શોધખોળ કરો

Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા કારીગરો પર કરી પુષ્પ વર્ષા, જુઓ વીડિયો

PM Modi: સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્ય દૈવી આશીર્વાદ અને દિવ્ય આત્માઓના કારણે પૂર્ણ થયું છે. હું પણ આ તમામ દિવ્ય ચેતનાઓને નમન કરું છું.

Ram Mandir Pran Pratishtha: લાંબા સમય બાદ આખરે રામલલા અયોધ્યામાં સ્થાયી થયા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશભરમાંથી અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સિયાવર રામચંદ્રને વંદન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સિયાવર રામચંદ્ર કી જય! આપ સૌને નમસ્કાર, સૌને રામ-રામ! આજે આપણા રામ આવ્યા છે. તેમણે કહ્યું કે સદીઓની રાહ જોયા બાદ આપણા રામ આવ્યા છે. સદીઓની અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું દિવ્ય ચેતનાના સાક્ષી તરીકે ગર્ભગૃહમાં તમારી સમક્ષ હાજર થયો છું.

આપણા રામલલા હવે તંબુમાં નહીં રહે. આપણા રામલલા હવે દિવ્ય મંદિરમાં રહેશે. હું દ્રઢપણે માનું છું અને અતૂટ શ્રદ્ધા રાખું છું કે જે કંઈ પણ થયું છે, દેશના અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા રામ ભક્તો તેને અનુભવતા જ હશે. આ ક્ષણ અલૌકિક છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે. આ વાતાવરણ, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્ય દૈવી આશીર્વાદ અને દિવ્ય આત્માઓના કારણે પૂર્ણ થયું છે. હું પણ આ તમામ દિવ્ય ચેતનાઓને નમન કરું છું. આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું. આપણા પ્રયત્નોમાં, આપણા ત્યાગ અને તપમાં કંઈક તો કમી હોવી જોઈએ કે આપણે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન રામ આજે આપણને ચોક્કસ માફ કરશે. લાંબા સમયથી અલગ રહેવાથી સર્જાતી સમસ્યાનો અંત આવ્યો છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કર્યા બાદ પીએમ મોદીએ પરિસરમાં સાધુ-સંતોને મળ્યા હતા. જે બાદ તેમણે અયોધ્યા રામ મંદિરના કન્સ્ટ્રક્શન કામમાં યોગદાન આપનારા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી હતી.

અયોધ્યામાં પીએમ મોદીએ શબરી, જટાયું અને ખિસકોલીને યાદ કરી શું કહ્યું? જાણો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget