તેમણે જણાવ્યું કે ગૃહ મંત્રાલયમાં 'હિન્દુ આતંકવાદ'નો કોઈ સત્તાવાર રેકોર્ડ નહોતો. આ આખી થિયરી રાજકીય ઈરાદાઓ સાથે ઉપજાવી કાઢવામાં આવી હતી.
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
RVS Mani Interview: માલેગાંવ અને ઈશરત જહાં કેસથી લઈને 26/11 હુમલા સુધીના કેસોમાં આરવીએસ મણિએ કર્યા મોટા ખુલાસા, કહ્યું - 'હિન્દુ ટેરર'નો કોઈ રેકોર્ડ જ નહોતો.

- RVS મણિએ
- માલેગાંવ, ઈશરત જહાં કેસ રાજકીય ઈરાદાઓથી કરાયા હતા.
- કસાબ ન પકડાયો હોત તો 26/11 'હિંદુ આતંકવાદ' ગણાત.
RVS Mani Interview: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આરવીએસ મણિએ 'હિન્દુ આતંકવાદ', માલેગાંવ બ્લાસ્ટ અને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસને લઈને કેટલાક એવા વિસ્ફોટક દાવા કર્યા છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે ખુલાસો કર્યો છે કે 'હિન્દુ આતંકવાદ' જેવો કોઈ શબ્દ કે રેકોર્ડ ગૃહ મંત્રાલયમાં હતો જ નહીં, પરંતુ રાજકીય ઈરાદાઓ સાથે આ આખી થિયરી ઉપજાવી કાઢવામાં આવી હતી.
'હિન્દુ આતંકવાદ' નો કોઈ સત્તાવાર રેકોર્ડ નહોતો
ANI ના સ્મિતા પ્રકાશ સાથેના એક ખાસ પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં આરવીએસ મણિએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ આંતરિક સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા હતા, ત્યારે 2010 સુધી 'હિન્દુ આતંકવાદ' અંગેનો કોઈ જ સત્તાવાર રેકોર્ડ તેમને જોવા મળ્યો નહોતો. મણિએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જૂન 2006 માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તેમને બોલાવીને 'હિન્દુ આતંકવાદ' સાથે જોડાયેલા કેસ શોધી કાઢવા કહ્યું હતું. ત્યારે મણિએ કોંગ્રેસ નેતાને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે ગૃહ મંત્રાલય પાસે આવા કોઈ જ કેસ કે રેકોર્ડ અસ્તિત્વમાં નથી. જોકે, આ દાવાઓ અંગે દિગ્વિજય સિંહ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
માલેગાંવ કેસમાં પહેલેથી જ રમાઈ રહી હતી ગેમ
માલેગાંવ બ્લાસ્ટ કેસ વિશે બોલતા મણિએ સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ શરૂઆતથી જ માનતા હતા કે આ કેસ તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલો છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત અને મેજર રમેશ ઉપાધ્યાયની ધરપકડ એક પૂર્વ-આયોજિત કાવતરાનો ભાગ હતી. તેમણે ત્યાં સુધી દાવો કર્યો કે પુરોહિતની ધરપકડ પાછળ એક મોટું ષડયંત્ર હતું, કારણ કે પાકિસ્તાન ક્યારેય નહોતું ઈચ્છતું કે તેઓ ભારતીય સેનામાં આગળ વધે.
ઈશરત જહાં કેસમાં મોદી-શાહ હતા ટાર્ગેટ
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ અંગે મણિએ દાવો કર્યો કે આ સમગ્ર મામલાને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો. તેમનો આરોપ છે કે આ કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને નિશાન બનાવવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જો કસાબ ન પકડાયો હોત તો 26/11 પણ 'હિન્દુ આતંકવાદ' ગણાત!
રાષ્ટ્રીય સુરક્ષા અને સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ પર બોલતા મણિએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સમજૌતા એક્સપ્રેસ કેસમાં કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI વચ્ચે જાણે કોઈ 'ફિક્સ મેચ' રમાઈ રહી હોય તેવું વર્ણન ઊભું કરાયું હતું. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે જો 26/11 ના મુંબઈ હુમલામાં આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો ન હોત, તો તે ભયાનક હુમલાઓને પણ 'હિન્દુ આતંકવાદ' ની ઘટના તરીકે જ ખપાવી દેવામાં આવ્યા હોત.
અંતમાં, બીઅંત સિંહ હત્યા કેસને યાદ કરતા મણિએ જણાવ્યું કે તેઓ ભારત સરકારના આ કેસમાં એકમાત્ર સાક્ષી છે. તેમણે દેશના વિકાસની સાથે-સાથે 'સલામત ભારત' બનાવવાના વિઝન પર પણ ખાસ ભાર મૂક્યો હતો.
Frequently Asked Questions
RVS મણિએ 'હિન્દુ આતંકવાદ' વિશે શું દાવો કર્યો છે?
માલેગાંવ બ્લાસ્ટ કેસ અંગે RVS મણિનો શું મત હતો?
મણિએ કહ્યું કે આ કેસ તદ્દન ખોટો અને ઉપજાવી કાઢેલો હતો. સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિતની ધરપકડ પૂર્વ-આયોજિત કાવતરાનો ભાગ હતી.
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ અંગે RVS મણિએ કયો દાવો કર્યો?
મણિએ દાવો કર્યો કે આ સમગ્ર મામલાને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો. તત્કાલીન CM નરેન્દ્ર મોદી અને અમિત શાહને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો.
26/11 મુંબઈ હુમલા અંગે RVS મણિએ શું ચોંકાવનારો દાવો કર્યો?
તેમણે દાવો કર્યો કે જો અજમલ કસાબ જીવતો પકડાયો ન હોત, તો 26/11 ના હુમલાઓને પણ 'હિન્દુ આતંકવાદ' તરીકે જ ખપાવી દેવામાં આવ્યા હોત.






















