શોધખોળ કરો

'આયુર્વેદિક ડૉક્ટરો MBBS જેટલા પગારનો દાવો કરી શકે નહીં', સુપ્રીમ કોર્ટે કહ્યું- બંનેનું કામ અલગ-અલગ છે

Supreme Court News: કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે BAMS ની ડિગ્રી ધરાવનારાઓ સાથે MBBS ની ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.

Supreme Court On Ayurved Doctors: સુપ્રીમ કોર્ટે બુધવારે (26 એપ્રિલ) MBBS અને આયુર્વેદ ડોકટરોના પગારના મુદ્દા પર મોટી ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આયુર્વેદિક અને અન્ય વૈકલ્પિક તબીબી પ્રણાલીના ડૉક્ટરોને એલોપેથિક ડૉક્ટરો જેટલો જ પગાર અને સુવિધાઓનો હકદાર ગણી શકાય નહીં. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે 2012માં ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લીધી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આયુર્વેદિક ડોકટરોને પણ સરકારી એમબીબીએસ ડોકટરો જેટલો જ પગાર અને અન્ય સુવિધાઓનો હકદાર ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને સંજય મિથલની ખંડપીઠે કહ્યું છે કે, અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આયુર્વેદિક ડૉક્ટરોનું કામ ઓછું મહત્વનું છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ખંડપીઠે કહ્યું, "તેઓ લોકોને પોતાની રીતે સારવાર પણ આપે છે, પરંતુ તેમનું કામ એમબીબીએસ ડોકટરો જેવું નથી. એમબીબીએસ ડોકટરો સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓમાં પણ નિષ્ણાત ડોકટરોની મદદ કરે છે. તેથી, બંને પ્રકારના ડોકટરો એક સમાન સ્તર પર મૂકી શકાતું નથી.

કોર્ટે એમ પણ કહ્યું કે એમબીબીએસ ડોકટરોને હોસ્પિટલોમાં ઓપીડીમાં સેંકડો દર્દીઓ સાથે વ્યવહાર કરવો પડે છે, જે આયુર્વેદ ડોકટરો સાથે નથી. કોર્ટે કહ્યું કે એલોપેથિક ડોકટરોએ ઇમરજન્સી ફરજ બજાવવી અને ટ્રોમા કેર પૂરી પાડવી જરૂરી છે. ઇમરજન્સી ફરજો જે એલોપેથિક ડોકટરો કરવા સક્ષમ છે તે આયુર્વેદ ડોકટરો કરી શકતા નથી.

સરકારે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો

વાસ્તવમાં, ગુજરાતના સરકારી આયુર્વેદિક ડોકટરોએ માંગ કરી હતી કે 1990માં કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલ ટીકુ કમિશનની ભલામણો તેમના પર પણ લાગુ કરવામાં આવે. 2012માં ગુજરાત હાઈકોર્ટે તેમનો મુદ્દો માન્ય રાખ્યો હતો. તેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે સ્વદેશી તબીબી પ્રેક્ટિસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ભવ્ય ઈતિહાસ છે, પરંતુ તેમના કામની સરખામણી એમબીબીએસ ડૉક્ટરોના કાર્ય સાથે કરી શકાય નહીં.

આ પણ વાંચોઃ

Financial Tips: જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા છો તો આ 6 વાતોનું રાખો ધ્યાન, નહીં રહે આર્થિક સુરક્ષાની ચિંતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget