શોધખોળ કરો

PM Modi Speech:પીએમ મોદીએ નામ લીધા વગર જ ટીકાકારો અને કહેવાતા બુદ્ધિજીવિઓનો ઉધડો લીધો

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા હતાં.

Gujarat Elections Result 2022 : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમએ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. સાથે જ પીએમ મોદીએ તથાકથિત બુદ્ધિજીવીઓ અને પોતાની જાતને તટસ્થ કહેતા ટીકાકારોને બરાબરના ઝટક્યા હતાં. પીએમ મોદીએ 2002નો પણ ઉલ્લેખ કર્યો હતો. 
  
પીએમ મોદીએ તટસ્થ કહેતા લોકોની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં અનેક લોકોને ઓળખાનો પણ અવસર મળ્યો. ગત કેટલીક ચૂંટણીનું એમ મોટા પરિદ્રશ્ય પર એનાલિસિસ કરવું જોઈએ. જે પોતાની જાતને ન્ટ્યુટ્રલ કહેતા હતાં... જેમનું ન્યુટ્રલ હોવું ખરેખર જરૂરી હોય છે તે ક્યાં ઉભા રહે છે, ક્યારે અને કેવી રીતે રંગ બદલે છે અને કેવા કેવા ખેલ ખેલે છે તે વિષે દેશે જાણી લેવું ખુબ જરૂરી છે. તેમને કહ્યું હતું કે, ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી યોજાઈ જેમાં કેટલાયની ડિપોઝીટો જપ્ત થઈ. એ કોની થઈ તેને લઈને કોઈ જ ચર્ચા નહીં? તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં કેટલાય લોકોની ડિપોઝિટ જપ્ત થઈ અને કેટલા લોકોની ભૂંડી હાલત થઈ તેના વિશે કોઈ જ ચર્ચા નથી થતી. 

પીએમ મોદીએ આકરા પ્રહાર યથાવત રાખતા કહ્યું હતું કે, હવે એ લોકોને પણ ઓળખી અને જાણી લેવા જોઈએ કે આ પણ ઠેકેદારો છે. વડાપ્રધાને આમ કહેતા જ લોકો પણ ઉત્સાહિત થઈ ગયા  હતાં. તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજનીતિમાં સેવાભાવથી એક મુક સેવક તરીકે કામ કરવું એ તો જાણે ડિસ્કોલિફિકેશન માનવામાં આવે છે. આ શું સ્થિતિ આવી છે. આ કેવા નવા માપદંડો બેસાડવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રની શાનદાર જીતને યાદ કરતા કહ્યું હતું કે, હું અશ્ચર્યચકિત છું કે, ભૂપેન્દ્ર ભાઈએ પોતાના મતવિસ્તારમાં લગભગ બે લાખ મતોથી વિજયી થયા છે. લોકસભામાં પણ 2 લાખથી જીત મેળવવી પણ મોટી વાત કહેવાય છે પરંતુ ભૂપેંદ્ર પટેલે તો વિધાનસભની ચૂંટણીમાં 2 લાખ જેટલા વોટથી જીત મેળવી છે એ કંઈ નાની વાત નથી. પરંતુ આ બાબતે કોઈ જ ચર્ચા નહીં?? ઠેકેદારોના ત્રાજવા કઈંક જુદા જ છે. માટે જ  આપણે વિપરીત જુલ્મો વચ્ચે આગળ વધવાનું છે. 

કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આપણે આપણી સહનશીલતાને વધારવાની છે. સમજશક્તિને વધારવાની છે. તથાકથિત તટસ્થ લોકોનો ઉધડો લેતા તેમણે કહ્યું હતું કે, તે જ્યાં છે ત્યાં એમ જ રહેશે. તે બદલાશે નહીં. પોતાના વિષે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ખાસ કરીને હું 2002 બાદ વિશેષ રૂપે માનું છું કે, કદાચ મારા જીવનની કોઈ પળ એવી નથી કે, કોઈ પગલુ એવું નથી રહ્યું જેની ધજ્જીયા ના ઉડાવવામાં આવી હોય. જેની ટીકા જ નહીં પણ ધજ્જીયા ઉડાવવી... વાળ ખેંચી નાખવામાં ના આવી હોય. વડાપ્રધાને કહ્યું હતું કે, પરંતુ તેનો મને ખુબ જ લાભ મળ્યો. કારણ કે હું હંમેશા સતર્ક રહ્યો... આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી કંઈક ને કંઈક સિખ્યો. મારામાં પરિવર્તન લાવતો રહ્યો. શિખતો ગયો અને આગળ વધતો ગયો.  

તેમણે કહ્યું હતું કે, ચારેકોરથી ઉછળનારા, ખભા પર બેસાડીને ફરનારાઓ સુધરે તેવી પણ શક્યતા નથી હોતી. તે તો જ્યાં છે ત્યાંથી પણ વધારે બગડશે. હવે સમય આવી ગયો છે કે, તેમને ઓળખી લેવામાં આવે. કારણ કે, તમારા પર અને મારા પર જુલમો વધશે. કારણ કે તે લોકો સહન નહીં કરી શકે. તે પચાવી નહીં શકે. અને તેનો જવાબ આપણી સહન શક્તિ વધારીને જ આપવાનો છે. 

આમ પીએમ મોદીએ ટીકાકારો અને પોતાને તટસ્થ ગણાવીને ટીકા કરનારાઓનો બરાબરનો ઉધડો લીધો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Police Bharti: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટરની લિંક OJAS પર એક્ટિવ! ઘરે બેઠા 2 મિનિટમાં ડાઉનલોડ કરો
Gujarat Police Bharti: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટરની લિંક OJAS પર એક્ટિવ! ઘરે બેઠા 2 મિનિટમાં ડાઉનલોડ કરો
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
ભારતમાં લોન્ચ પહેલા સ્ટારલિંકને મળી મોટી મંજૂરી, હવે કરી શકશે આ કામ, કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ
ભારતમાં લોન્ચ પહેલા સ્ટારલિંકને મળી મોટી મંજૂરી, હવે કરી શકશે આ કામ, કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ

વિડિઓઝ

Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Speech: ભારત- જર્મની વચ્ચેના CEO કોન્ફરન્સમાં PMનું સંબોધન | abp Asmita LIVE
Kite Festival 2026: PM મોદી-જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવ્યો
PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Police Bharti: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટરની લિંક OJAS પર એક્ટિવ! ઘરે બેઠા 2 મિનિટમાં ડાઉનલોડ કરો
Gujarat Police Bharti: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટરની લિંક OJAS પર એક્ટિવ! ઘરે બેઠા 2 મિનિટમાં ડાઉનલોડ કરો
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
ડૉનાલ્ડ ટ્રમ્પ ક્યારે આવશે ભારત ? અમેરિકી રાજદૂતે PM મોદી-ટ્રમ્પની મિત્રતાને લઈ કહી મોટી વાત
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
ભારતમાં લોન્ચ પહેલા સ્ટારલિંકને મળી મોટી મંજૂરી, હવે કરી શકશે આ કામ, કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ
ભારતમાં લોન્ચ પહેલા સ્ટારલિંકને મળી મોટી મંજૂરી, હવે કરી શકશે આ કામ, કનેક્ટિવિટી થશે સુપરફાસ્ટ
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર થશે ડબલ! જાણો શું છે સંભાવના ?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર થશે ડબલ! જાણો શું છે સંભાવના ?
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Modi-Merz Meet LIVE Updates: ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- 'બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત'
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
Gold Silver: સોના અને ચાંદીના ભાવમાં ભડકો! જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ ભાવ
SIP થી તૈયાર કરવું છે 1 કરોડ રુપિયાનું નિવૃતિ ફંડ તો કેટલો સમય લાગશે ? સમજો કેલક્યુલેશન
SIP થી તૈયાર કરવું છે 1 કરોડ રુપિયાનું નિવૃતિ ફંડ તો કેટલો સમય લાગશે ? સમજો કેલક્યુલેશન
Embed widget