી ત્રીજા બૂસ્ટર ડોઝની ભારતમાં જરૂર નહી હોવાનો પણ  મત વ્યક્ત કર્યો છે.

કોરોનાની રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું કે, હાલ કોરોનાના કેસમાં વધારો દેખાઈ રહ્યો નથી, તેના પરથી સ્પષ્ટ છે કે, કોરોનાની રસીથી કોરોના વાઈરસની સામે હાલ પણ લોકોને  સુરક્ષા મળી રહી છે. આ કારણે કોરોનાની રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.

નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે પણ કહ્યું કે, કોરોનાના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજી રસી આપવા અંગેનો નિર્ણય વિજ્ઞાનના આધારે લેવો જોઈએ. બલરામ ભાર્ગવે કહ્યું કે, કોવિડ-19ની સામે સંરક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતના સમર્થનમાં હાલ કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ-19ની સામેની લડાઈમાં વૈજ્ઞાનિકો, સરકાર અને લોકોના કામમાં સ્પષ્ટતા તથા ગંભીરતા હતી. તેમણે કહ્યું કે રોગચાળામાંથી લોકોએ બોધપાઠ લીધો છે અને સ્વાસ્થ્ય સંબંધી માળખું મજબૂત થયું છે. આ સિવાય આપણે વિશ્વમાં તમામ વાઈરસ પર નજર રાખવી પડશે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે,  દેશમાં કોવિડની પહેલી બે લહેર જેટલી તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે, હાલ સંક્રમણના કેસોમાં વધારો નથી થઈ રહ્યો તેના પરથી સ્પષ્ટ છે કે,  કોરોનાની રસી કોરોનાની રસી સામે અસરકારક સાહબિત થઈ છે તેથી હાલ ત્રીજી બૂસ્ટર રસીની કોઈ જરૂરિયાત નથી. તેમણે ઉમેર્યું કે, વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે તેથી ભારતે પણ ચેતવું જોઈએ.  તેમણે વધુમાં કહ્યું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી તીવ્રતા ધરાવતી હશે. તેમણે ચેતવણી પણ આપી કે,  સમયની સાથે મહામારી કાયમી રોગચાળાનું  રૂપ લેશે. કોરોનાના નવા નવા કેસ આવતા રહેશે પણ કોરોનાનો  પ્રકોપ ખૂબ ઘટી જશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget