શોધખોળ કરો

PM Modi Speech Highlights: પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્વની વાતો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોના વેકસીનને લઈ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે દેશને સંબોધિત કરતા કહ્યું કે 21 જૂન, સોમવારથી દેશમાં દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમના તમામ નાગરિકોને માટે, ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે. 

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોરોના વેકસીનને લઈ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે દેશને સંબોધિત કરતા કહ્યું કે 21 જૂન, સોમવારથી દેશમાં દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમના તમામ નાગરિકોને માટે, ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે. 

1. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું દેશમાં ઘટતા કોરોના સંક્રમણ વચ્ચે, કેંદ્ર સરકાર સામે અલગ-અલગ સૂચનો પણ આવવા લાગ્યા, અલગ-અલગ માંગો થવા લાગી. પૂછવામાં આવ્યું, બધુ ભારત સરકાર કેમ નક્કી કરી રહી છે ? રાજ્ય સરકારેને છૂટ કેમ નથી આપવામાં આવી રહી ? રાજ્ય સરકારોને લોકડાઉનની છૂટ કેમ નથી મળી રહી ? One Size Does Not Fit All જેવી વાતો પણ કરવામાં આવી.

2. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે 16 જાનયુઆરીથી શરુ થઈ એપ્રિલ મહીનાના અંત સુધી ભારતનો વેક્સીનેશન કાર્યક્રમ મુખ્ય રીતે કેંદ્ર સરકા3રની દેખરેખમાં ચાલ્યો. તમામને મફત રસી લગાવવાના માર્ગ પર દેશ આગળ ચાલી રહ્યો હતો. દેશના નાગરિકો પણ અનુશાસનનું પાલન કરતા, પોતાનો વારો આવવા પર વેક્સીન લઈ રહ્યા છે.  તેની વચ્ચે ઘણી રાજ્ય સરકારોએ કહ્યું કે વેક્સીનું કામ ડી-સેન્ટ્રલાઈઝ કરવામાં આવે અને રાજ્ય ઉપર છોડી દેવામાં આવે. ઘણા પ્રકારનો સવાલો ઉભા થયા. જેમ કે વેક્સીનેશન માટે  Age Group કેમ બનાવવામાં આવ્યા ?  બીજી  તરફ કહ્યું કે ઉંમર નક્કી કરવાની છે તે કેંદ્ર સરકાર કેમ નક્કી કરે છે ? કેટલાક પ્રશ્નો તો એવા ઉઠ્યા કે મોટી ઉંમરના લોકોને પહેલા વેક્સીનેશન કેમ ? અલગ-અલગ રીતે દબાવ બનાવવામાં આવ્યા, દેશના મીડિયાના એક વર્ગે તેને કેમ્પેઈન તરીકે પણ ચલાવ્યું.  

3. પીએમ મોદીએ કહ્યું કે 21 જૂન, સોમવારથી દેશના દરેક રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે, ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે.વેક્સીન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સીન ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે ખરીદી રાજ્ય સરકારને મફત આપશે.  પીએમ મોદીએ કહ્યું કે આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સીનેશન સાથે જોડાયેલુ જે 25 ટકા કામ હતુ, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આવનારા 2 સપ્તાહમાં લાગૂ થશે. 

4. પીએમ મોદીએ કહ્યું કે દેશની કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન પર કંઈપણ ખર્ચ નહી કરવો પડે.  અત્યાર સુધીમાં દેશમાં કરોડો લોકોને મફતમાં વેક્સીન મળી છે. હવે 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો પણ તેમાં સામેલ થશે. તમામ દેશવાસીઓને ભારત સરકાર મફતમાં રસી ઉપલબ્ધ કરાવશે. 

5. પીએમ મોદીએ કહ્યું કે 'દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો ડાયરેક્ટ લઇ શકે એવી વ્યવસ્થા શરૂ રહેશે. તેમજ હવેથી પ્રાઇવેટ હોસ્પિટલ વેક્સિનની નક્કી કરાયેલી કિંમત ઉપરાંત એક ડોઝ પર મહત્તમ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે. 

6. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો વેક્સીનને લઈ આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તે ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે.   અફવાઓથી સતર્ક રહેવાની જરુર છે.

7. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે. 

8. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. પીએમ મોદીએ કહ્યું કે  બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહીનામાં ભારતમાં મેડિકલ ઓક્સીજનની માંગ અકલ્પનીય રૂીતે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા મોટી માત્રામાં મેડિકલ ઓક્સીજનની જરૂર ક્યારેય નથી પડી. આ જરુરીયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. સરકારના તમામ તંત્રો લાગ્યા.

9. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે  આજે સમગ્ર વિશ્વમાં વેક્સીનને લઈ જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનારા દેશ અને વેક્સીન બનાવતી કંપનીઓ ખૂબ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું થાત. પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે તમે છેલ્લા 50-60 વર્ષની ઈતિહાસ જોઈ લો તો ખબર પડશે કે ભારતને વિદેશમાંથી વેક્સીન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સીનનું કામ પૂર્ણ થઈ જતુ હતુ ત્યારે પણ આપણા દેશમાં વેક્સીનનું કામ શરુ નહોતું થઈ શકતું.  

10. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં 23 કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. છેલ્લા ઘણા સમયથી દેશ સતત પ્રયાસ અને પરીશ્રમ કરી રહ્યો છે તેને લઈ આવનારા દિવસોમાં વેક્સીન સપ્લાઈ વધવાની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
Embed widget