શોધખોળ કરો

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા

PM Modi Manipur Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના ચુરાચાંદપુરમાં હિંસાના પીડિતોને મળ્યા. કોંગ્રેસે આ મુલાકાતને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું અને તેને તમાશા ગણાવી.

PM Modi Manipur Visit: બે વર્ષ પહેલાં મણિપુરમાં થયેલી હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુરાચાંદપુરમાં વિસ્થાપિત લોકોને મળ્યા હતા. ચુરાચાંદપુર એ વિસ્તાર છે જ્યાં 2023 માં થયેલી હિંસામાં સૌથી વધુ અસર થઈ હતી અને 260 લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદ છતાં, પીએમ મોદીએ ઇમ્ફાલ એરપોર્ટથી 65 કિમી દૂર પીસ ગ્રાઉન્ડ ખાતે રાહત શિબિરોમાં હાજર વૃદ્ધો અને બાળકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પણ તેમની સાથે હાજર હતા.

હિંસાના કારણો અને માંગણીઓ

ચુરાચાંદપુરમાં મુખ્યત્વે કુકી-જો સમુદાય વસે છે. મેઇતેઈ લોકોના અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગ સામે એક આદિવાસી જૂથે રેલી કાઢી ત્યારે હિંસા શરૂ થઈ હતી. કુકી-જો જૂથે પહાડી જિલ્લાઓ માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી છે, જ્યારે ઇમ્ફાલ ખીણમાં મેઇતેઈ લોકો બહુમતી ધરાવે છે.

વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ ચુરાચાંદપુરમાં 14 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેનો કુલ ખર્ચ રૂ. 7,300 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં ડ્રેનેજ સિસ્ટમ, મહિલા છાત્રાલયો, શાળાઓ અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

હિંસાની અસર અને વર્તમાન પરિસ્થિતિ

3 મે, 2023 ના રોજ, મણિપુરમાં મેઇતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 60000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવું પડ્યું અને 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

પીએમ મોદીનો આગામી પ્રવાસ - ઇમ્ફાલ

વડાપ્રધાન મોદીનો આગામી પ્રવાસ ઇમ્ફાલનો છે, જ્યાં તેઓ હિંસાથી વિસ્થાપિત લોકોને મળશે. ઇમ્ફાલમાં હજારો કુકી લોકો રાહત શિબિરોમાં રહે છે. આ ઉપરાંત, વડા પ્રધાન 1,200 કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કાંગલા કિલ્લા ખાતે એક સભાને સંબોધિત કરશે. મણિપુરના મુખ્ય સચિવ પુનિત ગોયલે કહ્યું, 'મણિપુર માત્ર એક સરહદી રાજ્ય નથી પરંતુ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને ભારતની વિવિધતાનું ગૌરવશાળી રક્ષક છે.’

કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો

વડાપ્રધાનની મુલાકાતની આકરી ટીકા પણ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર લાંબા સમયથી સળગી રહ્યું છે અને હવે પીએમ મોદીની મુલાકાત કોઈ મોટી વાત નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેને રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ મુલાકાત શાંતિ અને સૌહાર્દ માટે નથી પણ તમાશા માટે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
1 એપ્રિલથી મોંઘી થઈ શકે છે હવાઈ સફર, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે એરલાઈન્સ કંપનીઓ વધારશે ભાડુ !
1 એપ્રિલથી મોંઘી થઈ શકે છે હવાઈ સફર, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે એરલાઈન્સ કંપનીઓ વધારશે ભાડુ !

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
Embed widget