![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- મોદી સિસ્ટમના કુશાસનને કારણે બ્લેક ફંગસ મહામારી ફેલાઈ
દેશમાં કોરોનાની સ્થિતિને લઈને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરતા આવ્યા છે. પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી તે કોરોના સાથે જોડાયેલ વ્યવસ્થા, ઓક્સિજન અને રસીકરણને લઈને સતત પોતાની વાત રાખતા રહ્યા છે.
![રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- મોદી સિસ્ટમના કુશાસનને કારણે બ્લેક ફંગસ મહામારી ફેલાઈ rahul gandhi once again attacks pm modi says black fungus has spread due to bad governance of modi system રાહુલ ગાંધીએ ફરી PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- મોદી સિસ્ટમના કુશાસનને કારણે બ્લેક ફંગસ મહામારી ફેલાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/18/f576bd40b93c33dbb13551c23639a054_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત પ્રધાનમંત્રી નોદી પર નિશાન સાધતા દેશમાં કોરોનાની સાથે સાથે વધી રહેલ બ્લેક ફંગસ મહામારી માટ કેન્દ્ર સરકારના કુશાસનને જવાબદાર ગણાવ્યું છે. સાથે જ તેમણે રસી બાદ હવે દેશમાં બ્લેક ફંગસની દવાની અછત મુદ્દે પણ સરકારને જવાબદાર ગણાવી છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “મોદી સિસ્ટમના કુશાસનને કારણે માત્ર ભારતમાં જ કોરોનાની સાથે સાથે બ્લેક ફંગસ મહામારી છે. વેક્સનની અછત તો છે જ, આ નવી મહામારીની દવાની પણ અછત છે. તેનો સામનો કરવા માટે PM મોદી તાળી-થાળી વગાડવાની જાહેરાત કરતા જ હશે.”
मोदी सिस्टम के कुशासन के चलते सिर्फ़ भारत में कोरोना के साथ-साथ ब्लैक फ़ंगस महामारी है। वैक्सीन की कमी तो है ही, इस नयी महामारी की दवा की भी भारी कमी है।
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2021
इससे जूझने के लिए PM ताली-थाली बजाने की घोषणा करते ही होंगे।
નોંધનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિને લઈને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરતા આવ્યા છે. પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી તે કોરોના સાથે જોડાયેલ વ્યવસ્થા, ઓક્સિજન અને રસીકરણને લઈને સતત પોતાની વાત રાખતા રહ્યા છે.
મોદી સરકારને આપી હતી રસીકરણમાં ઝડપ લાવવાની સલાહ
આ પહેલા ગઈકાલે પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીએ દેશમાં રસીકરકણી સ્થિતિ પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ પર એક આંકડો શેર કર્યો હતો જે અનુસાર 70 ટકા જિલ્લામાં પ્રતિ 100 વ્યક્તિની સામે 20થી પણ ઓછા ડોઝ મળ્યા છે. તેની સાથે જ રાહુલે લખ્યું, “મિસ્ટર મોદી, લોકોનું રસીકરણ કરો, વિલંબ નહીં.”
Mr Modi,
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2021
Vaccinate! Don’t Procrastinate. pic.twitter.com/MBB0pakWYD
પોતાના એક અન્ય ટ્વીટમાં રાહુલ ગાંધીએ રસીને લઈને સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું, “રસી ખલાસ થઈ રહી છે અને કોવિડ મૃત્યુદર વધી રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિ-ધ્યાન ભટકાવો, ખોટું ફેલાવો, જોરથી બોલીને તથ્ય સંતાડો.” આ પહેલા તેમણે કહ્યું હતું, “આવનારા સમયમાં બાળકોનો કોરોનાથી સુરક્ષિત કરવા પડશે. પીડિયાટ્રિક સ્વાસ્થ્ય સુવિધાઓ અને રસી-સારવારના પ્રોટોકોલ અત્યારથી જ તૈયાર હોવા જોઈ. દેશના ભવિષ્ય માટે હાલની મોદી ‘સિસ્ટમ’એ ઉંઘમાંથી જાગવાની જરૂરત છે.”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)