શોધખોળ કરો

Corona: વિદેશ જનારા લોકો 9 મહિના પહેલા લઇ શકશે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ, NTAGIએ કરી ભલામણ

NTAGI એ વિદેશ પ્રવાસ કરતા લોકોને નવ મહિનાના સામાન્ય અંતર કરતા પહેલા એન્ટી-કોવિડ-19 રસી લેવાની ભલામણ કરી છે

નવી દિલ્હીઃ NTAGI (નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન) એ વિદેશ પ્રવાસ કરતા લોકોને નવ મહિનાના સામાન્ય અંતર કરતા પહેલા એન્ટી-કોવિડ-19 રસી લેવાની ભલામણ કરી છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે જે દેશમાં વ્યક્તિ મુસાફરી કરી રહ્યો છે, જો પ્રિકૉશન ડોઝ લેવો ફરજિયાત છે, તો તે રસી લઇ શકશે. સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે આ મુદ્દા પર ચર્ચા દરમિયાન NTAGIએ આ સલાહ આપી હતી.  

બે ડોઝનો સમય ઘટાડવાની સલાહ આપવામાં આવી નથી

NTAGI એ હજુ સુધી બધા માટે રસીના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના વર્તમાન નવ મહિનાના સમયગાળાને છ મહિના સુધી ઘટાડવા અંગે કોઈ સલાહ આપી નથી. આગામી બેઠકોમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.

બૂસ્ટર ડોઝ વહેલો આપવાની વાત

બૂસ્ટર ડોઝ આપવાનો વિચાર વહેલો કેમ આવ્યો? આ પણ જાણી લો. વાસ્તવમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અન્ય ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ એ વાત પર સહમત થયા છે કે કોવિડના બંને ડોઝ લેવાથી બનેલી એન્ટિબોડી લગભગ છ મહિના પછી ગાયબ થઈ જાય છે. બૂસ્ટર ડોઝ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

5 થી 12 વર્ષના બાળકોને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

બુધવારે મળેલી મીટિંગમાં NTAGI એ પણ ચર્ચા કરી કે 5-12 વર્ષના બાળકોને કોરોનાની રસી ક્યારથી આપવી જોઈએ. ભૂતકાળમાં બાળકોને કોરોના રસીના બે ડોઝની મંજૂરી આપવામા આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 5-12 વર્ષના બાળકોને Corbevaxની રસી અને 6-12 વર્ષના બાળકોને કોવેક્સિનની રસી આપવામાં આવશે. DCGI એ તેમને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

10 એપ્રિલથી 18થી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ અપાઇ રહ્યો છે

ભારતમાં 10 જાન્યુઆરીથી, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોને પ્રથમ બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. હાલમાં આ વયના લોકો ખાનગી રસી કેન્દ્રો પર બુસ્ટર ડોઝ મેળવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget