SBIના કર્મચારીઓ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની હડતાળ પર રહેશે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
SBIએ ગ્રાહકો માટે જાહેર કરી એડવાઇઝરી,, 2 દિવસની હડતાળ દરમિયાન કઇ સેવા રહેશે કાર્યરત
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંક કર્મચારીઓની બે દિવસીય હડતાળ અને વચ્ચે આવતી રજાઓને કારણે સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. જેને લઈને SBIએ ગ્રાહકો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે.

- SBI કર્મચારીઓ 25-26 મેના રોજ હડતાળ પર રહેશે.
- શાખાઓમાં સેવાઓ ચાલુ રાખવાના પ્રયાસ કરાશે.
- ATM, ડિજિટલ સેવાઓ, CSP નો ઉપયોગ કરો.
- રજાઓ અને હડતાળને કારણે છ દિવસ સેવાઓ પ્રભાવિત.
SBI Staff Strike: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. બેંકના કર્મચારીઓ 25 અને 26 મે, 2026ના રોજ બે દિવસની હડતાળ પર રહેવાના હોવાથી ગ્રાહકોને બેંકિંગ સેવાઓ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.
બેંકે જાહેર કરી એડવાઈઝરી
SBIના સત્તાવાર X એકાઉન્ટ દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં જણાવાયું છે કે હડતાળ દરમિયાન શાખાઓમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરવામાં આવશે. જોકે, ગ્રાહકોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
પોસ્ટમાં જણાવાયું છે કે,
“કૃપા કરીને નોંધ લો કે, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા 25 અને 26 મે 2026ના રોજ બે દિવસની હડતાળની સૂચના આપવામાં આવી છે. અમે ગ્રાહકોને જરૂરી સેવાઓ મળી રહે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ.”
— State Bank of India (@TheOfficialSBI) May 22, 2026
બેંકે ગ્રાહકોને નીચે મુજબની સલાહ આપી છે
- રોકડની જરૂર પડે ત્યારે ATM/ADWMનો ઉપયોગ કરો
- કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs)નો ઉપયોગ કરો
- ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, મોબાઈલ બેંકિંગ, UPI અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરો.
- બેંકે ગ્રાહકોને થનારી અસુવિધા બદલ માફી પણ માંગી છે.
આ પણ વાંચો:માર્કેટ રિસ્કથી છો પરેશાન? LIC લાવ્યું ગજબની સ્કીમ, હવે તમને મળશે ગેરંટી સાથે રિટર્ન, જાણો
ઉલ્લેખનિય છે કે, SBIના કર્મચારીઓ 25 અને 26 મેના રોજ હડતાળ પર રહેશે. તે પહેલાં 23 અને 24 મેના રોજ શનિવાર-રવિવારની રજા છે અને ત્યારબાદ ઈદની રજા પણ આવતી હોવાથી સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તેથી, ગ્રાહકોને શાખા સંબંધિત જરૂરી કામો અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
Frequently Asked Questions
SBI કર્મચારીઓ ક્યારે હડતાળ પર રહેશે?
હડતાળ દરમિયાન SBI કઈ સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે?
SBI હડતાળ દરમિયાન શાખાઓમાં જરૂરી બેંકિંગ સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. જોકે, ગ્રાહકોને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે.
હડતાળના દિવસોમાં ગ્રાહકો કઈ વૈકલ્પિક બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે?
ગ્રાહકો રોકડની જરૂર માટે ATM/ADWM, કસ્ટમર સર્વિસ પોઇન્ટ્સ (CSPs) અને ઇન્ટરનેટ બેંકિંગ, યોનો એપ, મોબાઈલ બેંકિંગ, UPI જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.
હડતાળ ઉપરાંત બેંકિંગ સેવાઓ કયા કારણે પ્રભાવિત થઈ શકે છે?
SBI કર્મચારીઓની હડતાળ ઉપરાંત, 23 અને 24 મેના રોજ શનિવાર-રવિવારની રજા અને ત્યારબાદ ઈદની રજા હોવાથી સતત છ દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.






















