શોધખોળ કરો

Odisha Train Accident : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ હવે CBIના હવાલે

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે.

Railway Board Recommends CBI Inquiry :

Railway Board Recommends CBI Inquiry : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ પાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે પણ વહીવટી માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ભલામણ કરી છે કે, સીબીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખડેપગે

ઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 24 કલાક તૈયાર જોવા મળે છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ઉપરાંત તેઓ ઘાયલોને પણ મળી રહ્યા છે. રેલવે મંત્રી ભુવનેશ્વરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાણકારી આપી હતી.

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે, અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બચાવ કાર્ય થઈ ગયું છે અને પુનઃસ્થાપનનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે મુખ્ય લાઇન પર ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઇલેક્ટ્રિક વાયર પર કામ ચાલી રહ્યું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "આ ઘટના જે સંજોગોમાં બની હતી અને અત્યાર સુધી મળેલી વહીવટી માહિતીને ધ્યાનમાં રાખીને, રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈને વધુ તપાસની ભલામણ કરવામાં આવી રહી છે." રેલવે મંત્રીએ કહ્યું કે તેઓ ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે.

રેલવે મંત્રી સતત સ્થળ પર હાજર

અશ્વિની વૈષ્ણવે કહ્યું, 'ઘટના બન્યા પછી તરત જ રેલવે, જિલ્લા પ્રશાસને મળીને બચાવ કાર્ય શરૂ કર્યું. રેસ્ક્યુની સાથે રિસ્ટોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે. મેઈન લાઈનમાં ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ઈલેક્ટ્રીક વાયરનું કામ ચાલી રહ્યું છે. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના બની હતી ત્યાં 24 કલાક યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે સતત હાજર છે. સરકારે રવિવારે કહ્યું કે બાલાસોર અકસ્માત સ્થળ પર અપ અને ડાઉન બંને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે અપ-લાઈનને જોડતો ટ્રેક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

ટ્રેક કામ પૂર્ણ, વિજળીનું કામ ચાલુ

વૈષ્ણવે રવિવારે ટ્વીટ કર્યું, 'અપ-લાઈનને જોડતો ટ્રેક સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. ઓવરહેડ પાવર લાઇનનું સમારકામ શરૂ થઈ ગયું છે. આ પહેલા રેલવે મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે હાવડાને જોડતી ડાઉન લાઇનને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

ઓછામાં ઓછી બે લાઇન હવે ટ્રેનની અવરજવર માટે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ બાલાસોર અકસ્માત સ્થળ પર લૂપ લાઇન સહિત તમામ ટ્રેકને પુનઃસ્થાપિત કરવામાં વધુ સમય લાગશે, અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, જ્યાં સુધી ઓવરહેડ ઈલેક્ટ્રિક કેબલ રિપેર ન થાય ત્યાં સુધી રિપેર કરવામાં આવેલી બે લાઈનો પર માત્ર ડીઝલ લોકોમોટિવ જ ચલાવી શકાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓવરહેડ પાવર લાઇનના સમારકામ પછી ઇલેક્ટ્રિક ટ્રેનનું સંચાલન પુનઃસ્થાપિત કરી શકાય છે. તેણે સંકેત આપ્યો કે હજુ ત્રણ દિવસ લાગશે.

ડોકટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો

તેમણે ત્યાં દાખલ દર્દીઓ સાથે વાતચીત કરી અને તબીબો સાથે પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી. અશ્વિની વૈષ્ણવે કહ્યું, "ભદ્રક સરકારી હોસ્પિટલમાં લગભગ તમામ દર્દીઓએ તેમના પરિવાર સાથે વાત કરી છે. હું ભદ્રક મેડિકલના તમામ ડૉક્ટરો અને સ્ટાફનો આભાર માનું છું. તેઓએ દર્દીઓની ખૂબ સારી સેવા કરી છે." "શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. રેલવે મફત ટ્રેનો ચલાવી રહી છે. મૃત્યુઆંક 270 ને વટાવી ગયો છે," તેમણે કહ્યું.

"જવાબદાર લોકોને ઓળખી લેવાયા"

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ અકસ્માત સ્થળે ચાલી રહેલા સમારકામના કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "રેલવે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. દુર્ઘટનાનું કારણ શોધી કાઢવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર લોકોની પણ ઓળખ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો છે. અમે આ માટે જવાબદાર છીએ. "જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહીJunagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget