શોધખોળ કરો

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ આપ્યું મોટું નિવેદન, માફી માંગતા કહ્યું કે....

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે.

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે. તેમણે માફી માંગી છે અને પ્રાયશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે ભલે તેઓ સિસ્ટમ બદલવામાં સફળ ન થયા હોય પણ તેઓ રાજકારણમાં અમુક હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલીક ખામીઓ રહી હશે અને તેની સંપૂર્ણ જવાબદારી મારી છે, જેનો સ્વીકાર કરી છું. 

પ્રાયશ્ચિત માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન. અમે કરેલી ભૂલો માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. 20મી તારીખે હું પ્રાયશ્ચિત માટે ભીતરહરવા આશ્રમમાં એક દિવસ માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ. ભૂલ થઈ શકે છે, પરંતુ મેં ગુનો કર્યો નથી. મત ન મળવા એ ગુનો નથી. જ્યાં જાતિનું રાજકારણ ચાલે છે,  ધાર્મિક રાજકારણ છે, ત્યાં જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજીત કરવાનો ગુનો નથી કર્યો."

હું બિહાર નહીં છોડું - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "આજે ચોક્કસપણે ઝટકો લાગ્યો છે, પરંતુ જીત જન સૂરાજની થશે. જેઓ વિચારે છે કે હું બિહાર છોડીશ તો એવું નથી. હું બિહારમાં રહીશ અને ડબલ તાકાતથી લડીશું. પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. પહેલી વાર કોઈ ચૂંટણી એવી થઈ છે જેમાં 40,000 કરોડ રૂપિયા જનતાના પૈસા ખર્ચ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.  આ ફક્ત 10,000 રૂપિયાથી થયું નથી. લોકો ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં લગભગ 60,000 લોકોને 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવિકા દીદીને તૈનાત કરવામાં આવી હતી. આશરે 1 લાખ આંગણવાડી, આશા, મમતા, ટોલા સેવકો અને પ્રવાસી મજૂરોને  કુલ 29,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું."

અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. એ સ્વીકારવામાં કોઈ ખોટું નથી. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સત્તામાં પરિવર્તન પણ લાવી શક્યા નહીં. પરંતુ અમે બિહારના રાજકારણને બદલવામાં ચોક્કસપણે ભૂમિકા ભજવી.  અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમે જે રીતે સમજાવ્યું કે લોકોએ અમને ચૂંટ્યા નથી, તેમાં કંઈક ખામી હશે. જો લોકોએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. બિહારના લોકોનો વિશ્વાસ ન જીતવા માટે હું 100% જવાબદારી લઉં છું."

તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, " 1.5  કરોડ મહિલાઓને હવે આગામી 6 મહિનામાં 2  લાખ રૂપિયા આપવા જોઈએ. જે 25  બેઠકોની  વાત કરી હતી તેના પર અમે અડગ છીએ. જો આ મતો તેમણે ખરીદ્યા નથી, તો બે-બે લાખ રુપિયા મહિલાઓને છ મહિનામાં આપે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Embed widget