શોધખોળ કરો

UP Politics: કેશવ પ્રસાદ મૌર્યએ પાડી દીધો ખેલ,CM તરીકે યોગી હવે થોડા દિવસના જ મહેમાન, SPના દાવા બાદ ખળભળાટ

UP Politics: ભાજપની અંદર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે, સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે સીએમ યોગી આદિત્યનાથ આગામી થોડા મહિનામાં તેમનું પદ ગુમાવશે. એસપીએ કહ્યું કે કેશવ મૌર્યએ ખેલ પાડી દીધો છે.

UP Politics: ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચેનો તણાવ સતત ચર્ચામાં છે, જેના પર વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી સતત ટોણો મારી રહી છે. આ દરમિયાન, એસપીએ દાવો કર્યો છે કે આગામી કેટલાક મહિનામાં સીએમ યોગી આદિત્યનાથ તેમની ખુરશી ગુમાવશે. સીએમ યોગી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી બંને કેશવ મૌર્યના નિશાના પર છે.

સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું છે સંભવતઃ, આગામી કેટલાક મહિનામાં સીએમ યોગી તેમની ખુરશી ગુમાવશે. કેશવ મૌર્ય સતત તેમના નેતૃત્વમાં એક જૂથ તૈયાર કરી રહ્યા છે જે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી વિરુદ્ધ બોલે છે અને કેશવ મૌર્ય પ્રદેશ અધ્યક્ષ અને સીએમ વિરુદ્ધના આ બળવાને ધાર અને તાકાત આપી રહ્યા છે.

ભૂપેન્દ્ર ચૌધરી અને સીએમ યોગી બંને કેશવ મૌર્યના રડાર પર છે અને કેશવ ખુલ્લેઆમ આ બંને સામે રમી રહ્યા છે. એસપીના આ દાવા બાદ હલચલ વધુ તેજ થઈ ગઈ છે.

ભાજપ સંગઠનમાં પણ સંઘર્ષ જોવા મળ્યો

તો બીજી તરફ, કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનને ટાંકીને ભાજપના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી પંડિત સુનીલ ભરલાએ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેશવ પ્રસાદના નિવેદનના આધારે મારી સમજમાં સંગઠનની જવાબદારી પણ મોટી છે. તેમનો કહેવાનો મતલબ એ હોઈ શકે કે હારની સૌથી મોટી જવાબદારી સંગઠનની જ છે. આથી માનનીય પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

ભાજપમાં ઉથલપાથલનો અખિલેશને કેટલો ફાયદો થશે?

વાસ્તવમાં, ભાજપમાં ઘમાસાણ વચ્ચે, અખિલેશ યાદવે કહ્યું, "મોનસૂન ઓફર: 100 લાવો, સરકાર બનાવો!" એવું માનવામાં આવે છે કે તેઓ ઈશારો કરી રહ્યા હતા કે જો કોઈ 100 ધારાસભ્યો લાવશે તો સરકાર બનાવવામાં મદદ કરશે. જો કે, આ સપના જેવું છે, કારણ કે ભાજપ પાસે જંગી બહુમતી છે. યુપીમાં વિધાનસભાની 403 બેઠકો છે અને બહુમત માટે 202 બેઠકો જરૂરી છે. એકલા ભાજપ પાસે લગભગ 251 બેઠકો છે અને તેના સાથી પક્ષો પાસે બેઠકોની સંખ્યા 300 આસપાસ છે.

જો ભાજપની બેઠકોની સંખ્યા ઓછી થાય તો પણ તે તેના સહયોગીઓ સાથે સરકારમાં રહી શકે છે. અખિલેશ યાદવની પાર્ટી સાથે આવ્યા બાદ પણ સરકાર બનાવવી મુશ્કેલ બની રહી છે. ભલે સરકાર બનાવવી મુશ્કેલ હોય, પરંતુ અખિલેશ યાદવની આ ઓફરે ચોક્કસ હલચલ મચાવી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget