શોધખોળ કરો

Nuh Shobha Yatra: નૂહમાં શોભાયાત્રાને લઇને ફરી તણાવ, સ્કૂલ-કોલેજ અને બેન્ક બંધ, ઇન્ટરનેટ પર રોક

Nuh Shobha Yatra: એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે

Nuh Shobha Yatra: હરિયાણાના નૂહમાં ફરી તણાવ વધી ગયો છે. હિંદુ સંગઠનો 28 ઓગસ્ટ (સોમવાર)ના રોજ બ્રજમંડળ શોભાયાત્રા યોજવા પર અડગ છે. વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી નથી. એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લાની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. નૂહમાં વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓ, કોલેજો અને બેન્કોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવારે બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડીસીએ કહ્યું છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગામડાઓની શાંતિ સમિતિને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવા ફેલાવવા ન દે અને લોકોને ઘરમાં રહેવા સમજાવે.

13 ઓગસ્ટે સર્વ-જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં 28મી ઓગસ્ટે નૂહમાં બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે શોભાયાત્રા કાઢવામાં આવશે. VHP અનુસાર, આવા ધાર્મિક કાર્યક્રમો માટે પરવાનગી લેવાની જરૂર નથી. જોકે, સત્તાવાળાઓએ યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે ભક્તોને સોમવારે કોઈ પણ 'યાત્રા'નું આયોજન કરવાને બદલે તેમના નજીકના મંદિરોમાં પૂજા કરવાનું કહ્યું. તેમણે કહ્યું હતું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી

સરકારે 26 થી 28 ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહે રવિવારે જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નૂહમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હરિયાણા પોલીસના 1,900 કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોઈ બહારના વ્યક્તિને નૂહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રવક્તાએ કહ્યું કે, જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને મલ્હાર મંદિર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.

પોલીસે નૂહમાં વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવ્યા છે અને નૂહમાં પ્રવેશતા વાહનોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ રવિવારે ચંદીગઢમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) શત્રુજીત કપૂર સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

યાત્રાની મંજૂરી નથી: મનોહર

નૂહ હિંસાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી મનોહર લાલે રવિવારે પંચકુલામાં કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. લોકો આ વિસ્તારના નજીકના મંદિરોમાં જલાભિષેક માટે જ જઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની જવાબદારી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget