શોધખોળ કરો

આજકાલ દિવસમાં એક જ વખત ભોજન લઈ રહ્યા છે PM મોદી, ખુદ જણાવ્યું તેનું કારણ

સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું.

નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી દિવસમાં એક જ વખત ભોજન લે છે? સાંભળીને નવાઈ લાગશે. તમે પણ વિચારતા હશો કે આખરે એવું શું થયું કે મોદી બે વખતનું ભોજન નથી ખાતા. આ ખુલાસો પીએમ મોદીએ કર્યો છે. મોદીએ કહ્યું કે આ દિવસોમાં તેઓ માત્ર એક વખત જ ભોજન કેમ ખાય છે.

વાત એમ છે કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. આમ તો આ મૂળ જૈન ધર્મમાં માનનારાઓનો તહેવાર છે, પરંતુ હિન્દુઓ આ સમય દરમિયાન ધાર્મિક વિધિઓ પણ કરે છે. ચાતુર્માસ દરમિયાન દહીં, પાંદડાવાળા શાકભાજી વગેરે ઘણી પ્રકારની વસ્તુઓ ખાવામાં આવતી નથી. વળી અનુકૂળ હવામાનના અભાવને કારણે ઘણા લોકો એક જ સમય ખોરાક લે છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આવા જ લોકોમાંથી છે જે ચાતુર્માસ દરમિયાન માત્ર એક જ વખત ભોજન લે છે. આ વાતનો ખુલાસો એક વીડિયો પરથી થયો છે.

વાસ્તવમાં, સોમવારે (16 ઓગસ્ટ) મોદીએ ઓલિમ્પિકમાં મેડલ વિજેતાઓને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. ત્યાં તેણે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને પોતાનો મનપસંદ ચુરમા ખવડાવ્યો. જ્યારે નીરજ ચોપરાને ચુરમા આપવામાં આવી ત્યારે મોદીએ કહ્યું કે તેમણે મારી સાથે એક વખત જમવું પડશે. તેના પર ચોપરાએ તેને કહ્યું કે તમારે પણ લેવું જોઈએ. ત્યારે જ મોદીએ કહ્યું કે આજકાલ ચાતુર્માસ છે અને હું આ સમય દરમિયાન માત્ર એક જ વાર ભોજન લઉં છું.

તેમણે કહ્યું કે એકવાર અટલજી ક્યાંક ભોજન લેવા ગયા હતા. ત્યાં તેને ગુલાબ જામુન આપવામાં આવ્યું. બહાર આવ્યા બાદ અટલજીએ મીડિયા લોકોના સવાલના જવાબમાં કહ્યું કે તેમને ગુલાબ જામુન પસંદ છે. આ પછી, અટલજી જ્યાં પણ ગયા, તેમને ભોજન પછી ગુલાબ જામુન ખવડાવવામાં આવ્યું. આ વાત પર અટલજી પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું કે ભાઈ એક ઓર્ડર જારી કરો કે મને મીઠાઈમાં કંઈક બીજું પણ ખવડાવવું જોઈએ. મોદીની મોઢેથી અટલજીની આ વાર્તા સાંભળીને નીરજ ચોપરા સહિત બાકીના ખેલાડીઓ હસી પડ્યા.

નોંધનીય છે કે, પીએમ નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને બ્રેકફાસ્ટ પર બોલાવીને લાંબો સમય વાતચીત કરી હતી અને ખેલાડીઓએ પાસેથી ઓલિમ્પિકના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. મોદીએ આ ખેલાડીઓની અંગત પસંદગી અને નાપસંદગી વિશે વાતચીત કરી હતી.

આ ઉપરાંત રમત દરમિયાનના પડકારો વિશે પણ વાતચીત કરી હતી. બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનારી આસામની લવલીના બોરહોગને પીએમ મોદીને ગ્લોવ્સ ભેટમાં આપ્યા હતા અને પોતાને મળેલા સપોર્ટ બદલ આભાર માન્યો હતો.

મોદીએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા સાથે સૌથી વધારે વાતચીત કરી હતી.  પીએમ મોદીએ પૂછ્યું કે,   આટલા લાંબા અંતર સુધી ભાલો કેવી રીતે ફેંકી શક્યા ? નીરજે જણાવ્યું કે અમે 12 લોકો ફાઈનલમાં હતા અને  અમારે અમારા પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું હતું. દરેક ગેઈણ વખતે અમારી કોશિશ એ રહે છે કે, બીજાના પરફોર્મન્સ પર ધ્યાન ન આપો, તેમના પરફોર્મન્સથી નર્વસ પણ ન થાઓ. આ વખતે પણ મમેં એ જ મંત્ર અણલમા મૂક્યો અને હું ગોલ્ડ મેડલ જીતી શકાય એટલા અંતર સુધી ભાલો ફેંકી શક્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Embed widget