શોધખોળ કરો

Nuh Shobha Yatra: નૂહમાં શોભાયાત્રાને લઇને ફરી તણાવ, સ્કૂલ-કોલેજ અને બેન્ક બંધ, ઇન્ટરનેટ પર રોક

Nuh Shobha Yatra: એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે

Nuh Shobha Yatra: હરિયાણાના નૂહમાં ફરી તણાવ વધી ગયો છે. હિંદુ સંગઠનો 28 ઓગસ્ટ (સોમવાર)ના રોજ બ્રજમંડળ શોભાયાત્રા યોજવા પર અડગ છે. વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી નથી. એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લાની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નૂહમાં વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓ, કોલેજો અને બેન્કોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવારે બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડીસીએ કહ્યું છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગામડાઓની શાંતિ સમિતિને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવા ફેલાવવા ન દે અને લોકોને ઘરમાં રહેવા સમજાવે.

13 ઓગસ્ટે સર્વ-જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં 28મી ઓગસ્ટે નૂહમાં બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે શોભાયાત્રા કાઢવામાં આવશે. VHP અનુસાર, આવા ધાર્મિક કાર્યક્રમો માટે પરવાનગી લેવાની જરૂર નથી. જોકે, સત્તાવાળાઓએ યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે ભક્તોને સોમવારે કોઈ પણ 'યાત્રા'નું આયોજન કરવાને બદલે તેમના નજીકના મંદિરોમાં પૂજા કરવાનું કહ્યું. તેમણે કહ્યું હતું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી

સરકારે 26 થી 28 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહે રવિવારે જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નૂહમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હરિયાણા પોલીસના 1,900 કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોઈ બહારના વ્યક્તિને નૂહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રવક્તાએ કહ્યું કે, જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને મલ્હાર મંદિર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.

પોલીસે નૂહમાં વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવ્યા છે અને નૂહમાં પ્રવેશતા વાહનોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ રવિવારે ચંદીગઢમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) શત્રુજીત કપૂર સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

યાત્રાની મંજૂરી નથી: મનોહર

નૂહ હિંસાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી મનોહર લાલે રવિવારે પંચકુલામાં કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. લોકો આ વિસ્તારના નજીકના મંદિરોમાં જલાભિષેક માટે જ જઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની જવાબદારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
Embed widget