શોધખોળ કરો

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Ceasefire: સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Ceasefire:  પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પાસે ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. સુરક્ષા અધિકારીઓએ કહ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને થયેલા નુકસાનની તત્કાળ કોઇ જાણકારી મળી શકી નથી. પરંતુ અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે. ભારતીય સેનાએ આ જાણકારીની પુષ્ટી કરી નથી અને આ માહિતીનું ખંડન પણ કર્યું નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે ભારતીય સેનાના જવાનો શહીદ થયાના એક દિવસ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

પૂંછના તારકુંડી વિસ્તારમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન

25 ફેબ્રુઆરી, 2021ના રોજ ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ કરારને રિન્યૂ કર્યા બાદથી નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ખૂબ જ ઓછી ઘટનાઓ નોંધાઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પર તારકુંડી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો.

લેન્ડમાઇન વિસ્ફોટમાં JCO ઘાયલ

આ દરમિયાન પાકિસ્તાની આર્મી ઓફિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તારીખનો ઉલ્લેખ નથી. દરમિયાન, ભારતીય સેનાના એક જૂનિયર કમિશન્ડ ઓફિસર (JCO) આજે સાંજે ભૂલથી લેન્ડમાઈન પર પગ મુકતા તેમને થોડી ઈજા થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મેંઢરના રહેવાસી જેસીઓ એક પેટ્રોલિંગ ટીમનો ભાગ હતા જે આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે નિયંત્રણ રેખા પર કડક નજર રાખી રહી હતી. ઘાયલ અધિકારીને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયામાં સરહદ પાર દુશ્મનની ગતિવિધિઓ વધી છે જેના કારણે નિયંત્રણ રેખા પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.

Gangster List: ગોલ્ડી બ્રાર,અનમોલ બિશ્નોઈ સહિત અમેરિકામાં છુપાયેલા 10 ગેંગસ્ટર્સની અવળી ગણતરી શરુ! લીસ્ટ તૈયાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget