શોધખોળ કરો

PM Modi Speech:પીએમ મોદીએ નામ લીધા વગર જ ટીકાકારો અને કહેવાતા બુદ્ધિજીવિઓનો ઉધડો લીધો

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા હતાં.

Gujarat Elections Result 2022 : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ પીએમ મોદીએ તથાકથિત બુદ્ધિજીવીઓ અને પોતાની જાતને તટસ્થ કહેતા ટીકાકારોને બરાબરના ઝટક્યા હતાં. પીએમ મોદીએ 2002નો પણ ઉલ્લેખ કર્યો હતો. 
  
પીએમ મોદીએ તટસ્થ કહેતા લોકોની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં અનેક લોકોને ઓળખાનો પણ અવસર મળ્યો. ગત કેટલીક ચૂંટણીનું એમ મોટા પરિદ્રશ્ય પર એનાલિસિસ કરવું જોઈએ. જે પોતાની જાતને ન્ટ્યુટ્રલ કહેતા હતાં... જેમનું ન્યુટ્રલ હોવું ખરેખર જરૂરી હોય છે તે ક્યાં ઉભા રહે છે, ક્યારે અને કેવી રીતે રંગ બદલે છે અને કેવા કેવા ખેલ ખેલે છે તે વિષે દેશે જાણી લેવું ખુબ જરૂરી છે. તેમને કહ્યું હતું કે, ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી યોજાઈ જેમાં કેટલાયની ડિપોઝીટો જપ્ત થઈ. એ કોની થઈ તેને લઈને કોઈ જ ચર્ચા નહીં? તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં કેટલાય લોકોની ડિપોઝિટ જપ્ત થઈ અને કેટલા લોકોની ભૂંડી હાલત થઈ તેના વિશે કોઈ જ ચર્ચા નથી થતી. 

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા  હતાં. તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજનીતિમાં સેવાભાવથી એક મુક સેવક તરીકે કામ કરવું એ તો જાણે ડિસ્કોલિફિકેશન માનવામાં આવે છે. આ શું સ્થિતિ આવી છે. આ કેવા નવા માપદંડો બેસાડવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રની શાનદાર જીતને યાદ કરતા કહ્યું હતું કે, હું અશ્ચર્યચકિત છું કે, ભૂપેન્દ્ર ભાઈએ પોતાના મતવિસ્તારમાં લગભગ બે લાખ મતોથી વિજયી થયા છે. લોકસભામાં પણ 2 લાખથી જીત મેળવવી પણ મોટી વાત કહેવાય છે પરંતુ ભૂપેંદ્ર પટેલે તો વિધાનસભની ચૂંટણીમાં 2 લાખ જેટલા વોટથી જીત મેળવી છે એ કંઈ નાની વાત નથી. પરંતુ આ બાબતે કોઈ જ ચર્ચા નહીં?? ઠેકેદારોના ત્રાજવા કઈંક જુદા જ છે. માટે જ  આપણે વિપરીત જુલ્મો વચ્ચે આગળ વધવાનું છે. 

કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે આપણી સહનશીલતાને વધારવાની છે. સમજશક્તિને વધારવાની છે. તથાકથિત તટસ્થ લોકોનો ઉધડો લેતા તેમણે કહ્યું હતું કે, તે જ્યાં છે ત્યાં એમ જ રહેશે. તે બદલાશે નહીં. પોતાના વિષે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ખાસ કરીને હું 2002 બાદ વિશેષ રૂપે માનું છું કે, કદાચ મારા જીવનની કોઈ પળ એવી નથી કે, કોઈ પગલુ એવું નથી રહ્યું જેની ધજ્જીયા ના ઉડાવવામાં આવી હોય. જેની ટીકા જ નહીં પણ ધજ્જીયા ઉડાવવી... વાળ ખેંચી નાખવામાં ના આવી હોય. વડાપ્રધાને કહ્યું હતું કે, પરંતુ તેનો મને ખુબ જ લાભ મળ્યો. કારણ કે હું હંમેશા સતર્ક રહ્યો... આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક સિખ્યો. મારામાં પરિવર્તન લાવતો રહ્યો. શિખતો ગયો અને આગળ વધતો ગયો.  

તેમણે કહ્યું હતું કે, ચારેકોરથી ઉછળનારા, ખભા પર બેસાડીને ફરનારાઓ સુધરે તેવી પણ શક્યતા નથી હોતી. તે તો જ્યાં છે ત્યાંથી પણ વધારે બગડશે. હવે સમય આવી ગયો છે કે, તેમને ઓળખી લેવામાં આવે. કારણ કે, તમારા પર અને મારા પર જુલમો વધશે. કારણ કે તે લોકો સહન નહીં કરી શકે. તે પચાવી નહીં શકે. અને તેનો જવાબ આપણી સહન શક્તિ વધારીને જ આપવાનો છે. 

આમ પીએમ મોદીએ ટીકાકારો અને પોતાને તટસ્થ ગણાવીને ટીકા કરનારાઓનો બરાબરનો ઉધડો લીધો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Embed widget