શોધખોળ કરો

મણિપુર હિંસા બાદ પહેલી વાર ઇમ્ફાલ પહોંચ્યા PM મોદી, ચુરાચાંદપુરમાં ભારે વરસાદ વચ્ચે પીડિતોને મળ્યા

PM Modi Manipur Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરના ચુરાચાંદપુરમાં હિંસાના પીડિતોને મળ્યા. કોંગ્રેસે આ મુલાકાતને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું અને તેને તમાશા ગણાવી.

PM Modi Manipur Visit: બે વર્ષ પહેલાં મણિપુરમાં થયેલી હિંસા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચુરાચાંદપુરમાં વિસ્થાપિત લોકોને મળ્યા હતા. ચુરાચાંદપુર એ વિસ્તાર છે જ્યાં 2023 માં થયેલી હિંસામાં સૌથી વધુ અસર થઈ હતી અને 260 લોકો માર્યા ગયા હતા. ભારે વરસાદ છતાં, પીએમ મોદીએ ઇમ્ફાલ એરપોર્ટથી 65 કિમી દૂર પીસ ગ્રાઉન્ડ ખાતે રાહત શિબિરોમાં હાજર વૃદ્ધો અને બાળકો સાથે વાતચીત કરી હતી. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પણ તેમની સાથે હાજર હતા.

હિંસાના કારણો અને માંગણીઓ

ચુરાચાંદપુરમાં મુખ્યત્વે કુકી-જો સમુદાય વસે છે. મેઇતેઈ લોકોના અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગ સામે એક આદિવાસી જૂથે રેલી કાઢી ત્યારે હિંસા શરૂ થઈ હતી. કુકી-જો જૂથે પહાડી જિલ્લાઓ માટે અલગ કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી છે, જ્યારે ઇમ્ફાલ ખીણમાં મેઇતેઈ લોકો બહુમતી ધરાવે છે.

વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન મોદીએ ચુરાચાંદપુરમાં 14 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેનો કુલ ખર્ચ રૂ. 7,300 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં ડ્રેનેજ સિસ્ટમ, મહિલા છાત્રાલયો, શાળાઓ અને સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

હિંસાની અસર અને વર્તમાન પરિસ્થિતિ

3 મે, 2023 ના રોજ, મણિપુરમાં મેઇતેઈ અને કુકી-ઝો સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા હતા અને 60000 થી વધુ લોકોને તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપવું પડ્યું અને 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

પીએમ મોદીનો આગામી પ્રવાસ - ઇમ્ફાલ

વડાપ્રધાન મોદીનો આગામી પ્રવાસ ઇમ્ફાલનો છે, જ્યાં તેઓ હિંસાથી વિસ્થાપિત લોકોને મળશે. ઇમ્ફાલમાં હજારો કુકી લોકો રાહત શિબિરોમાં રહે છે. આ ઉપરાંત, વડા પ્રધાન 1,200 કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કાંગલા કિલ્લા ખાતે એક સભાને સંબોધિત કરશે. મણિપુરના મુખ્ય સચિવ પુનિત ગોયલે કહ્યું, 'મણિપુર માત્ર એક સરહદી રાજ્ય નથી પરંતુ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે અને ભારતની વિવિધતાનું ગૌરવશાળી રક્ષક છે.’

કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો

વડાપ્રધાનની મુલાકાતની આકરી ટીકા પણ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર લાંબા સમયથી સળગી રહ્યું છે અને હવે પીએમ મોદીની મુલાકાત કોઈ મોટી વાત નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તેને રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ મુલાકાત શાંતિ અને સૌહાર્દ માટે નથી પણ તમાશા માટે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget