શોધખોળ કરો

PM Modi Speech:પીએમ મોદીએ નામ લીધા વગર જ ટીકાકારો અને કહેવાતા બુદ્ધિજીવિઓનો ઉધડો લીધો

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા હતાં.

Gujarat Elections Result 2022 : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ પીએમ મોદીએ તથાકથિત બુદ્ધિજીવીઓ અને પોતાની જાતને તટસ્થ કહેતા ટીકાકારોને બરાબરના ઝટક્યા હતાં. પીએમ મોદીએ 2002નો પણ ઉલ્લેખ કર્યો હતો. 
  
પીએમ મોદીએ તટસ્થ કહેતા લોકોની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં અનેક લોકોને ઓળખાનો પણ અવસર મળ્યો. ગત કેટલીક ચૂંટણીનું એમ મોટા પરિદ્રશ્ય પર એનાલિસિસ કરવું જોઈએ. જે પોતાની જાતને ન્ટ્યુટ્રલ કહેતા હતાં... જેમનું ન્યુટ્રલ હોવું ખરેખર જરૂરી હોય છે તે ક્યાં ઉભા રહે છે, ક્યારે અને કેવી રીતે રંગ બદલે છે અને કેવા કેવા ખેલ ખેલે છે તે વિષે દેશે જાણી લેવું ખુબ જરૂરી છે. તેમને કહ્યું હતું કે, ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી યોજાઈ જેમાં કેટલાયની ડિપોઝીટો જપ્ત થઈ. એ કોની થઈ તેને લઈને કોઈ જ ચર્ચા નહીં? તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં કેટલાય લોકોની ડિપોઝિટ જપ્ત થઈ અને કેટલા લોકોની ભૂંડી હાલત થઈ તેના વિશે કોઈ જ ચર્ચા નથી થતી. 

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા  હતાં. તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજનીતિમાં સેવાભાવથી એક મુક સેવક તરીકે કામ કરવું એ તો જાણે ડિસ્કોલિફિકેશન માનવામાં આવે છે. આ શું સ્થિતિ આવી છે. આ કેવા નવા માપદંડો બેસાડવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રની શાનદાર જીતને યાદ કરતા કહ્યું હતું કે, હું અશ્ચર્યચકિત છું કે, ભૂપેન્દ્ર ભાઈએ પોતાના મતવિસ્તારમાં લગભગ બે લાખ મતોથી વિજયી થયા છે. લોકસભામાં પણ 2 લાખથી જીત મેળવવી પણ મોટી વાત કહેવાય છે પરંતુ ભૂપેંદ્ર પટેલે તો વિધાનસભની ચૂંટણીમાં 2 લાખ જેટલા વોટથી જીત મેળવી છે એ કંઈ નાની વાત નથી. પરંતુ આ બાબતે કોઈ જ ચર્ચા નહીં?? ઠેકેદારોના ત્રાજવા કઈંક જુદા જ છે. માટે જ  આપણે વિપરીત જુલ્મો વચ્ચે આગળ વધવાનું છે. 

કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે આપણી સહનશીલતાને વધારવાની છે. સમજશક્તિને વધારવાની છે. તથાકથિત તટસ્થ લોકોનો ઉધડો લેતા તેમણે કહ્યું હતું કે, તે જ્યાં છે ત્યાં એમ જ રહેશે. તે બદલાશે નહીં. પોતાના વિષે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ખાસ કરીને હું 2002 બાદ વિશેષ રૂપે માનું છું કે, કદાચ મારા જીવનની કોઈ પળ એવી નથી કે, કોઈ પગલુ એવું નથી રહ્યું જેની ધજ્જીયા ના ઉડાવવામાં આવી હોય. જેની ટીકા જ નહીં પણ ધજ્જીયા ઉડાવવી... વાળ ખેંચી નાખવામાં ના આવી હોય. વડાપ્રધાને કહ્યું હતું કે, પરંતુ તેનો મને ખુબ જ લાભ મળ્યો. કારણ કે હું હંમેશા સતર્ક રહ્યો... આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક સિખ્યો. મારામાં પરિવર્તન લાવતો રહ્યો. શિખતો ગયો અને આગળ વધતો ગયો.  

તેમણે કહ્યું હતું કે, ચારેકોરથી ઉછળનારા, ખભા પર બેસાડીને ફરનારાઓ સુધરે તેવી પણ શક્યતા નથી હોતી. તે તો જ્યાં છે ત્યાંથી પણ વધારે બગડશે. હવે સમય આવી ગયો છે કે, તેમને ઓળખી લેવામાં આવે. કારણ કે, તમારા પર અને મારા પર જુલમો વધશે. કારણ કે તે લોકો સહન નહીં કરી શકે. તે પચાવી નહીં શકે. અને તેનો જવાબ આપણી સહન શક્તિ વધારીને જ આપવાનો છે. 

આમ પીએમ મોદીએ ટીકાકારો અને પોતાને તટસ્થ ગણાવીને ટીકા કરનારાઓનો બરાબરનો ઉધડો લીધો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget