શોધખોળ કરો
Advertisement
જો આવી ભૂલ કરશો તો PM આવાસ યોજના અંતર્ગત લોનમાં છૂટનો નહીં મળે લાભ, જાણો શું છે નિયમ
જો તમારી પાસે પહેલાથી ઘર હોય પરંતુ તમારા નામે ન હોય તો નવા મકાનની ખરીદી પર પીએમ આવાસ યોજના અંતર્ગત લોનમાં સબ્સિડી મેળવી શકો છે.
નવી દિલ્હીઃ અનેક લોકો ઘરના ઘરનું સપનું જોતા હોય છે. આવા લોકો માટે પીએમ આવાસ યોજના અંતર્ગત મળતી સબ્સિડી આશીર્વાદ રૂપ સાબિત થયા છે. પરંતુ જે લોકો પ્રથમ વખત જ ઘરનું ઘર ખરીદતા હોય તેમને જ આ લાભ મળે છે. એક નાની ભૂલ કરવાથી પણ ઘણા કેસમાં લોનમાં છૂટ નથી મળતી. જો તમે ઘરની લોક ચૂકવ્યા બાદ આ છૂટ લેવા ઈચ્છતા હો તો લાભ નહીં મળે.
જો તમારી પાસે પહેલાથી ઘર હોય પરંતુ તમારા નામે ન હોય તો નવા મકાનની ખરીદી પર પીએમ આવાસ યોજના અંતર્ગત લોનમાં સબ્સિડી મેળવી શકો છે. જો મકાન તમારા માતા-પિતાના નામ પર હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ નવા ઘરની ખરીદી પર છૂટ મેળવી શકો છે. આ સ્કીમ અંતર્ગત પરિવારની પરિભાષામાં પતિ-પત્ની અને અપરણિત બાળકોને સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જો તમને પહેલાથી કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો હોય તો છૂટને પાત્ર નહીં માનવામાં આવે. યોજનાનો કોઈ બીજી વખત લાભ ન લઈ શકે તે હેતુથી સરકારે લોન માટે અરજી કરવા દરમિયાન પરિવારના સભ્યોના આધાર નંબર ફરજિયાત કર્યા છે.
કેવી રીતે થશે છૂટની ગણતરીઃ ધારોકે તમે MIG-II સ્લેબમાં છો અને 60 લાખ રૂપિયાની કિંમતનું ઘર ખરીદ્યું ચે. આ માટે તમારે 20 ટકા એટલે કે 12 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કર્યુ છે તો તમારી કુલ લોન 48 લાખ રૂપિયા થશે. તેમાંથી 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા છૂટ મળશે. આ રીતે તમારે 36 લાખની લોન પર પૂરું વ્યાજ આપવું પડશે અને 12 લાખ રૂપિયામાં 3 ટકાની છૂટ મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
Advertisement