શોધખોળ કરો

Ideas of India 2025: શું આરએસએસ કટ્ટરપંથી સંગઠન છે? સરકાર્યવાહ અરુણ કુમારનો ખુલાસો, ‘સંઘનો કોઈ વિરોધી નથી’

Ideas of India 2025: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં આરએસએસ નેતાનું નિવેદન, સંઘમાં જોડાવાની પ્રક્રિયા પર પણ વાત કરી.

Arun Kumar RSS speech: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ 2025ની ચોથી આવૃત્તિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ અરુણ કુમારે સંઘને કટ્ટરપંથી સંગઠન માનવા અંગેના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે આરએસએસ કોઈને પોતાનો વિરોધી માનતું નથી અને સંઘ કટ્ટરપંથી સંગઠન નથી.

'આરએસએસને સમજવું' થીમ પર આધારિત આજના સત્રમાં અરુણ કુમારે સંઘ અને ભાજપ સરકાર સંબંધિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મુખ્યત્વે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આરએસએસના વિરોધીઓ તેને કટ્ટરપંથી સંગઠન તરીકે જુએ છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી.

આ સવાલના જવાબમાં અરુણ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારો કોઈ વિરોધી નથી. અમે માનીએ છીએ કે સંઘમાં ફક્ત બે પ્રકારના લોકો છે: એક, જેઓ સંઘમાં જોડાઈ ચૂક્યા છે અને બીજા, જેઓ હજી સંઘમાં જોડાયા નથી." તેમણે ઉમેર્યું કે, "કેટલીકવાર જે લોકો અમને વિરોધી જેવા લાગે છે, તેઓ વાસ્તવમાં અમારી પોતાની ખામીઓનું પરિણામ છે. અમે માનીએ છીએ કે અમે હજુ સુધી તેમના સુધી પહોંચી શક્યા નથી. જે દિવસે અમે તેમની પાસે પહોંચીશું, તેઓ પણ અમારા બની જશે અને તેમની વિચારસરણીમાં પણ બદલાવ આવશે. તેથી, અમારો કોઈ વિરોધી નથી."

કટ્ટરપંથી હોવાના આરોપોને નકારી કાઢતા તેમણે વધુમાં કહ્યું કે, "જો કોઈ સંગઠન કટ્ટરપંથી હોત તો તે 100 વર્ષ સુધી ટકી શક્યું ન હોત. સંઘમાં વિવિધ વિચારધારાના લોકો છે અને અમે વિવિધતામાં વિશ્વાસ રાખીએ છીએ."

સંઘમાં જોડાવાની પ્રક્રિયા વિશે પૂછવામાં આવતા અરુણ કુમારે જણાવ્યું કે, "સંઘમાં જોડાવાના મુખ્યત્વે બે રસ્તા છે. પ્રથમ તો, સંઘ સ્વયં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અમારી વેબસાઇટ પર 'Join RSS'નું વિકલ્પ ઉપલબ્ધ છે, જેના દ્વારા લોકો અમારી સાથે જોડાઈ શકે છે. દર મહિને 10,000 થી વધુ લોકો સંઘમાં જોડાવા માટે અરજી કરે છે."

તેમણે આગળ ઉમેર્યું કે, "સંઘમાં જોડાવા માટે કોઈ પૂર્વ શરતો નથી અને સભ્યપદ કે ફી જેવું પણ કંઈ નથી. અમે લોકો સાથે મિત્રતા કેળવીએ છીએ અને તેમના મનમાં દેશ અને સમાજ માટે કંઈક કરવાની ભાવના જાગૃત કરીએ છીએ. આ ભાવનાથી પ્રેરિત થઈને લોકો પોતે સંઘમાં જોડાય છે અને અન્ય લોકોને પણ જોડાવા માટે પ્રેરણા આપે છે. સંઘ પોતાના સભ્યોને દર મહિને ઓછામાં ઓછી એક વ્યક્તિને સંઘમાં જોડવા માટે પ્રોત્સાહિત પણ કરે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget