શોધખોળ કરો

આતંકીવાદીઓનું કાઉન્ટડાઉન, હવે સેના રિયાસીનો બદલો લેશે, સીસીટીવી ચેક કર્યા ને પહાડી વિસ્તારોમાં શોધખોળ

Reasi Terror Attack Latest News: શિવ ખોરીથી આવતી બસ પર હુમલા બાદ ભારતીય સેનાએ સોમવારે (10 જૂન 2024) સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

Reasi Terror Attack Latest News: શિવ ખોરીથી આવતી બસ પર હુમલા બાદ ભારતીય સેનાએ સોમવારે (10 જૂન 2024) સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (SDRF) પણ રિયાસી પહોંચી ગયું છે અને ઘટના સ્થળની આસપાસના ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશનમાં ડ્રૉનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે થયેલા આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

રિયાસી જિલ્લા કમિશ્નર વિશેષ મહાજને રવિવારે (9 જૂન 2024) રાત્રે પુષ્ટિ કરી કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક બસ શિવ ખોરી તીર્થસ્થળથી કટરા જઈ રહી હતી. સાંજે લગભગ 06:10 વાગ્યે, જ્યારે બસ રાજૌરી જિલ્લાની સરહદે આવેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં પહોંચી ત્યારે તેને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. 

અચાનક થયું ફાયરિંગ, ડ્રાઇવરે ગુમાવ્યુ નિયંત્રણ 
રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહિતા શર્માએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો, જેના કારણે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ખાઈમાં પડી ગઈ. હાલમાં બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. નારાયણ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુસાફરોને રિયાસી જિલ્લા હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તેઓ ઉત્તર પ્રદેશના છે.

ઉપરાજ્યપાલે કડક કાર્યવાહી કરવાની કહી વાત 
બીજીબાજુ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હુમલાની નિંદા કરી અને તેની પાછળના લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. હું રિયાસીમાં બસ પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. શહીદ નાગરિકોના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના. અમારા સુરક્ષા દળો અને JKPએ આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે, LG એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને નિર્દેશ આપ્યો છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના તમામ લોકોને વધુ સારી તબીબી સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget