શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’

UBT સાંસદોના સંપર્કમાં હોવાના શિવસેનાના દાવા પર ઉગ્ર ઠાકરે, ભાજપ અને શિંદે જૂથ પર કર્યા આકરા પ્રહાર

Maharashtra politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. શિવસેના (UBT)ના સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાના અહેવાલો વચ્ચે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થયા છે અને શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે શિંદે જૂથને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો તેઓ ખરેખર ‘મર્દના દીકરા’ હોય તો ED, CBI અને પોલીસનો સહારો લીધા વિના તેમની સામે આવીને લડે. આ સાથે જ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ ભાજપ અને શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના કેટલાક સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાવાના અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, "જો તમે (એકનાથ શિંદે અને ભાજપ) 'મર્દ કી ઔલાદ' (પુરુષોના બાળકો) છો, તો ED, CBI, આવકવેરા અને પોલીસને બાજુ પર મૂકો અને અમારી સાથે ખુલ્લી રીતે મેદાનમાં લડો. હું તમને બતાવીશ કે જો તમે શિવસેનાને તોડવાનો પ્રયાસ કરશો તો શું થશે." ઉદ્ધવ ઠાકરેના આક્રોશપૂર્ણ શબ્દોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT)ના સાત સાંસદો શિંદે જૂથમાં જોડાવાના દાવાઓને પડકારતા કહ્યું હતું કે, "હું તેમને ચેલેન્જ આપું છું કે સરકારી મશીનરીને બાજુ પર રાખીને શિવસેનાનો એક પણ સભ્ય તોડીને બતાવે." તેમણે મહાયુતિ સરકાર પર છેતરપિંડીથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકરેએ કહ્યું કે ચૂંટણીમાં નકલી મતદારો બનાવવામાં આવ્યા હતા અને લાખો નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા, જેની તપાસ થવી જોઈએ. તેમણે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ અને ભાજપને ઘેરતા કહ્યું કે જો તેઓ હિંદુત્વનો બુરખો પહેરીને હિંદુત્વનું સન્માન નહીં કરે, તો તેઓ અસલી હિંદુત્વ શું છે તે બતાવી દેશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પર મુંબઈ અને મહારાષ્ટ્રને આર્થિક રીતે પાયમાલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે BMCને લૂંટવાનો અને વિખેરી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે બેંકમાં પૈસા રાખવાથી વિકાસ નથી થતો, તો BMCના પૈસા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં નાખવાથી વિકાસ કેવી રીતે થશે?

સંજય રાઉતે પણ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ કુંભ સ્નાન પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાને પૂરા કપડાં પહેરીને ગંગામાં સ્નાન કર્યું અને બતાવ્યું કે આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. રાઉતે શિવસેના (UBT)માં ભાગલાની અટકળોને રદિયો આપતા કહ્યું કે આજે સવારે અરવિંદ સાવંતે તમામ સાંસદોને તેમના ઘરે બોલાવ્યા હતા અને બધા સાંસદોએ શિવસેના સાથે પોતાની વફાદારી દર્શાવી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકારતા સંજય રાઉતે કહ્યું કે શિંદે જૂથ અને ભાજપે લાખો નવા મતદારો ઉમેરીને ચૂંટણી જીતી છે. તેમણે શિંદે જૂથને 'અફઝલ ખાનના સંતાનો' ગણાવ્યા હતા અને તેમની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાઉતે કહ્યું કે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે અને કાયદાકીય લડત લડશે.

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના આક્રમક નિવેદનોથી મહારાષ્ટ્રનું રાજકારણ ફરીથી ગરમાયું છે. શિવસેના (UBT) પોતાના સાંસદોને બચાવવા અને શિંદે જૂથ તથા ભાજપના પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી છે.

આ પણ વાંચો....

મૌલાના સાજીદ રશીદીએ પહેલીવાર બીજેપીને આપ્યો વોટ, કારણ પણ કહ્યું, કહ્યું- 'મુસલમાનોને ખૂબ ડરાવી દીધા...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget