શોધખોળ કરો

ધોરણ-12ની પરીક્ષા પર CBSE-ICSE ની નીતિને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, ફિઝિકલ પરીક્ષાના પરિણામ બાદ કોલેજમાં લઈ શકાશે એડમિશન

CBSE અને ICSEની  ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી હતી. 

નવી દિલ્હીઃ CBSE અને ICSEની  ધોરણ-12ની પરીક્ષા સાથે જોડાયેલી નીતિને સુપ્રીમ કોર્ટે આજે મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમાં વિદ્યાર્થીઓની જરૂરીયાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં બધા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી હતી. 

આ વખતે કોરોનાની ગંભીર સ્થિતિને જોતા  CBSE એ ધોરણ 12ની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું કે, 3 વર્ષના એવરેજ આધાર પર 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ નથી તેને લેખિત પરીક્ષાનો વિકલ્પ મળશે. આ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે આ નીતિ પર અરજીકર્તાઓને સૂચન આપવાનું કહ્યું હતું. મોટાભાગના અરજીકર્તા નીતિથી સહમત હતા, પરંતુ એક અરજીકર્તાએ દલીલ આપી કે જ્યારે CLAT અને NEET જેવી પરીક્ષાઓ ફિઝિકલ રીતે થઈ રહી છે તો ધોરણ 12ની પરીક્ષા યોજાવી જોઈએ. કોર્ટે આ માંગને નકારતા કહ્યું કે, 12ની પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. NEET કે CLAT સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, તેનું આયોજન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જરૂરી છે. 

એક વાલી સંઘ તરફથી બોલતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ આપી કે આંતરિક મૂલ્યાંકનનું પરિણામ તો 31 જુલાઈ સુધી આવી જશે. પરંતુ લેખિત પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર સુધી આવશે. તેનાથી કોલેજ એડમિશનમાં સમસ્યા થશે. એટલે લેખિત પરીક્ષા જુલાઈમાં યોજાઈ અથવા બન્નેના પરિણામ સાથે જાહેર થાય. કોર્ટે જુલાઈમાં લેખિત પરીક્ષાની માંગ ઠુકરાવી દીધી. પરંતુ બન્ને પરિણામ એક સાથે જાહેર કરવાની માંગ પર એટોર્ની જનરલ પાસે જવાબ માંગ્યો છે. 

કેંદ્ર તરફથી રજૂ થયેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યુ કે, આંતરિક મૂલ્યાંકનના પરિણામની પહેલા જાહેરાત વિદ્યાર્થીઓના હિતમાં છે. તેમને વધુ એક તક મળશે કે તે પરિણામ સુધારવા માટે લેખિત પરીક્ષા પણ આપી શકશે. વેણુગોપાલે કહ્યુ કે, યૂજીસી બધા કોલેજોને નિર્દેશ આપશે કે તે એડમિશન ત્યારે શરૂ કરે જ્યારે ફિઝિકલ પરીક્ષાનું પરિણામ આવી જાય. 

સુનાવણી દરમિયાન કમ્પાર્ટમેન્ટ, પ્રાઇવેટ અને પત્રાચર વિદ્યાર્થીઓ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આ કવાયતમાં તેમના વિશે વિચારવામાં આવી રહ્યું નથી. આ વર્ષે તેને કોલેજના એડમિશનમાં સમસ્યા થશે. CBSE એ વિશ્વાસ અપાવ્યો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થઈ જશે. કોર્ટે પોતાના આદેશમાં પણ તેની નોંધ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget