શોધખોળ કરો

Odisha Train Accident : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ હવે CBIના હવાલે

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે.

Railway Board Recommends CBI Inquiry :

Railway Board Recommends CBI Inquiry : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ પાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે પણ વહીવટી માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ભલામણ કરી છે કે, સીબીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખડેપગે

ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 24 કલાક તૈયાર જોવા મળે છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ઉપરાંત તેઓ ઘાયલોને પણ મળી રહ્યા છે. રેલવે મંત્રી ભુવનેશ્વરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાણકારી આપી હતી.

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે, અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બચાવ કાર્ય થઈ ગયું છે અને પુનઃસ્થાપનનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે મુખ્ય લાઇન પર ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઇલેક્ટ્રિક વાયર પર કામ ચાલી રહ્યું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "આ ઘટના જે સંજોગોમાં બની હતી અને અત્યાર સુધી મળેલી વહીવટી માહિતીને ધ્યાનમાં રાખીને, રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈને વધુ તપાસની ભલામણ કરવામાં આવી રહી છે." રેલવે મંત્રીએ કહ્યું કે તેઓ ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે.

રેલવે મંત્રી સતત સ્થળ પર હાજર

અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'ઘટના બન્યા પછી તરત જ રેલવે, જિલ્લા પ્રશાસને મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. રેસ્ક્યુની સાથે રિસ્ટોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે. મેઈન લાઈનમાં ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ઈલેક્ટ્રીક વાયરનું કામ ચાલી રહ્યું છે. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના બની હતી ત્યાં 24 કલાક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે સતત હાજર છે. સરકારે રવિવારે કહ્યું કે બાલાસોર અકસ્માત સ્થળ પર અપ અને ડાઉન બંને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે અપ-લાઈનને જોડતો ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

ટ્રેક કામ પૂર્ણ, વિજળીનું કામ ચાલુ

વૈષ્ણવે રવિવારે ટ્વીટ કર્યું, 'અપ-લાઈનને જોડતો ટ્રેક સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. ઓવરહેડ પાવર લાઇનનું સમારકામ શરૂ થઈ ગયું છે. આ પહેલા રેલવે મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે હાવડાને જોડતી ડાઉન લાઇનને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઓછામાં ઓછી બે લાઇન હવે ટ્રેનની અવરજવર માટે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ બાલાસોર અકસ્માત સ્થળ પર લૂપ લાઇન સહિત તમામ ટ્રેકને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે, અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, જ્યાં સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ રિપેર ન થાય ત્યાં સુધી રિપેર કરવામાં આવેલી બે લાઈનો પર માત્ર ડીઝલ લોકોમોટિવ જ ચલાવી શકાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓવરહેડ પાવર લાઇનના સમારકામ પછી ઇલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન પુનઃસ્થાપિત કરી શકાય છે. તેણે સંકેત આપ્યો કે હજુ ત્રણ દિવસ લાગશે.

ડોકટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો

તેમણે ત્યાં દાખલ દર્દીઓ સાથે વાતચીત કરી અને તબીબો સાથે પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી. અશ્વિની વૈષ્ણવે કહ્યું, "ભદ્રક સરકારી હોસ્પિટલમાં લગભગ તમામ દર્દીઓએ તેમના પરિવાર સાથે વાત કરી છે. હું ભદ્રક મેડિકલના તમામ ડૉક્ટરો અને સ્ટાફનો આભાર માનું છું. તેઓએ દર્દીઓની ખૂબ સારી સેવા કરી છે." "શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. રેલવે મફત ટ્રેનો ચલાવી રહી છે. મૃત્યુઆંક 270 ને વટાવી ગયો છે," તેમણે કહ્યું.

"જવાબદાર લોકોને ઓળખી લેવાયા"

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ અકસ્માત સ્થળે ચાલી રહેલા સમારકામના કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "રેલવે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. દુર્ઘટનાનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો છે. અમે આ માટે જવાબદાર છીએ. "જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget