![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Project Cheetah: PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડ્યા, જુઓ વીડિયો
Cheetah In India: આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસરે ભારતને અનોખી ભેટ મળી છે. મધ્યપ્રદેશના કૂનો પાર્કમાં પીએમ મોદીએ 3 ચિત્તાને નેશનલ પાર્કમાં છોડયાં.
![Project Cheetah: PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડ્યા, જુઓ વીડિયો PM Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh video Project Cheetah: PM મોદીએ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડ્યા, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/aed499cd07cfa114f7f90f4a06c30ce9166339472433225_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cheetah In India: આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસરે ભારતને અનોખી ભેટ મળી છે. મધ્યપ્રદેશના કૂનો પાર્કમાં પીએમ મોદીએ 3 ચિત્તાને નેશનલ પાર્કમાં છોડયાં. નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી તેને લાવવામાં આવી રહ્યા હતા તે ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. તેમને અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક પહોંચાડવામાં આવ્યાં હતા.
#WATCH | Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at their new home Kuno National Park in Madhya Pradesh.
— ANI (@ANI) September 17, 2022
(Source: DD) pic.twitter.com/CigiwoSV3v
નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તામાંથી 5 માદા છે જ્યારે 3 નર છે. માદા ચિત્તાનું આયુષ્ય 2 થી 5 વર્ષની વચ્ચે હોય છે જ્યારે નર ચિત્તાનું આયુષ્ય 4.5 થી 5.5 વર્ષ વચ્ચે હોય છે. આ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન સમયગાળામાં એક મહિના સુધી ખાવામાં આવશે અને આ દરમિયાન તેમને 2-3 દિવસમાં 2-3 કિલો માંસ ખાવા માટે આપવામાં આવશે. ચિત્તાને 70 વર્ષ પહેલા ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. દેશમાં 70 વર્ષથી ચિત્તા ન હતી અને એવું પણ નથી કે અચાનક ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રયાસ 50 વર્ષ પહેલા શરૂ થયો હતો, જે મોદીના જન્મદિવસના દિવસે તેના અંત સુધી પહોંચી ગયો હતો. ચિત્તાઓ માટે 25 ચોરસ કિલોમીટરનું વિશેષ સર્કલ બનાવવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની સરકાર અને વન્યજીવ નિષ્ણાતો તેમના પર નજર રાખશે. ચિત્તાઓને અહીંની ભારતીય આબોહવા સાથે અનુકૂલન સાધવામાં એકથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV
— ANI (@ANI) September 17, 2022
#WATCH | Prime Minister Narendra Modi launches Project Cheetah at Kuno National Park, Madhya Pradesh
— ANI (@ANI) September 17, 2022
(Source: DD)https://t.co/IXSXA1rBUL
ચિત્તાના કેટલાક રોચક તથ્યો
- ચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ હોય છે. જેથી તે ત્રણ મીલના અંતરે પણ તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે.
- માદા અને નર ચિત્તામાં તફાવત કરવો મુશ્કેલ છે પરંતુ માદા કરતા નર ચિતાનું માથુ અને સંપૂર્ણ શરીરનું કદ થોડુ મોટું હોય છે.
- જ્યારે ચિત્તાને પોતાના પર જોખમ તોળાતું દેખાય છે તો તે જમીન પર પગને મારે છે. ચિત્તાની આયુ માત્ર 20 વર્ષ સુધીની જ હોય છે.
- સામાન્ય રીતે ચિત્તો સવારે અને સાંજે શિકાર કરવાનું પસંદ કરે છે. તે એક મિનિટની અંદર 150 વખત શ્વાસ લે છે અને છોડે છે.
- ચિત્તા એક પણ પ્રકારની વનસ્પતિ નથી ખાતા. ચિત્તાને પાણી પીવાની જરૂર નથી રહેતી . જ્યારે તે તેમના શિકારને ખાય છે, ત્યારે તેઓ પાણી મેળવે છે.તે 3થી4 દિવસમાં માત્ર એક વખત પાણી પીવે છે.
- સૌથી ઝડપી પ્રાણી હોવા છતાં, ચિત્તા માત્ર 450 મીટર જેટલી ઝડપથી દોડી શકે છે. આનાથી વધુ દોડવાથી તેમના શરીરમાં ગરમી વધી જાય છે.
PM Modi releases 8 cheetahs in MP's Kuno National Park
— ANI Digital (@ani_digital) September 17, 2022
Read @ANI Story | https://t.co/NVlXzeiKWp#CheetahIsBack #Cheetahs #NarendraModi #PMModi pic.twitter.com/vmUMwm4yHm
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)