શોધખોળ કરો

વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને બરાબરનું ધોયું, બિલાવલ ભુટ્ટોને ગણાવ્યા આતંકવાદ પ્રમોટર દેશના પ્રવક્તા

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે (5 મે)ના રોજ ગોવામાં વિદેશ મંત્રીની SCO બેઠક બાદ આતંકવાદના મુદ્દે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા.

SCO Foreign Ministers Meet: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે (5 મે)ના રોજ ગોવામાં વિદેશ મંત્રીની SCO બેઠક બાદ આતંકવાદના મુદ્દે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું,  આતંકવાદ પર પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના વિદેશી મુદ્રા ભંડાર કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે.  તેમણે કહ્યું,  આતંકવાદના પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા તેના  ગુનેગારો સાથે નથી બેસતા. 

વિદેશ મંત્રીએ કહ્યું કે SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે બિલાવલ ભુટ્ટો ઝરદારી  ભારત આવ્યા. જો કે  આતંકવાદના પ્રમોટર દેશના પ્રવક્તા તરીકેની તેની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.

ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રીના પ્રમોટર અને પ્રવક્તા...'

જયશંકરે કહ્યું, “SCO સભ્ય દેશ હોવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે એવો જ વ્યવહાર કરવામાં આવ્યો. એક ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રી જે પાકિસ્તાનનો મુખ્ય આધાર છે, ના પ્રમોટર, જસ્ટીફાયર અને પ્રવક્તાના રુપમાં તેમના પદોની આલોચના કરવામાં આવી અને એસસીઓની બેઠકમાં તેનો કરવામાં આવ્યો. 

પાકિસ્તાન પર વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો

એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં, જેમાં ભારત-પાકિસ્તાન સંબંધો પરના સવાલનો પણ સમાવેશ થાય છે, વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો હતો કે, "આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદની ચર્ચા કરવા નથી બેસતા.  આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો બચાવ કરે છે, તેઓ નિંદા કરે છે. 

બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011 માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

બેઠકમાં શું થયું?

વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીની હાજરીમાં એસસીઓની બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ પ્રકારના આતંકવાદ અને તેને કરવામાં આવતા ફંડિંગને રોકવું જોઈએ.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, જ્યારે હું આ વિષય પર બોલું છું, ત્યારે હું માત્ર પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરીકે જ બોલતો નથી. જે લોકોએ સૌથી વધુ હુમલામાં સૌથી વધુ સહન કર્યું છે, હું એક પુત્ર તરીકે પણ બોલી રહ્યો છું જેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget