શોધખોળ કરો

'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'

જમ્મુ-કાશ્મીરના પહેલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે.

નવી દિલ્હી:   જમ્મુ-કાશ્મીરના પહેલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર જવા રવાના થઈ ગયા છે. આ ઘટના બાદ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને નિવેદન જાહેર કરીને નિંદા કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. 

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે,   જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે લોકો છે, તેને બક્ષવામાં આવશે નહીં! તેમનો નાપાક  એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે અને તે વધુ મજબૂત થશે.  

વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું 

પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ શું બોલ્યા ? 

હવે આ મામલે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય રક્ષા મંત્રીએ લખ્યું, 'પહલગામ (જમ્મુ અને કાશ્મીર)માં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ કાયરતાપૂર્ણ હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.' 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
‘જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો....’, રામ મંદિરના દાનની ચોરીને લઈ અખિલેશ યાદવે બીજેપી પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
Embed widget