શોધખોળ કરો

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અચાનક તબિયત બગડી, એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

Rajnath Singh Health Update: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુરુવારે (11 જુલાઈ) અચાનક તબિયત બગડી ગઈ, જેના પછી તેમને એઇમ્સના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર પીઠના દુખાવાની ફરિયાદ પછી તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં તેમની સ્થિતિ સારી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 10 જુલાઈ 2024ના રોજ તેમનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશના તમામ નેતાઓએ તેમને શુભેચ્છાઓ આપી હતી. એઇમ્સે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રીના સ્વાસ્થ્ય અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના જન્મદિવસ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને તેમને મંત્રીમંડળના એક મૂલ્યવાન સહયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું, "એક એવા નેતા, જેમનો તેમની બુદ્ધિમત્તા માટે વ્યાપક આદર છે. કઠોર મહેનત અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના આધારે તેઓ જાહેર જીવનમાં આગળ વધ્યા છે. તેઓ ભારતના સંરક્ષણ તંત્રને મજબૂત કરવા અને આપણા દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની આગેવાની કરી રહ્યા છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."

વર્ષ 1974માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1977માં યુપીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ 1988માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે એમએલસી તરીકે ચૂંટાયા અને 1991માં શિક્ષણ મંત્રી બન્યા. યુપીમાં શિક્ષણ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નકલ વિરોધી કાયદો અને વૈદિક ગણિતની શરૂઆત કરી.

વર્ષ 1994માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. 22 નવેમ્બર 1999ના રોજ તેઓ કેન્દ્રીય ભૂતલ પરિવહન મંત્રી બન્યા. 28 ઓક્ટોબર 2000ના રોજ તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા અને બે વખત ચૂંટાયા. તેઓ બારાબંકીની હૈદરગઢ બેઠક પરથી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 24 મે 2003ના રોજ, તેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી બન્યા અને ત્યારબાદ ખાદ્ય પ્રક્રિયા પણ સંભાળી.

તેઓ 31 ડિસેમ્બર 2005ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ પદ પર તેઓ 19 ડિસેમ્બર 2009 સુધી રહ્યા. મે 2009માં તેઓ ઉત્તરના ગાઝિયાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા. 26 મે 2014ના રોજ રાજનાથ સિંહે ભારતના કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા અને 30 મે 2019 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી તરીકે કામ કર્યું.

31 મે, 2019ના રોજ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા. 2024ની ચૂંટણીઓમાં એનડીએની જીત પછી તેમને ફરીથી સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો
આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget