શોધખોળ કરો

Shiv Sena : ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમમાં પણ ધોબી પછાડ, શિવસેનાનું નામ-ચિન્હ શિંદેને ફાળે

આ મામલે એકનાથ શિંદે જૂથના વકીલ મનીન્દર સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ જ ચૂંટણી પંચે એક રાજકીય પક્ષમાં ફૂટની સ્થિતિમાં પાર્ટીના નામ અને તેના નિશાન વિશે નિર્ણય લીધો છે.

Supreme Court Shiv Sena : શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાનું નામ અને ચૂંટણી પ્રતીકને લઈને આપેલ ચૂંટણી પંચના આદેશ પર સ્ટે લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને આ કેસમાં બે અઠવાડિયામાં જ જવાબ આપવા કહ્યું છે. વડી અદાલતે કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચના નિર્ણય પર રોક ના લગાવી શકીએ. જ્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર શિવસેના નેતા રાહુલ શેવાલે કહ્યું હ્તું કે, અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ.

ઉદ્ધવ ઠાકરેની અરજી પર સુપ્રીમ કોર્ટે દખલ દેતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને બે અઠવાડિયામાં જવાબ આપવા માટે નોટિસ ફટકારી હતી. કોર્ટે બેંક ખાતા અને સંપત્તિ ટેકઓવર કરવા પર પણ કોઈ જ પ્રતિબંધ લગાવ્યો નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના આદેશ બાદ કાર્યવાહી પર કોઈ જ પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો છે.

આ મામલે એકનાથ શિંદે જૂથના વકીલ મનીન્દર સિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના હુકમ બાદ જ ચૂંટણી પંચે એક રાજકીય પક્ષમાં ફૂટની સ્થિતિમાં પાર્ટીના નામ અને તેના નિશાન વિશે નિર્ણય લીધો છે. શિંદે જુથ તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે, તે હવે  અયોગ્યતાની કાર્યવાહી નહીં કરે. 

બીજી બાજુ, ઠાકરે જૂથના નેતા અનિલ પરબે કહ્યું છે કે, અમારી SLPમાં અમે શિંદે જૂથને ફાળવવામાં આવેલા ચૂંટણી પ્રતીક અને નામને યથાવત રાખવાની માંગ કરી છે. પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે, સુનાવણી 2 અઠવાડિયા બાદ થશે અને ત્યાં સુધી અમે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નામ સાથે યથાવત રાખી શકીશું. ઉપરાંત ત્યાં સુધી અમારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની નોટિસ આપવામાં આવશે નહીં અને તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

ઉદ્ધવ કેમ્પે સુપ્રીમ કોર્ટ પાસે કરી હતી આ માંગણી 

અગાઉ મંગળવારે એક અસામાન્ય ભગલુ ભરતા ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના જુથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના કેમ્પના શિવસેનાના ધારાસભ્યો સામેની પડતર ગેરલાય ઠેરવતી કાર્યવાહી પર નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ કહ્યું હતું કે, બંધારણની લોકતાંત્રિક ભાવનાને જાળવી રાખવાનો આ એકમાત્ર રસ્તો હશે.

ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. પક્ષના નિયંત્રણ માટે લાંબી લડાઈ બાદ તેના 78 પાનાના આદેશમાં ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી "મશાલ" ચૂંટણી પ્રતીક જાળવી રાખવાની મંજૂરી આપી હતી.

પંચે જણાવ્યું હતું કે, 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 55 વિજેતા ઉમેદવારોમાંથી લગભગ 76 ટકા મત એકનાથ શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોની તરફેણમાં પડ્યા હતા. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના વિજેતા ઉમેદવારોની તરફેણમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને 23.5 ટકા મત મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget