શોધખોળ કરો

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અચાનક તબિયત બગડી, એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર પીઠના દુખાવાની ફરિયાદ પછી તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 જુલાઈ 2024ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશના તમામ નેતાઓએ તેમને શુભેચ્છાઓ આપી હતી. એઇમ્સે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રીના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને તેમને મંત્રીમંડળના એક મૂલ્યવાન સહયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, "એક એવા નેતા, જેમનો તેમની બુદ્ધિમત્તા માટે વ્યાપક આદર છે. કઠોર મહેનત અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. તેઓ ભારતના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની કરી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."

વર્ષ 1974માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1977માં યુપીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1988માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે એમએલસી તરીકે ચૂંટાયા અને 1991માં શિક્ષણ મંત્રી બન્યા. યુપીમાં શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નકલ વિરોધી કાયદો અને વૈદિક ગણિતની શરૂઆત કરી.

વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. 22 નવેમ્બર 1999ના રોજ તેઓ કેન્દ્રીય ભૂતલ પરિવહન મંત્રી બન્યા. 28 ઓક્ટોબર 2000ના રોજ તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા અને બે વખત ચૂંટાયા. તેઓ બારાબંકીની હૈદરગઢ બેઠક પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 24 મે 2003ના રોજ, તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા અને ત્યારબાદ ખાદ્ય પ્રક્રિયા પણ સંભાળી.

તેઓ 31 ડિસેમ્બર 2005ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ પદ પર તેઓ 19 ડિસેમ્બર 2009 સુધી રહ્યા. મે 2009માં તેઓ ઉત્તરના ગાઝિયાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા. 26 મે 2014ના રોજ રાજનાથ સિંહે ભારતના કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા અને 30 મે 2019 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે કામ કર્યું.

31 મે, 2019ના રોજ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. 2024ની ચૂંટણીઓમાં એનડીએની જીત પછી તેમને ફરીથી સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
Investment Tips: પહેલા પગાર સાથે કરો રોકાણની શરુઆત, યુવાનો માટે બેસ્ટ છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
અમેરિકાની રાજનીતિમાં મોટા ભૂકંપના એંધાણ! સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે ટ્રમ્પ સહિતના અબજોપતિઓની તસવીરો વાયરલ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
Lionel Messi: સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી પહોંચ્યો કોલકાતા, ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
શું તમે પણ હંમેશા રીલ્સ સ્ક્રોલ કરતા રહો છો? જાણો નિષ્ણાતોએ શું આપી ગંભીર ચેતવણી
Embed widget