શોધખોળ કરો

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ આપ્યું મોટું નિવેદન, માફી માંગતા કહ્યું કે....

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે.

ચૂંટણી રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ છે.  હાર બાદ પ્રશાંત કિશોર પહેલી વાર સામે આવ્યા છે. તેમણે માફી માંગી છે અને પ્રાયશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે ભલે તેઓ સિસ્ટમ બદલવામાં સફળ ન થયા હોય પણ તેઓ રાજકારણમાં અમુક હદ સુધી પરિવર્તન લાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલીક ખામીઓ રહી હશે અને તેની સંપૂર્ણ જવાબદારી મારી છે, જેનો સ્વીકાર કરી છું. 

પ્રાયશ્ચિત માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન. અમે કરેલી ભૂલો માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. 20મી તારીખે હું પ્રાયશ્ચિત માટે ભીતરહરવા આશ્રમમાં એક દિવસ માટે સામૂહિક મૌન ઉપવાસ કરીશ. ભૂલ થઈ શકે છે, પરંતુ મેં ગુનો કર્યો નથી. મત ન મળવા એ ગુનો નથી. જ્યાં જાતિનું રાજકારણ ચાલે છે,  ધાર્મિક રાજકારણ છે, ત્યાં જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજીત કરવાનો ગુનો નથી કર્યો."

હું બિહાર નહીં છોડું - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "આજે ચોક્કસપણે ઝટકો લાગ્યો છે, પરંતુ જીત જન સૂરાજની થશે. જેઓ વિચારે છે કે હું બિહાર છોડીશ તો એવું નથી. હું બિહારમાં રહીશ અને ડબલ તાકાતથી લડીશું. પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ નથી. પહેલી વાર કોઈ ચૂંટણી એવી થઈ છે જેમાં 40,000 કરોડ રૂપિયા જનતાના પૈસા ખર્ચ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.  આ ફક્ત 10,000 રૂપિયાથી થયું નથી. લોકો ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં લગભગ 60,000 લોકોને 10,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવિકા દીદીને તૈનાત કરવામાં આવી હતી. આશરે 1 લાખ આંગણવાડી, આશા, મમતા, ટોલા સેવકો અને પ્રવાસી મજૂરોને  કુલ 29,000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું."

અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, "અમે ઈમાનદારીનો પ્રયાસ કર્યો, પણ તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. એ સ્વીકારવામાં કોઈ ખોટું નથી. સિસ્ટમ બદલવાની વાત તો ભૂલી જાઓ, અમે સત્તામાં પરિવર્તન પણ લાવી શક્યા નહીં. પરંતુ અમે બિહારના રાજકારણને બદલવામાં ચોક્કસપણે ભૂમિકા ભજવી.  અમારા પ્રયત્નોમાં, અમારા વિચારમાં અને અમે જે રીતે સમજાવ્યું કે લોકોએ અમને ચૂંટ્યા નથી, તેમાં કંઈક ખામી હશે. જો લોકોએ અમારા પર વિશ્વાસ ન કર્યો હોય, તો સંપૂર્ણ જવાબદારી મારી છે. બિહારના લોકોનો વિશ્વાસ ન જીતવા માટે હું 100% જવાબદારી લઉં છું."

તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ - પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે કહ્યું, " 1.5  કરોડ મહિલાઓને હવે આગામી 6 મહિનામાં 2  લાખ રૂપિયા આપવા જોઈએ. જે 25  બેઠકોની  વાત કરી હતી તેના પર અમે અડગ છીએ. જો આ મતો તેમણે ખરીદ્યા નથી, તો બે-બે લાખ રુપિયા મહિલાઓને છ મહિનામાં આપે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget