શોધખોળ કરો

રાષ્ટ્રપતિનું દેશને સંબોધનઃ કલમ 370 હટવાથી જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને ફાયદો થશે

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીર અને લદાખ માટે તાજેતરમાં જ કરવામાં આવેલા બદલાવથી ત્યાંના લોકોને લાભ થશે

નવી દિલ્હીઃ 73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં દેશને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને લાભ થશે. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રિપલ તલાક જેવા અભિશાપ ખત્મ થયા બાદ આપણી દીકરીઓને પણ ન્યાય મળશે તથા તેમને ભયમુક્ત જીવન જીવવાનો અવસર મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીર અને લદાખ માટે તાજેતરમાં જ કરવામાં આવેલા બદલાવથી ત્યાંના લોકોને લાભ થશે. એ પણ એ તમામ અધિકારો અને સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે જે દેશના અન્ય ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને મળી રહ્યા છે. તેઓ હવે સમાનતાને પ્રોત્સાહન આપનારા પ્રગતિશીલ કાયદાઓ અને જોવગાઇઓનો ઉપયોગ કરી શકશે. શિક્ષણના અધિકારથી તમામ બાળકોને શિક્ષણ મળી રહેશે. સૂચનાનો અધિકાર મળવાથી ત્યાં લોકોને સરળતાથી જનહિતની જાણકારી મળી રહેશે. તે સિવાય લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત અને અન્ય સુવિધાઓનો લાભ મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ સ્વાધીનતા દિવસ ભારત માતાની તમામ સંતાનો માટે ખૂબ ખુશીનો દિવસ છે. આજના દિવસે આપણને તમામને દેશપ્રેમની ભાવનાનો અનુભવ થાય છે. આ અવસર પર આપણે એ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને કાંતિકારીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ. સંસદના ચોમાસુ સત્રમાં બંન્ને ગૃહોમાં રેકોર્ડ કામની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે સંસદના તાજેતરમાં જ સંપન્ન થયેલા  લોકસભા અને રાજ્યસભાની બેઠકો સફળ રહી છે. રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સહયોગ મારફતે અનેક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ સફળ શરૂઆતથી મને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષો દરમિયાન સંસદ આ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરતી રહેશે. મતદાતાઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે, નાગરિકો અને સરકારો વચ્ચે તથા સિવિલ સોસાયટી અને વહીવટીતંત્ર વચ્ચે આદર્શ ભાગીદારીથી રાષ્ટ્ર નિર્માણ આપણુ અભિયાન વધુ મજબૂત થશે. તેમણે કહ્યું કે, દેશવાસીઓના જીવનને સારુ બનાવવા માટે સરકાર અનેક પાયાની સુવિધાઓ પ્રદાન કરી રહી છે. ગરીબથી ગરીબ લોકો માટે ઘર બનાવવા, તમામ ઘરમાં વિજળી, શૌચાલય તથા પાણીની સુવિધા આપી, સરકાર માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવી રહી છે. તમામ નાગરિકોના ઘરમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવા, ખેડૂતોને સિંચાઇની સુવિધા આપવા જળશક્તિથી વિશેષ બળ આપવામાં આવી રહ્યું છે. રેલવેને સુરક્ષિત અને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે. નાના શહેરોને હવાઇ યાત્રાની સુવિધાથી જોડવામાં આવી રહ્યા છે. સાથે હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ, એરપોર્ટ્સ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશન અને પોર્ટને આધુનિક બનાવવામં આવી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget