શોધખોળ કરો

UP Politics: કેશવ પ્રસાદ મૌર્યએ પાડી દીધો ખેલ,CM તરીકે યોગી હવે થોડા દિવસના જ મહેમાન, SPના દાવા બાદ ખળભળાટ

UP Politics: ભાજપની અંદર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે, સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે સીએમ યોગી આદિત્યનાથ આગામી થોડા મહિનામાં તેમનું પદ ગુમાવશે. એસપીએ કહ્યું કે કેશવ મૌર્યએ ખેલ પાડી દીધો છે.

UP Politics: ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચેનો તણાવ સતત ચર્ચામાં છે, જેના પર વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી સતત ટોણો મારી રહી છે. આ દરમિયાન, એસપીએ દાવો કર્યો છે કે આગામી કેટલાક મહિનામાં સીએમ યોગી આદિત્યનાથ તેમની ખુરશી ગુમાવશે. સીએમ યોગી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી બંને કેશવ મૌર્યના નિશાના પર છે.

સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું છે સંભવતઃ, આગામી કેટલાક મહિનામાં સીએમ યોગી તેમની ખુરશી ગુમાવશે. કેશવ મૌર્ય સતત તેમના નેતૃત્વમાં એક જૂથ તૈયાર કરી રહ્યા છે જે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી વિરુદ્ધ બોલે છે અને કેશવ મૌર્ય પ્રદેશ અધ્યક્ષ અને સીએમ વિરુદ્ધના આ બળવાને ધાર અને તાકાત આપી રહ્યા છે.

ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી બંને કેશવ મૌર્યના રડાર પર છે અને કેશવ ખુલ્લેઆમ આ બંને સામે રમી રહ્યા છે. એસપીના આ દાવા બાદ હલચલ વધુ તેજ થઈ ગઈ છે.

ભાજપ સંગઠનમાં પણ સંઘર્ષ જોવા મળ્યો

તો બીજી તરફ, કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનને ટાંકીને ભાજપના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી પંડિત સુનીલ ભરલાએ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેશવ પ્રસાદના નિવેદનના આધારે મારી સમજમાં સંગઠનની જવાબદારી પણ મોટી છે. તેમનો કહેવાનો મતલબ એ હોઈ શકે કે હારની સૌથી મોટી જવાબદારી સંગઠનની જ છે. આથી માનનીય પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

ભાજપમાં ઉથલપાથલનો અખિલેશને કેટલો ફાયદો થશે?

વાસ્તવમાં, ભાજપમાં ઘમાસાણ વચ્ચે, અખિલેશ યાદવે કહ્યું, "મોનસૂન ઓફર: 100 લાવો, સરકાર બનાવો!" એવું માનવામાં આવે છે કે તેઓ ઈશારો કરી રહ્યા હતા કે જો કોઈ 100 ધારાસભ્યો લાવશે તો સરકાર બનાવવામાં મદદ કરશે. જો કે, આ સપના જેવું છે, કારણ કે ભાજપ પાસે જંગી બહુમતી છે. યુપીમાં વિધાનસભાની 403 બેઠકો છે અને બહુમત માટે 202 બેઠકો જરૂરી છે. એકલા ભાજપ પાસે લગભગ 251 બેઠકો છે અને તેના સાથી પક્ષો પાસે બેઠકોની સંખ્યા 300 આસપાસ છે.

જો ભાજપની બેઠકોની સંખ્યા ઓછી થાય તો પણ તે તેના સહયોગીઓ સાથે સરકારમાં રહી શકે છે. અખિલેશ યાદવની પાર્ટી સાથે આવ્યા બાદ પણ સરકાર બનાવવી મુશ્કેલ બની રહી છે. ભલે સરકાર બનાવવી મુશ્કેલ હોય, પરંતુ અખિલેશ યાદવની આ ઓફરે ચોક્કસ હલચલ મચાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget